________________
૧૯૦ કાડ-૨ – ગાથા-૩૩
સન્મતિપ્રકરણ એકાન્તવાદ વિષયક જો રુચિ હોય તો તે રુચિ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાન હોવાથી સમ્યજ્ઞાન કહેવાતું નથી, અને અનેકાન્તવાદ વિષયક જો રુચિ હોય તો તે રૂચિ યથાર્થ અપાય-ધારણાત્મક હોવાથી તેવા જ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. એટલે આ સમ્યજ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે.
પ્રશ્ન - અમે એકલી રુચિને સમ્યગ્દર્શન કહેતા જ નથી કે જેથી ઉપરની આપત્તિ આવે, પરંતુ જિનેશ્વર પ્રભુએ કહેલાં જે તત્ત્વો છે તે તત્ત્વો અનેકાન્તમય છે. તેના કહેનારા વીતરાગ-સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા છે. વળી કેવલજ્ઞાન અને કેવલદર્શનથી જેવું જોયું છે તેવું જ કહ્યું છે અને જેવું કહ્યું છે તેવું જ સંસારમાં દેખાય છે અનુભવાય છે. તેથી તેવા વીતરાગપ્રણીત તત્ત્વો ઉપર જે રુચિ, તેને જ અમે સમ્યગ્દર્શન કહીએ છીએ. માટે રૂચિ તે જ દર્શન આમ કહીએ તો શું દોષ ?
ઉત્તર - વીતરાગપ્રણીત તત્ત્વો જ સાચાં છે. તે તો સ્વયં જ અનેકાન્ત ધર્મ વિષયક છે. સંસારમાં પણ પદાર્થો તેવા જ દેખાય છે તેવા જ અનુભવાય છે. આવું નિર્ણયાત્મક (અપાયાત્મક) જે જ્ઞાન છે તથા આવું સચોટ થયેલું જે જ્ઞાન છે તે જ્ઞાન જ પરમાત્મા પ્રત્યેના વિશ્વાસ સ્વરૂપ છે. આ અફર એવું જે જ્ઞાન છે. તે રુચિસ્વરૂપ છે તેથી આવા જ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. આવા પ્રકારનું સમ્યજ્ઞાન જેને વર્તે છે તેને નિર્ણય (વિશ્વાસવાળો અપાય) નક્કી હોવાથી સમ્યગ્દર્શન નિયમા હોય છે. “HOUT Tયા વંvi, સમ્યજ્ઞાન હોતે છતે સમ્યગ્દર્શન નિયમ હોય છે. તેથી એકલી રુચિને જો દર્શન કહીએ તો મિથ્યાવાદવાળાને પણ પોત પોતાના પક્ષની રુચિ હોવાથી સમ્યગ્દર્શન કહેવું પડે તે બરાબર નથી, માટે યથાર્થ તત્ત્વનો નિર્ણયાત્મક જે બોધ છે તે બોધ જ સમ્યજ્ઞાન સ્વરૂપ છે. અને તેમાં જે અચલતા છે. તે જ સમ્યગ્દર્શન છે આ કારણે દર્શન તે જ્ઞાનથી જુદુ નથી. પણ જે સમ્યજ્ઞાન છે તે જ સમ્યગ્દર્શન છે. આમ સારાંશરૂપે સિદ્ધ થયું.
જિનેશ્વર વીતરાગદેવે શું કહ્યું છે. તેનો કંઈ જ જો ખ્યાલ ન હોય, અને સંપૂર્ણ અજ્ઞાનદશા જ હોય તો ગમે તેટલી રુચિ હોય તો પણ આત્માનો ઉપકાર કરનારી તે રુચિ બનતી નથી. કારણ કે પાપ શું? પુણ્ય શું? નિર્જરા શું? કર્મ શું? આત્મા શું અને ધર્મ શું? શું શું કરવાથી પાપ બંધાય, શું શું કરવાથી પુણ્ય બંધાય, શું શું કરવાથી કર્મોની નિર્જરા થાય? મોક્ષ શું છે ? મોક્ષના ઉપાયો શું છે ? આવા પ્રકારનું પ્રાથમિક કક્ષાનું પણ જો કંઈ જ્ઞાન ન હોય, અને ભગવાનના નામે પોતાના મગજમાં બેઠેલા દૂરાગ્રહો ઉપર જ રુચિ-પ્રેમ થઈ જાય તો આત્માનો ઉપકાર થવાને બદલે અપકાર થઈ જાય છે. તેથી રુચિ કરતાં પણ યથાર્થતત્ત્વનિર્ણયાત્મક બોધ પહેલો જરૂરી બને છે. આવો જે યથાર્થ બોધ થાય છે. તે બોધ જ રૂચિ રૂપે પરિણામ પામતાં તે બોધને જ સમ્યગ્દર્શન કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org