SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ કાડ-૨ – ગાથા-૨૫ સન્મતિપ્રકરણ પ્રશ્ન - “સામાન્યબોધ” તે દર્શન કહેવાય આવી દર્શનશબ્દની વ્યાખ્યા અત્યન્ત પ્રચલિત છે. પણ તમારા તર્કમુજબ આ વ્યાખ્યામાં જો આવી આપત્તિઓ આવે છે. તો હવે દર્શન શબ્દની એવી વ્યાખ્યા શું હોઈ શકે કે જેમાં શાસ્ત્રસમ્મતિ હોય અને પૂર્વાપર આપત્તિઓ ન આવે? આવી શિષ્યની શંકા જાણીને ગ્રન્થકારશ્રી પોતે જ આપત્તિ ન આવે તેવી “દર્શન” શબ્દની નવી જ વ્યાખ્યા જણાવે છે - णाणं अप्पुढे अविसए य, अत्थम्मि स दंसणं होइ । मोत्तुण लिंगओ जं, अणागयाईयविसएसु ॥ २५ ॥ ज्ञानमस्पृष्टेऽविषये चार्थे तदर्शनं भवति । મુવત્વ નિત થના તાતવિયેષુ ૫ રજ | ગાથાર્થ - અનાગત અને અતીત વિષયોને વિષે હેતુ દ્વારા જે અનુમાન જ્ઞાન થાય છે તેને છોડીને અસ્કૃષ્ટ અને (બાલ્વેન્દ્રિયના) અવિષયભૂત પદાર્થને વિષે જે કોઈ જ્ઞાન થાય છે તે (સામાન્યજ્ઞાન હોય કે વિશેષજ્ઞાન હોય પણ બન્ને) જ્ઞાનને જ દર્શન કહેવાય છે. રિપી વિવેચન - જે સામાન્યબોધ તે દર્શન, આવી વ્યાખ્યા ભલે પ્રાથમિક અભ્યાસકાલે જૈન દર્શનમાં પ્રસિદ્ધ હોય પરંતુ ગ્રન્થકારશ્રીને તે માન્ય નથી. કારણ કે કેવલદર્શનમાં સામાન્ય ધર્મમાત્રનો જ બોધ લઈએ તો કેવલજ્ઞાનીને સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય નહીં. તથા ચક્ષુરિન્દ્રિયજન્ય અવગ્રહ-ઈહા જેમ સામાન્ય બોધ છે માટે ચક્ષુદર્શન કહેવાય છે. તેમ શેન્દ્રિયજન્ય અવગ્રહ અને ઇહા પણ સામાન્યબોધ હોવાથી શ્રોત્રદર્શન ઘાણદર્શન પણ કહેવરાવાં જોઈએ. આ બધી મુશ્કેલીઓ દેખાતી હોવાથી આવી માન્યતામાં ઘણા દોષો આવતા હોવાથી “દર્શન” શબ્દનો અર્થ કંઈક જુદો જ છે તે કહે છે. ઇન્દ્રિયોની સાથે અસ્પષ્ટ (ન સ્પર્શલા), અને બાહ્ય ઇન્દ્રિયોના અવિષયભૂત એવા પદાર્થોનું જે કોઈ જ્ઞાન થાય છે તે જ્ઞાન જ દર્શન કહેવાય છે. ફક્ત તેમાં ભૂત-ભાવિના વિષયોનું લિંગ દ્વારા થતું જે અનુમાન અને આગમ આદિ જ્ઞાન છે તેને છોડીને.” આ વ્યાખ્યામાં એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે “જે કોઈ જ્ઞાન છે તે જ દર્શન છે” અર્થાત્ જ્ઞાન અને દર્શન જરા પણ જુદાં નથી દર્શન પૂર્વવર્તી હોય અને જ્ઞાન ઉત્તરવતી હોય એમ પણ નથી, માત્ર સામાન્યબોધ તે દર્શન અને માત્ર વિશેષબોધ તે જ્ઞાન એમ પણ નથી. દર્શનપૂર્વક જ જ્ઞાન થાય છે એમ પણ નથી. સામાન્યબોધ હોય કે વિશેષબોધ હોય, જે કોઈ પ્રત્યક્ષ બોધ થાય છે તેને જ્ઞાન પણ કહેવાય છે અને તે જ્ઞાનને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy