SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ કાષ્ઠ-૨ – ગાથા-૩૨ સન્મતિપ્રકરણ કેવલજ્ઞાન અને કેવલદર્શનની ચર્ચા હવે અહીં સમાપ્ત થાય છે. કર્મગ્રન્થાદિના પ્રાથમિક અભ્યાસની દૃષ્ટિએ અહીં ઘણી વાત જુદી પણ આવી છે. પરંતુ જુદા જુદા નયવાદોથી જુદી જુદી વાત પણ સંભવી શકે છે. તે તે નયથી (સાપેક્ષદષ્ટિથી) સમન્વય કરતાં શીખવું જોઈએ પણ વિવાદવાળા ન બનવું. તથા નયવાદનો અભ્યાસ કરીને ધીર-વીર અને ગંભીર બનવા પ્રયત્નશીલ થવું. પણ વિખવાદવાળા ન બનવું. // ૩૧ || સામાન્યબોધ તે દર્શન અને વિશેષબોધ તે જ્ઞાન, આમ બોધ (જાણવું એવા) અર્થવાળા દર્શનશબ્દની ચર્ચા સમાપ્ત કરીને હવે “શ્રદ્ધા અર્થમાં વપરાતા દર્શનશબ્દનું પણ વધારે સ્પષ્ટીકરણ કરતાં કહે છે - एवं जिणपण्णत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे, दंसणसद्दो हवइ जुत्तो ॥ ३२ ।। एवं जिनप्रज्ञप्तान् श्रद्दधानस्य भावतो भावान् । पुरुषस्याभिनिबोधे, दर्शनशब्दो भवति युक्तः ।। ३२ ।। ગાથાર્થ - આ જ પ્રમાણે જિનેશ્વરપરમાત્માએ કહેલા ભાવોને ભાવથી શ્રદ્ધા કરતા પુરૂષના મતિજ્ઞાનમાં જ દર્શનશબ્દ લગાડવો યોગ્ય છે. || ૩૦ || વિવેચન - “દર્શન” શબ્દ જૈનદર્શનમાં પારિભાષિક છે અને અતિશય પ્રસિદ્ધ છે. જૈનદર્શનની પરિભાષા પ્રમાણે આ દર્શન શબ્દના ખાસ કરીને બે અર્થો લેવાય છે. એક અર્થ એ થાય છે કે સાકારોપયોગથી ભિન્ન એવો નિરાકારોપયોગ, કે જેને સામાન્યોપયોગ અથવા દર્શનોપયોગ કહેવાય છે. તથા આ દર્શનગુણને આવૃત કરનારૂં જે કર્મ છે તે દર્શનાવરણીય કર્મ છે. આ એક અર્થ થયો. બીજો અર્થ છે શ્રદ્ધા-રુચિ-વિશ્વાસ, આ ગુણનો ઘાત કરનારૂં જે કર્મ છે. તે દર્શનમોહનીય કર્મ છે. આવાર્ય ગુણ ભિન્ન છે. એટલે તેનું આવારક કર્મ પણ ભિન્ન છે. આ વાત કર્મગ્રન્થાદિના અભ્યાસીઓમાં પ્રસિદ્ધ છે. નિરાકારોપયોગ તે દર્શન” આ પ્રથમ અર્થમાં વપરાયેલ દર્શનશબ્દ એ જ્ઞાનથી ભિન્ન નથી, એટલે કે જે જ્ઞાન છે તે જ્ઞાન જ, જો અસ્પૃષ્ટ અને બાહ્યન્દ્રિયના અવિષયભૂત વિષયનું પ્રત્યક્ષજ્ઞાન હોય તો તે જ્ઞાનને જ દર્શન કહેવાય છે. આવી વાત જણાવીને ગ્રંથકારે પોતાનો અભિપ્રાય પ્રસિદ્ધ પ્રવાહથી જુદો બતાવીને દર્શનશબ્દનો અર્થ શું કરવો ? તે જણાવ્યું. અહીં સુધીની ગાથાઓની રચના કરીને તેમાં અનેક યુક્તિ-પ્રયુક્તિઓ જણાવીને જ્ઞાનશબ્દથી વાચ્ય એવા સાકારોપયોગથી ભિન્ન એવો નિરાકારોપયોગવાચ્ય દર્શન શબ્દ નથી. પરંતુ જે જ્ઞાન છે તે જ ઉપરોક્ત વિશેષણવાળું હોય તો દર્શન બને છે. સઘળુંય જ્ઞાન, દર્શન કહેવાતું નથી એમ પોતાનો વિચારભેદ જણાવ્યો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy