________________
૧૮૪
કાર્ડ-૨ – ગાથા-૩૧
સન્મતિપ્રકરણ અહીં કદાચ કોઈને આવી શંકા થાય કે બીજા બધા વિરોધો તો શમી જાય છે. પરંતુ “ના ના ફિ તફા પાસફ' આ સૂત્રપાઠનો અર્થ તો સ્પષ્ટ જ છે કે “કેવલી જ્યારે જાણે ત્યારે જુએ નહી અને જ્યારે જુએ ત્યારે જાણે નહી” આ પાઠનો વિરોધ તો ચોક્કસ આવશે જ. તેનું શું કરવું? સૂત્રપાઠનો વિરોધ તો ઉભો જ રહેશે? તેનું નિવારણ કેવી રીતે
થાય ?
ઉપરોક્ત શંકાનું સમાધાન ગાથા ૧૮ માં અપાઈ જ ગયું છે. શાસ્ત્રોના જ બીજા અનેક પાઠો જોતાં પરસ્પર વિરોધ ન આવે તે રીતે જ તે તે સૂત્રપાઠોના અર્થો પણ સમન્વય થાય તેવા જ કરવા જોઈએ. તથા સાદિ-અનંતતા, નિરાવરણતા, ક્ષાવિકભાવની વિદ્યમાનતા, પ્રથમ સમયે જ બન્ને ગુણોના પ્રતિબંધકનો અભાવ, સર્વજ્ઞતા-સર્વદર્શિતાનો સમન્વય, ઇત્યાદિ યુક્તિ પ્રમાણોથી જો બન્ને સાથે જ હોવા જોઈએ, અર્થાત્ બન્ને વચ્ચે વાસ્તવિક કોઈ ભેદ છે જ નહીં, આ વાત જો એકવાર સિદ્ધ થઈ જ ચુકી છે. બરાબર શાસ્ત્રસમ્મત યથાર્થ અર્થ સંગત થયો જ છે. તો ત્યાં કેવલી” શબ્દનો અર્થ સર્વજ્ઞ કેવલી ન કરતાં ઔપચારિક કેવલી લઈને સૂત્રપાઠના અર્થનો સમન્વય કરવો જોઈએ. નયવાદના અભ્યાસમાં કુશળ પુરૂષોએ અર્થની સંગતિ થાય તેવી રીતે સૂત્રપાઠોના અર્થ કરવા જોઈએ.
ટીકામાં કહ્યું છે કે પોતે જ્ઞાતિને દ્વિ , નાના મવતસ્તા સ્વસમય: स्वसिद्धान्त: 'साद्यपर्यवसिते' इति घटते, यस्त्वेकसमयान्तरोत्पादस्तयोः 'यदा जानाति तदा न पश्यति' इत्येवमभिधीयते, स परतीर्थिकशास्त्रम्, नार्हद्वचनम्, नयाभिप्रायेण प्रवृत्तत्वादिति सूररभिप्रायः ।
અથવા ગ્રન્થકારશ્રી જ કહે છે કે સમયંતપ્પામો એક સમયના અંતરે આંતરે કેવલજ્ઞાન અને કેવલદર્શનનો જે ઉત્પાદ જણાવ્યો છે તે “પતિસ્થથવત્તવૃં” પરદર્શનનું વક્તવ્ય જાણવું. જેમ તૈયાયિક - વૈશેષિક - સાંખ્ય - મીમાંસક અને બૌદ્ધ આદિ અન્ય દર્શનકારો પોત પોતાની દૃષ્ટિ જે બાજુ વધારે ઢળી હોય છે તે બાજુનું જ જોરશોરથી પ્રવચન કરે છે. એક નય તરફના આગ્રહી બને છે. તેમ જૈનદર્શનમાં રહેલા પણ કોઈ કોઈ પ્રવચનકારની દૃષ્ટિ કોઈ એક બાજુ વધારે ઢળેલી હોય છે. તો તે તે પ્રવચનકારો વસ્તુને તે બાજુથી જ પોતે વધારે સમજે છે અને બીજાને પણ તે બાજુ જ વધારે સમજાવે છે. એક નયના ગ્રહણનો આગ્રહવિશેષ જ હોવાથી તેઓનું આ વચન પરતીર્થિકના વક્તવ્યતુલ્ય છે.
જેમ વર્તમાનકાલમાં પણ દિગંબર-સ્થાનકવાસી-તેરાપંથી કે તેના પછી પડેલા વ્યક્તિગત સંપ્રદાયોની દૃષ્ટિ જે બાજુ ઢળી છે. તે બાજુની જ વાત પક્કડપૂર્વક કહે છે તેથી જ વિવાદો સર્જાય છે. જૈન હોવા છતાં પણ સાપેક્ષદૃષ્ટિ ન રાખવાથી વર્તમાનકાલના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org