________________
૧૭૨
કાર્ડ-૨ – ગાથા-૨૫
સન્મતિપ્રકરણ સઘળાય જ્ઞાનને અવધિદર્શન કહેવાય છે. કારણ કે ઇન્દ્રિયોની સાથે અસ્પષ્ટ પણ છે અને બાધેન્દ્રિયોના અવિષયભૂત પણ છે અને પ્રત્યક્ષ પણ છે. માટે તે સઘળાય અવધિજ્ઞાનને અવધિદર્શન કહેવાય છે.
કેવલજ્ઞાન દ્વારા સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને સર્વભાવોનું જે કોઈ સામાન્ય-વિશેષધર્મોનું જ્ઞાન થાય છે. તે સઘળું ય જ્ઞાન કેવલદર્શન કહેવાય છે. કારણ કે આ બોધ પણ અસ્કૃષ્ટ અને બાધેન્દ્રિયના અવિષયભૂત છે. માટે જે આ કેવલજ્ઞાન છે તે સઘળાય કેવલજ્ઞાનને જ કેવલદર્શન કહેવાય છે. તેથી કેવલદર્શનવાળા પુરૂષને સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય છે.
મન:પર્યવજ્ઞાન દ્વારા જે બોધ થાય છે તે બાહ્યઇન્દ્રિયના અવિષયભૂત અવશ્ય છે. પણ સર્વથા અસ્પૃષ્ટ નથી. પણ કંઈક પૃષ્ટ છે. કારણ કે મન:પર્યવજ્ઞાની તે જ મનોવર્ગણાને જાણે છે કે જે મનોવર્ગણા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગૃહીત થઈ હોય અને મનપણે પરિણામ પમાડેલી હોય, હવે વિચાર કરીએ તો સમજાશે કે આ વર્ગણા ચિંતન કરનારા જીવોને સૃષ્ટ છે. તેથી ત્યાં દર્શનશબ્દ લાગુ પડતો નથી. આ વાત આગળ ૨૬મી ગાથામાં આવે જ છે.
મતિ અને શ્રુતજ્ઞાનમાં પ્રાપ્યકારી એવી ચાર ઇન્દ્રિયોથી જે કોઈ જ્ઞાન થાય છે. તે સ્કૃષ્ટ વિષયક હોવાથી દર્શન કહેવાતું નથી. ચક્ષુર્જન્ય બોધ અસ્પૃષ્ટ અને અવિષયભૂત હોવાથી દર્શન કહેવાય છે. મનોજન્ય સઘળો ય પણ બોધ અસ્પૃષ્ટ વિષયક અને બાહ્યન્દ્રિયના અવિષયભૂત છે. તેથી મનોજન્ય સઘળા ય પણ બોધને અચક્ષુદર્શન કહેવાય છે. પરંતુ તેમાં એક અપવાદ છે કે અતીત-અનાગત અને વર્તમાનકાલના વિષયોવાળુ લિંગ દ્વારા જે અનુમાન જ્ઞાન થાય છે. તથા આગમપ્રમાણથી જે આગમસંબંધી જ્ઞાન થાય છે. તેને છોડીને જે ચિંતન-મનનાત્મક ભાવનામય, વિચારણારૂપ જે જ્ઞાન છે. તેને જ દર્શન કહેવાય છે.
ધૂમ જોઈને વહ્નિનું અનુમાન, નદીપૂર જોઈને ઉપરવાસમાં વરસાદનું અનુમાન બહાર ગાડીઓ કે સ્કૂટરોનો ઢગ જોઈને અંદર માણસોનું અનુમાન, ગ્રીન સીગ્નલ જોઈને ટ્રેન આવવાનું અનુમાન, આ બધાં જ્ઞાનો મનોજન્ય છે. અસ્પૃષ્ટવિષયક છે અને બાધેન્દ્રિયના અવિષયભૂત પણ છે. તેથી તેમાં દર્શનશબ્દની વ્યાખ્યા ચાલી જાય છે. પરંતુ તેને જૈનશાસ્ત્રોમાં અનુમાનજ્ઞાન કહેવાય છે. દર્શન કહેવાતું નથી તેથી તેને વર્જીને દર્શન કહેવાય એવો અપવાદ મૂલમાં જ જણાવેલો છે તેથી જ વ્યાખ્યામાં પણ જે પ્રત્યક્ષજ્ઞાન છે તે જ દર્શન કહેવાય છે. આમ પ્રત્યક્ષ શબ્દ જોડવામાં આવ્યો છે.
અનુમાનજ્ઞાનને છોડીને અસ્પષ્ટવિષયક અને બાહ્ય ઇન્દ્રિયના અવિષયભૂત પદાર્થોનું જે સાક્ષાત્ જ્ઞાન થાય છે. તે જ્ઞાનને જ દર્શન કહેવાય છે” આ વ્યાખ્યા પ્રમાણે શાસ્ત્રોક્ત ચક્ષુ-અચક્ષુ-અવધિ અને કેવલદર્શન સિદ્ધ થાય છે. અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ ક્યાંય આવતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org