________________
૧૯૨
કાર્ડ-૨ – ગાથા-૩૪ થી ૩૬
સન્મતિપ્રકરણ સંસ્કૃત છાયા केवलज्ञानं साद्यपर्यवसितमिति दर्शितं सूत्रे । तावमात्रेण गर्विताः, केचिद् विशेषं नेच्छन्ति ।। ३४ ॥ ये संघयणादिका (भावा ) भवस्थकेवलिविशेषपर्यायाः । ते सिध्यमानसमये, न भवन्ति, विगतं ततो भवति ॥ ३५ ॥ सिद्धत्वेन च पुन उत्पन्न एष अर्थपर्यायः ।
વત્નમજં તુ પ્રતીત્વ, વત્ન (અનન્ત) ર્શિત સૂત્રે એ રૂદ્દ
ગાથાર્થ - સૂત્રમાં કેવલજ્ઞાન સાદિ-અનંત કહેલું છે. તેટલા પાઠમાત્રને જોઈને અહંભાવી બનેલા કોઈ કોઈ આચાર્યો તે કેવલજ્ઞાનમાં વિશેષને (પર્યાયન = ઉત્પાદવ્યયને) ઈચ્છતા નથી. તે ૩૪ /
સંઘયણ આદિ સંબંધી જે જે દેહધારી કેવલી પરમાત્માના વિશેષપર્યાયો છે તે પર્યાયો મુક્તિગમન સમયમાં હોતા નથી. તેથી તે કેવલજ્ઞાન પણ (તે ભાવે) વિનાશ પામેલું કહેવાય છે. તે ૩૫ ||
તથા વળી સિદ્ધાવસ્થાપણે જે ઉત્પત્તિ થાય છે. તે આ કેવલજ્ઞાનનો અર્થપર્યાય છે. વળી કેવલભાવને આશ્રયી કેવલજ્ઞાનને સૂત્રમાં (અનંત-અપર્યવસિત) પણ કહેલું છે. ૩૬
વિવેચન - જૈન દર્શનમાં જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મનો સર્વથા ક્ષય થવાથી પ્રગટ થનારાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ભાવિમાં હવે ક્યારેય પણ આવરણ વાળાં બનનાર ન હોવાથી અને તેથી તેનો હવે ક્યારેય અંત આવનાર ન હોવાથી “સાદિઅપર્યવસિત” કહેલાં છે. સાદિ એટલે આદિવાળાં, ઉત્પત્તિવાળાં, જેની ઉત્પત્તિ થાય છે તેવાં, આવરણીયકર્મના સર્વથા વિલય સમયે આ બન્નેની ઉત્પત્તિ થાય છે. તેથી આ બન્ને સાદિવાળાં છે. પરંતુ આ પરમાત્મા સર્વથા ક્ષીણ આવરણવાળા હોવાથી અને ફરીથી ક્યારેય પણ આવરણીયકર્મ બાંધે એવા બંધહેતુઓ તેઓમાં આવવાના ન હોવાથી ક્યારેય પણ આવરણીયકર્મ બંધ-ઉદય કે સત્તામાં તેઓને આવવાનાં જ નથી તેથી પ્રગટ થયેલું આ કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્યારે ય પણ જવાનું નથી. તે માટે તે કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસિત છે એમ શાસ્ત્રોમાં કહેલું છે. પર્યવસિત એટલે પર્યવસાનવાળું, છેડાવાળું, અંતવાળું, અર્થાત્ નાશ પામનારૂં અને અપર્યવસિત એટલે પર્યવસાનવિનાનું, છેડાવિનાનું, અંતવિનાનું, અર્થાત્ નાશ નહી પામનારૂં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org