________________
સન્મતિપ્રકરણ કિડ-૨ – ગાથા-૨૩-૨૪
૧૬૭ આમ થવાથી ચક્ષુની જેમ શેષ ઇન્દ્રિયોના દર્શનમાં પણ નિયામાં જ્ઞાન જ સિદ્ધ થશે, પરંતુ આ યુક્ત નથી, હવે જો ત્યાં (શેષેન્દ્રિયમાં) દર્શન હોતે છતે જ્ઞાન જ છે આમ કહેશો તો ચક્ષુરિન્દ્રિયમાં પણ તેમજ થશે. / ૨૪ /
વિવેચન - પ્રાથમિક અભ્યાસમાં (કર્મગ્રંથાદિકના અભ્યાસકાલે) સર્વત્ર સામાન્યબોધ તે દર્શન અને વિશેષબોધ તે જ્ઞાન આ વાત પ્રસિદ્ધ છે. તથા સામાન્યબોધ થયા પછી તે વિષય સંબંધી ઉહાપોહ કરતાં કરતાં વિશેષબોધ થાય છે. માટે પ્રથમ દર્શન અને પછી જ્ઞાન આમ સંભવે પણ છે છતાં છદ્મસ્થમાં આમ સંભવે પણ કેવલીમાં આમ સંભવે નહીં તેથી ગ્રન્થકારને આ વ્યાખ્યા છઘસ્થ માટે માન્ય છે પણ કેવલી માટે આ વ્યાખ્યા માન્ય નથી. કેવલીમાં કેવલજ્ઞાનથી ભગવાન એકલા વિશેષ ધર્મોને જાણતા નથી પણ સામાન્ય-વિશેષ એમ બન્ને ધર્મોને જાણે છે તેથી જ સર્વજ્ઞ કહેવાય છે. જો એકલા વિશેષ ધર્મોને જ જાણતા હોત તો અલ્પજ્ઞ કહેવાત. એવી જ રીતે કેવલદર્શનથી પણ એકલા સામાન્ય ધર્મોને ભગવાન જોતા નથી પણ સામાન્ય અને વિશેષ આમ બન્ને ધર્મોને જુએ છે. તેથી જ સર્વદર્શી કહેવાય છે. માટે કેવલીમાં તો જાણવું તે જ્ઞાન અને દેખવું તે દર્શન આટલી જ વ્યાખ્યા ઈષ્ટ છે. સામાન્યધર્મ હોય કે વિશેષધર્મ હોય પણ બન્નેને જાણવા તે જ્ઞાન અને બન્નેને જોવા તે દર્શન આવી વ્યાખ્યા કેવલીમાં ગ્રંથકારશ્રીને ઈષ્ટ છે. તથા સામાન્યબોધ તે દર્શન અને વિશેષબોધ તે જ્ઞાન આ વ્યાખ્યા ગ્રંથકારશ્રીને પ્રસ્થમાં પણ સર્વત્ર માન્ય નથી. તેથી જ આગલી ગાથા ૨૧ માં અન્ય આચાર્યોએ જે મતિજ્ઞાનનું દૃષ્ટાન્ત આપ્યું હતું ત્યાં “અવગ્રહમાત્ર” તે દર્શન આમ જે માનવામાં આવ્યું છે ત્યાં દોષાપત્તિ આપતાં જણાવે છે કે
જૈનશાસ્ત્રોમાં ગાથા ૨૦ માં કહ્યા પ્રમાણે ચાર પ્રકારનાં દર્શનો કહ્યાં છે. ચક્ષુ-અચક્ષુ વિગેરે, અન્ય આચાર્યોને ગ્રન્થકારશ્રી પ્રશ્ન કરે છે કે જો તમે “ગોપત્તિ વંસVi" અવગ્રહમાત્રને (સામાન્યબોધ માત્રને જ) દર્શન કહો છો અને વિડ્યુિં છે. વિશેષબોધને જ જ્ઞાન મUofસ = માનો છો. તો તે માન્યતા પ્રમાણે તો ૪ પ્રકારનો વ્યંજનાવગ્રહ, ૬ પ્રકારનો અર્થાવગ્રહ અને ૬ પ્રકારની ઈહા, આમ ૧૬ મેદવાળું સઘળું ય પણ મતિજ્ઞાન દર્શનપણાને જ પામશે, કારણ કે આ ૧૬ ભેદો સામાન્યબોધાત્મક જ છે અને જો એમ જ હોય તો ચક્ષુ દ્વારા થયેલા સામાન્યબોધને જેમ ચક્ષુરિન્દ્રિયનું નામ અલગ કરીને ચક્ષુદર્શન કહ્યું, તેમ શ્રોત્ર, ઘાણ, રસના, સ્પર્શન અને મન દ્વારા થતા સામાન્યબોધને પણ દર્શન જ કહેવાશે. તેથી તે તે ઇન્દ્રિયોથી થતા વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ અને ઈહાને અર્થાત્ તે તે સઘળા ૧૬ ભેટવાળા મતિજ્ઞાનને દર્શન જ કહેવાતાં ચક્ષુદર્શનની જેમ શ્રોત્રદર્શન, ઘાણદર્શન, રસનાદર્શન, સ્પાર્શનદર્શન અને માનસદર્શન આવા ભેદો પણ થશે અને શાસ્ત્રોમાં પણ આવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org