SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ કાષ્ઠ-૨ – ગાથા-૨૩-૨૪ સન્મતિપ્રકરણ ટીકામાં કહ્યું છે કે - તનપૂર્વ જ્ઞાનમ, જ્ઞાનનિમિત્ત તું તનં નાસ્તીત્યુ યતઃ सामान्यमुपलभ्य पश्चाद् विशेषमुपलभते, न विपर्येणेत्येवं छद्मस्थावस्थायां हेतुहेतुमद्भावक्रमः । तेनाप्यवगच्छामः कथञ्चित्तयोर्भेदः इति । अयं तु क्षयोपशमनिबन्धनः क्रमः, केवलिनि च तदभावादक्रम इत्युक्तम् । પ્રથમ દર્શન પછી જ્ઞાન આમ જો માનીએ તો લબ્ધિની પ્રાપ્તિ સાકારોપયોગે જ થાય છે તે સિદ્ધાન્તને બાધા આવે છે. પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એમ માનીએ તો જ્ઞાનપૂર્વક દર્શન થાય એવો અર્થ થાય છે. જે સંભવતું નથી શાસ્ત્રોમાં ક્યાંય કહ્યું નથી. તેવું માનવાની આપત્તિ આવે, બન્નેને એક સમયમાં સાથે માનીએ તો એકસમયમાં બે ઉપયોગ સાથે નથી હોતા, તે માનવાની આપત્તિ આવે છે. તથા વળી એક સમયમાં જ્ઞાન-દર્શન બન્ને ઉપયોગ માનીએ તો પણ જ્ઞાન વિશેષને જ જાણે અને દર્શન સામાન્યને જ દેખે એટલે અલ્પજ્ઞત્વ અને અલ્પદર્શિત્વ જ માનવાની આપત્તિ આવે છે. સર્વજ્ઞ અને સર્વદશી મનાય જ નહીં આવા પ્રકારના બહુ દોષો આવતા હોવાથી અન્ય આચાર્યોના આ સઘળા પણ મત બરાબર નથી, એક સમયમાં અભેદોપયોગ માનવો એ જ સાચો માર્ગ છે અને શ્રેયસ્કર માર્ગ છે. ll ૨૨ // સામાન્ય બોધ તે દર્શન, અને વિશેષબોધ તે જ્ઞાન આટલી પ્રચલિત વ્યાખ્યા જ જો દર્શન-જ્ઞાનની માનવામાં આવે અને તેને અનુસારે કેવલીમાં ભેદભેદ સમજાવવા માટે ઉપરોક્ત અન્ય આચાર્યો વડે જે મતિજ્ઞાનનું દૃષ્ટાન્ત અપાય છે. તેમાં તેઓને બીજો પણ દોષ આવે છે તે હવે જણાવે છે जड ओग्गहमेत्तं दंसणं ति, मण्णसि विसेसियं णाणं । मइणाणमेव दंसणमेवं, सइ होइ निप्फण्णं ॥ २३ ॥ एवं सेसेंदियदंसणम्मि, नियमेण होइ ण य जुत्तं । अह तत्थ णाणमेत्तं, घेप्पइ चक्खुम्मि वि तहेव ॥ २४ ॥ यदि अवग्रहमानं दर्शनमिति मन्यसे विशेषितं ज्ञानम् । मतिज्ञानमेव दर्शनमेवं, सत्ति भवति निष्पन्नम् ॥ २३ ॥ एवं शेषेन्द्रियदर्शने, नियमेन भवति न च युक्तम् । अथ तत्र ज्ञानमात्रं गृह्यते चक्षुष्यपि तथैव ।। २४ ॥ ગાથાર્થ - “અવગ્રહમાત્રને (સામાન્યબોધમાત્રને) દર્શન, અને વિશેષબોધમાત્રને જ્ઞાન કહેવાય” આવું જો તમે માનો છો તો એમ હોતે છતે તેમાંથી એ અર્થ નિષ્પન્ન થાય છે કે (વ્યંજનાવગ્રહના ૪, અર્થાવગ્રહના ૬, અને ઈહાના ૬ એમ ૧૬ મેદવાળું) મતિજ્ઞાન જ દર્શન સ્વરૂપ થશે. ૨૩ | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy