SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) કરાય છે. પરંતુ આગમિક પરંપરા પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીને પ્રથમ સૈકામાં થયેલા માને છે. વિવેચન લખવાની ભાવના : દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનો વારંવાર અભ્યાસ કરાવતાં તેનું વિવેચન લખવાની ઈચ્છા થઈ. તે ત્રણેક વર્ષમાં તૈયાર કરી પ્રકાશિત કર્યો. “દ્રવ્યગુણપર્યાયનો રાસ” આ નામના આ ગ્રંથમાં વારંવાર “સન્મતિપ્રકરણની ગાથાઓની સાક્ષી આપવામાં આવેલી છે તથા બીજા પણ ઘણા ગ્રંથોમાં આ ગ્રંથની ઠેકઠેકાણે સાક્ષી આપવામાં આવેલી છે. આ જોતાં જ સન્મતિપ્રકરણ ભણવા-ભણાવવાની પ્રબળ ઈચ્છા થયેલી. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓની પાઠશાળાઓમાં આ ગ્રંથ વારંવાર ભણાવવાનો ચાલુ રાખ્યો. તેથી આ ગ્રંથ પ્રત્યે હૈયામાં સારો એવો અહોભાવ વધતો જ ગયો. તેમાં લખાયેલા ભાવો પ્રત્યે મન આકર્ષાતુ જ ગયું અને વિદેશની યાત્રામાં દિવસે મળતા સમયમાં લખાણ કામ ચાલુ કર્યું. છેલ્લા ત્રણ વર્ષથી આ ગ્રંથના લખાણની પાછળ સતત પ્રયત્ન ચાલુ રાખેલો. વિદેશમાં આ ગ્રંથના ટીકાગ્રંથો મળે નહીં. તેથી અનુભવને અનુસારે જ વિવેચન તૈયાર કર્યું. ભારતમાં આવ્યા પછી ટીકાગ્રંથો સાથે યથાયોગ્ય સંગતિ કરી. જે કંઈ ભૂલચુક લાગી તેના સુધારા-વધારા કર્યા. તથા આ મેટર વાંચવા માટે જે આચાર્ય મહારાજશ્રીઓને આપ્યું અને તેઓએ જે ભૂલો સૂચવી, તેના પણ સુધારા-વધારા કર્યા. પૂજ્યોને મેટર વંચાવવા બાબત : આ વિવેચનની ચાર ઝેરોક્ષ કોપીઓ કરાવીને આ વિષયના અભ્યાસી આચાર્યભગવંતોમાં પૂજ્ય શીલચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ, પૂજ્ય મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂજ્ય કીર્તિયશસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય જયસુંદરસૂરીશ્વરજી મ.સા.ને એક એક કોપી મોકલાવેલી. પૂજ્ય જયસુંદરસૂરીશ્વરજી મ.સા.ને પ્રથમ કાંડની ઝેરોક્ષકોપી મોકલાવેલી. ત્યારબાદ તેઓશ્રી વિહારમાં હોવાથી સંપર્ક ન થવાથી બાકીના બે કાંડ મોકલી શકાયા નથી. બાકીના ત્રણે આચાર્યભગવંતોને ત્રણે કાંડની સંપૂર્ણ ઝેરોક્ષ કોપી મોકલાવેલી. તે ચારે આચાર્ય મહારાજશ્રીઓએ મારા ઉપરના અનહદ ભાવથી અને આ ગ્રંથના વિષય પ્રત્યેના ઘણા જ બહુમાનથી અને પ્રેમથી અક્ષરશઃ ધ્યાનપૂર્વક સુધારીને જેમ બને તેમ જલ્દી જલ્દી ઝેરોક્ષકોપી પરત કરી છે. તેઓએ સૂચવેલી લગભગ બધી જ ભૂલો સુધારીને છાપેલ છે. આ આચાર્ય ભગવંતો પોતપોતાના સ્વાધ્યાયાદિ કામોમાં તથા સંઘના શાસનપ્રભાવનાનાં અનેક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy