SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ કડ-૨ – ગાથા-૩૨ સન્મતિપ્રકરણ "स्पर्शनम् । सम्यग्दर्शनेन किं स्पृष्टम् ? । लोकस्यासङ्खयेयभागः, अष्टौ चतुर्दशभागा देशोनाः, सम्यग्दृष्टिना तु सर्वलोक इति । अत्राह-सम्यग्दृष्टिसम्यग्दर्शनयोः कः प्रतिविशेष इति ? उच्यते - अपायसद्व्यतया सम्यग्दर्शनम्, अपाय: - आभिनिबोधिकम्, तद्योगात् सम्यग्दर्शनम् । तत् केवलिनो नास्ति । तस्मात् न केवली सम्यग्दर्शनी, सम्यग्दृष्टिस्तु મતિ '' ભાષ્યના આ પાઠની પૂજ્ય સિદ્ધસેનગણિકૃત ટીકાનો પાઠ જોવાથી સમજાશે કે અપાયાત્મક જે બોધ છે તેનો યોગ (સંબંધ) અને સદ્ધવ્યનો (સમ્યકત્વ મોહનીય કર્મનો) યોગ હોતે છતે સમ્યગ્દર્શન કહેવાય છે આ સમ્યગ્દર્શન કેવલીને હોતું નથી. તેથી તેઓ સમ્યગ્દર્શની નથી પણ સમ્યગ્દષ્ટિ છે. અપાય-ધારણાત્મક પ્રતિજ્ઞાન સ્વરૂપે જે નિર્ણયાત્મક બોધ છે. તે બોધ રૂચિસ્વરૂપ પણ હોય છે. રૂચિરહિત પણ હોય છે. જેમ કોઈ એક દર્શનના અનુયાયી જીવો જ્યારે ઈતરદર્શનનાં શાસ્ત્રો ભણે છે. ત્યારે તે અન્યદર્શનમાં જે જે પદાર્થો જેમ કહ્યા હોય છે, તેમ અધ્યાપક પાસે અથવા ગુરુજી પાસે ભણે છે. પણ પોતાને તે ભાવો રુચતા નથી, ગમતા નથી, વિશ્વસનીય બનતા નથી. આમ તે કંઈ હોતું હશે ? આવી શંકા - અવિશ્વાસ મનમાં રહ્યા જ કરે છે. જેમ જૈનદર્શનના અનુયાયી જીવો તર્કસંગ્રહ-મુક્તાવલી કે બૌદ્ધદર્શનનાં શાસ્ત્રો ભણે ત્યારે ગુણ-ગુણીનો એકાન્તભેદ, સમવાય સંબંધ, એકાન્તનિત્યતા અને એકાન્તક્ષણિકતા ભણવા ભણાવવામાં જે આવે છે. તે તેને રુચતી નથી. પણ સમજી લે છે. આ રુચિરહિત અપાયાત્મક મતિજ્ઞાન છે. જ્યારે જૈનદર્શનના અનુયાયી આ જ આત્માઓ જ્યારે જિનેશ્વરપ્રભુકથિત શાસ્ત્રો ભણે છે. ત્યારે નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, અસ્તિ-નાસ્તિ આદિ સ્વરૂપ સ્યાદ્વાદયુક્ત ભાવોને જાણતાં હૈયું નાચી ઉઠે છે. યથાર્થ બોધ મળવાથી થનગની ઉઠે છે. અતિશય-રૂચિ-પ્રીતિ-વિશ્વાસવાળું મતિજ્ઞાન થાય છે. આવા પ્રકારના રૂચિવિશ્વાસવાળા આ મતિજ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે – વમનન્ત વિધિના નિપ્રસન્ માવાન્ શ્રદ્ધાનસ્થ પુરુષ यद् आभिनिबोधिकं ज्ञानं तदेव सम्यग्दर्शनम् विशिष्टावबोधरूपाया रुचेः सम्यग्दर्शनशब्दवाच्यत्वादिति भावः । જો આવું જ્ઞાન ન હોય અને કેવલ એકલી રૂચિ હોય તો તે અજ્ઞાનદશાની જ રૂચિ થાય, તે આ આત્માને ઉપકારક થતી નથી. લખાણ વિનાના કોરા કાગળ ઉપર સહી કરવાથી અથવા લખેલા પણ નહીં વાંચેલા કાગળ ઉપર સહી કરવાથી જેમ નુકશાન થાય છે તેમ જ્ઞાન વિનાની રૂચિ પણ જીવને ઉપકારક નથી. તેથી અપાય-ધારણાત્મક જે જ્ઞાનમય રૂચિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy