SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૨૧ ૧૬૩ ભેદ ઘટાવે છે પણ તે મત ગ્રંથકારશ્રીને માન્ય નથી. તેથી તે મતનું ખંડન કરવા માટે પ્રથમ તે મત ટાંકતાં ગ્રન્થકારશ્રી કહે છે કે दंसणमोग्गहमेत्तं, "घडो" त्ति णिव्वण्णणा हवइ णाणं । जह एत्थ केवलाण वि, विसेसणं एत्तियं चेव ।। २१ ॥ दर्शनमवग्रहमात्रं, "घट" इति निर्वर्णना भवति ज्ञानम् । यथाऽत्र केवलयोरपि, विशेषणमेतावदेव ॥ २१ ।। ગાથાર્થ - અવગ્રહ માત્રને દર્શન કહેવાય છે અને “આ ઘટ છે” એવું નિશ્ચિતપણે જે વર્ણન, તે જ્ઞાન કહેવાય છે. જેમ અહીં (મત્યાદિમાં) છે. તેવી જ રીતે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પણ આટલી જ વિશેષતા છે. | ૨૧ / વિવેચન - વળી બીજા કેટલાક એકદેશીય આચાર્યો આ જ કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ અવશ્ય માને છે. પરંતુ કંઈક જુદી રીતે અભેદ માને છે. તેઓ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું ઉદાહરણ આપીને કેવલીના દર્શન અને જ્ઞાનમાં કથંચિ અભેદ તથા કથંચિત્ ભેદ એમ બન્ને સમજાવે છે. પરંતુ તેઓ જે રીતે ઘટાવે છે તેવો અભેદ કેવલીના દર્શન અને જ્ઞાનમાં ઘટતો નથી. તેથી તે મતનું પણ આ પ્રસંગે ખંડન કરવું છે તે માટે પહેલાં તે મત પૂર્વપક્ષ રૂપે કહે છે. મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ-ઈહા-અપાય અને ધારણાના ક્રમે જ જ્ઞાન થાય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહને ક્યારેક ક્યારેક “અવગ્રહ” સ્વરૂપે એક પણ લેવાય છે. આ પ્રમાણે “અવગ્રહ ઈહા-અપાય અને ધારણા એમ ચારેનો મળીને ઘણા લાંબા કાળ (અંતર્મુહૂર્ત) સુધી ચાલતો જે ઉપયોગ છે તેને “મતિજ્ઞાન રૂપે” એક ઉપયોગ જ કહેવાય છે. તો પણ તેમાં પ્રાથમિક જે અવગ્રહ માત્ર છે તે અસ્પષ્ટ બોધાત્મક હોવાથી દર્શન કહેવાય છે અને “આ ઘટ જ છે” આવા પ્રકારના ઘટના નિર્ણયને કહેનારો “અપાય અને ધારણા” રૂપ જે બોધ છે તે સ્પષ્ટબોધાત્મક હોવાથી જ્ઞાન કહેવાય છે. સારાંશ કે વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ આ પૂર્વકાલવ જે અસ્પષ્ણાંશ ગ્રાહી બોધ છે. તે દર્શન અને અપાયધારણા કે જે પશ્ચાત્કાલવ સ્પષ્ટશગ્રાહી બોધ છે તે જ્ઞાન કહેવાય છે. આમ ભેદ પણ છે. તથા ચારેને (અથવા પાંચને) પણ “આ પણ મતિ, આ પણ મતિ, આ પણ મતિ” આમ મતિના ઉપયોગ પણે અભેદ પણ કહેવાય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પણ આમ જ જાણવું. એમ કેટલાક આચાર્યોનું કહેવું છે. કેવલી પરમાત્મા પણ “કેવલ ઉપયોગ રૂપે” સુદીર્ઘકાલ સુધી જે એક ઉપયોગમાં વર્તે છે તેમાં જગતના સર્વે પદાર્થોને પ્રથમ વિશેષપણે જાણે દેખે છે. અને ત્યારબાદ તે જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy