________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૨૮
૧૭૯ દ્વારા) જે બોધ થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. તથા અનુમાન - ઉપમાન - આગમ આદિ પરોક્ષ પ્રમાણોથી જે જ્ઞાન થાય છે તે પણ પૂર્વે અનુભવેલા સાધ્ય - સાધનભાવની વ્યાપ્તિ આદિ દ્વારા થાય છે. તેથી તે પણ શ્રુતજ્ઞાન છે.
શ્રુતજ્ઞાન બે જાતનું થાય છે. શ્રોત્રેન્દ્રિય દ્વારા ગુરુજી ભણાવે ત્યારે, ચક્ષુરિન્દ્રિય દ્વારા પુસ્તક વાંચન કરીએ ત્યારે, સ્પર્શનેન્દ્રિય દ્વારા અંધપુરૂષો પોતાની લીપીમાં વાંચે ત્યારે એમ યથાયોગ્ય પાંચ ઇન્દ્રિયો દ્વારા અને તેમાં પરોવાયેલા મન દ્વારા શ્રુતાનુસારી જે જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયો દ્વારા થતું શ્રુતજ્ઞાન હોવાથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે અને અનુમાનાદિ પરોક્ષ પ્રમાણો વડે મનની કલ્પનાઓ કરીને પૂર્વે અનુભવેલા સાધ્ય-સાધનભાવની વ્યાપ્તિ - પરામર્શ - ઉદાહરણ આદિ દ્વારા જે થાય છે તે પણ શ્રુતજ્ઞાન છે. પણ આ કલ્પનાઓમાં અભ્યત્તર એવા મન ઇન્દ્રિયની જ વધારે પ્રધાનતા છે.
અહીં દર્શનશબ્દની જે વ્યાખ્યા કરવામાં આવી છે કે “ઇન્દ્રિયો વડે અસ્પષ્ટ અને બાહ્ય ઇન્દ્રિયો વડે અગ્રાહ્યવિષયવાળું અને અનુમાનાદિને છોડીને જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. અર્થાત્ જે સાક્ષાત્ જ્ઞાન થાય છે. તે દર્શન કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે સઘળાય પણ શ્રુતજ્ઞાનમાં આ દર્શનશબ્દ લગાડાતો નથી. કારણ કે અનુમાન ઉપમાન અને આગમ આદિ દ્વારા જે શ્રુતજ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે. અને વ્યાખ્યામાં તો પ્રત્યક્ષ એવું વિશેષણ કહેલું છે. તેથી અનુમાનાદિથી થનારૂં ઘણું ઘણું શ્રુતજ્ઞાન દર્શનશબ્દની વ્યાખ્યાથી બહાર નીકળી જાય છે. એટલે કે તેવા શ્રુતજ્ઞાનને શ્રુતજ્ઞાન જ કહેવાય છે. પણ તે શ્રુતજ્ઞાનમાં દર્શનશબ્દ વપરાતો નથી.
પરંતુ શ્રોત્રેન્દ્રિય દ્વારા સાંભળવાથી, ચક્ષુરિન્દ્રિય દ્વારા વાંચન કરવાથી આમ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થવાપૂર્વક ચિંતન-મનન-ભાવનાત્મક જે મન દ્વારા શ્રુતજ્ઞાન થાય છે. તે જ પ્રત્યક્ષ હોવાથી અચક્ષુદર્શન નામના દર્શનશબ્દથી વાચ્ય બને છે. સઘળા એવા શ્રુતજ્ઞાનમાં આ દર્શનશબ્દ વપરાતો નથી.
ગાથા-૨૭ અને ગાથા-૨૮ નો સાર એ છે કે સકલ એવું મતિજ્ઞાન પણ દર્શનશબ્દથી વાચ્ય નથી અને સકલ એવું શ્રુતજ્ઞાન પણ દર્શનશબ્દથી વાચ્ય નથી. પરંતુ મતિજ્ઞાનમાં માત્ર ચહ્યું અને મનોજન્ય જે મતિજ્ઞાન છે તે બે જ ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાન અનુક્રમે ચક્ષુ-અચક્ષુ દર્શન કહેવાય છે. શેષ ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાન તે મતિજ્ઞાન જ રહે છે દર્શન કહેવાતું નથી. તેમાં અસ્પષ્ટતા નથી માટે. એવી જ રીતે સકલ શ્રુતજ્ઞાનમાં પણ દર્શનશબ્દ વપરાતો નથી પરંતુ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થયા પછી શ્રુતાનુસારી મનન-ચિંતન-વિચારણા કરવા રૂપ મને દ્વારા જે શ્રુતજ્ઞાન થાય છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ હોવાથી તેટલા જ શ્રુતજ્ઞાનને અચક્ષુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org