________________
૧૭૧
સન્મતિપ્રકરણ
કાર્ડ-૨ – ગાથા-૨૫ જ દર્શન કહેવાય છે. અર્થાત્ જ્ઞાનથી દર્શન, કે દર્શનથી જ્ઞાન કોઈ જુદુ તત્ત્વ નથી. “જે કોઈ જ્ઞાન છે તે સઘળુંય દર્શન છે.”
હવે જ્ઞાનની આગળ બે વિશેષણો છે. ૧ અસ્પષ્ટ, અને ૨ અવિષય, તેથી ઇન્દ્રિયોથી અસ્પષ્ટ અને બાહ્ય ઇન્દ્રિયના અવિષયભૂત એવું જે જ્ઞાન છે તે જ્ઞાનને જ દર્શન કહેવાય છે. બાલ્વેન્દ્રિયોની સાથે નહીં સ્પર્શેલા અને બાહ્યન્દ્રિયોના વિષયભૂત જે ન હોય તેવા વિષયોનું જે સાક્ષાત્ જ્ઞાન થાય છે તે જ્ઞાન જ દર્શન કહેવાય છે.
ચક્ષુરિન્દ્રિય દ્વારા જે કોઈ જ્ઞાન થાય છે તે ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી હોવાથી અસ્કૃષ્ટ વિષયવાળી પણ છે. અને ચક્ષુરિન્દ્રિય રૂપગ્રાહી હોવાથી તે રૂપનો વિષય શેષ (બાકીની ૪). બાલ્વેન્દ્રિયનો અવિષય પણ છે. તેથી ચક્ષુરિન્દ્રિયજન્ય જે કોઈ પ્રત્યક્ષ બોધ થાય છે. (ભલે તે અવગ્રહ હોય, ઈહા હોય, અપાય હોય કે ધારણા હોય) તે બધા જ બોધને ચક્ષુદર્શન કહેવાય છે. ચક્ષુર્જન્ય સામાન્ય અને વિશેષ એવો જે કોઈ બોધ છે તે અસ્પૃષ્ટ અને શેષ બાલ્યન્દ્રિયના અવિષયભૂત છે તથા પ્રત્યક્ષ બોધ પણ છે. તેથી તે ઇન્દ્રિયજન્ય સામાન્યવિશેષ એવા તમામ બોધને ચક્ષુદર્શન કહેવાય છે.
તથા મન દ્વારા જે કોઈ અવગ્રહથી ધારણા સુધીનો બોધ થાય છે તે સઘળો ય બોધ, મન અપ્રાપ્યકારી હોવાથી અસ્પષ્ટ પણ છે. અને મન એ અભ્યત્તર ઇન્દ્રિય હોવાથી તેનો જે વિષય છે તે બાહ્ય ઇન્દ્રિયનો અવિષય પણ છે. માટે મનોજન્ય તમામ બોધને અચક્ષુદર્શન કહેવાય છે. ચક્ષુ અને મન આ બે જ ઇન્દ્રિયો અપ્રાપ્યકારી છે. તેથી બે જ ઇન્દ્રિયોમાં અસ્પૃષ્ટ અને શેષ બાધેન્દ્રિયનો અવિષય મળવાનો સંભવ છે. તેથી આ બે જ ઇન્દ્રિયોના બધા જ બોધને દર્શન કહેવાય છે. શ્રોત્ર વિગેરે શેષ ચારે ઇન્દ્રિયો જન્ય જે કોઈ બોધ છે તે બોધને દર્શન કહેવાતું નથી. કારણ કે આ ઇન્દ્રિયો પ્રાપ્યકારી હોવાથી તેઓનો વિષય અસ્પષ્ટ નથી પણ સ્પષ્ટ છે તથા આ બાધેન્દ્રિયો છે. માટે તેનો જે વિષય છે તે બાધેન્દ્રિયનો અવિષય નથી પણ વિષય છે. તેથી આ ચારે ઇન્દ્રિયજન્ય બોધને દર્શન કહેવાતું નથી. આ કારણે જ જૈન શાસ્ત્રોમાં ક્યાંય શ્રોત્રદર્શન-ધ્રાણદર્શન વિગેરે કહેવાતાં નથી.
મતિ-શ્રુતજ્ઞાનમાં ૬ ઇન્દ્રિયોનો ઉપયોગ હોય છે. તેમાં ચહ્યું અને મન આ બે જ ઇન્દ્રિયો અપ્રાપ્યકારી છે. તેથી આ બે જ ઇન્દ્રિયો અસ્પૃષ્ટ વિષયને જણાવનાર છે અને શેષ બાલ્વેન્દ્રિયના અવિષયભૂત પણ આ જ બે ઇન્દ્રિયો છે. તેથી ચક્ષુરિન્દ્રિયજન્ય સામાન્ય કે વિશેષ વિષયવાળા તમામ બોધને ચક્ષુદર્શન અને મનોજન્ય સામાન્ય કે વિશેષ વિષયવાળા તમામ બોધને અચક્ષુદર્શન કહેવાય છે. આમ બે જ ઇન્દ્રિયોનાં બે જ દર્શન છે.
અવધિજ્ઞાન દ્વારા દૂર દૂર ક્ષેત્રમાં અને દૂર દૂર કાલમાં રહેલા રૂપી પદાર્થનું જે કંઈ જ્ઞાન થાય છે. તે જ્ઞાન ભલે સામાન્યધર્મવિષયક હોય કે વિશેષધર્મવિષયક હોય પણ તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org