SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ કાર્ડ-૨ – ગાથા-૨૨ સન્મતિપ્રકરણ સઘળા પદાર્થોને સામાન્યપણે જાણે-દેખે છે તેથી પૂર્વકાલવાર્તા વિશેષ ધર્માશનો જે બોધ છે તે કેવલજ્ઞાન છે. અને ઉત્તરકાલવર્તી સામાન્યધર્માશનો જે બોધ છે તે કેવલદર્શન છે આમ કાલભેદે તથા વિષયભેદે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ભેદ છે તથા અવગ્રહાદિ ચારે “મતિ ઉપયોગ રૂપે” જેમ એક છે. તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ “કેવલ ઉપયોગ રૂપે એક છે અર્થાત્ અભેદ છે. આ નવા મતવાળા આચાર્યોને પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં અભેદ અવશ્ય સ્વીકાર્ય છે. પરંતુ “કેવલપણાના ઉપયોગ પણે” અભેદ છે. આમ તેઓનું માનવું અને કહેવું છે. તેમાં પૂર્વકાલવર્તી બોધ તે જ્ઞાન અને ઉત્તરકાલવતી બોધ તે દર્શન, વિશેષધર્મગ્રાહી જે બોધ તે જ્ઞાન અને સામાન્યધર્મગ્રાહી જે બોધ તે દર્શન આમ કાલભેદથી અને ગ્રાહ્ય એવા વિષયના ભેદથી કેવલમાં ભેદ પણ છે અને કેવલ ઉપયોગરૂપે અભેદ પણ છે આ રીતે ભેદસાપેક્ષ અભેદ છે. આમ તેઓનું કહેવું છે. તેથી જ તેઓ આ સમજાવવા “મતિના ઉપયોગનું” ઉદાહરણ આપે છે. / ૨૧ / ગ્રન્થકાર શ્રી સિધ્ધસેન દિવાકરસૂરિજીને અન્ય આચાર્યોનો આ મત પણ માન્ય નથી. કારણ કે તેમાં અભેદ ઔપચારિક બને છે અને ભેદ વાસ્તવિક દેખાય છે. નિરાવરણ કેવલીમાં આવું ન હોય. તે સમજાવતાં અને ઉપરોક્ત આચાર્યોના મતનું ખંડન કરતાં જણાવે છે કે दंसणपुव्वं णाणं, णाणनिमित्तं तु दंसणं णत्थि । तेण सुविणिच्छियामो, दंसणणाणाण अन्नत्तं ॥ २२ ॥ दर्शनपूर्वं ज्ञानं, ज्ञाननिमित्तं तु दर्शनं नास्ति । તેન સુવિનાશનુમ:, તનજ્ઞાનયોરન્યત્વમ્ ૨૨ | ગાથાર્થ - દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. પરંતુ જ્ઞાનપૂર્વક દર્શન ક્યાંય હોતું નથી. તેથી અમે સારી રીતે નિર્ણય જાહેર કરીએ છીએ કે પ્રસ્થમાં જ દર્શન અને જ્ઞાનમાં અન્યત્વ (ભદ) હોય છે. તે ૨૨ . | વિવેચન - જેમ મતિરૂપે ઉપયોગ એક છે અને તેમાં પૂર્વવર્તી અવગ્રહ-ઈહા પણે રહેલું જે જ્ઞાન છે. તે સામાન્યબોધ હોવાથી દર્શન છે. અને અપાય-ધારણા રૂપે જે જ્ઞાન છે એ વિશેષબોધ હોવાથી જ્ઞાન છે. આમ માનવામાં આવે છે. તેનું ઉદાહરણ આપીને જે અન્ય આચાર્યો કેવલીમાં પણ કેવલઉપયોગ રૂપે અભેદ સમજાવે છે અને સામાન્યબોધ તે કેવલદર્શન અને વિશેષબોધ તે કેવલજ્ઞાન આવો ભેદ સમજાવે છે. પણ તેમ માનવા જતાં મતિજ્ઞાનાદિની જેમ પ્રથમ દર્શન અને પછી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આવું જ માનવું પડે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy