________________
(૧૯) વિષયોના વાદ-વિવાદો ચર્ચેલા છે. જેથી તેનું મૂલનામ “તત્ત્વબોધવિધાયિની” હોવા છતાં બીજું નામ વાદમહાર્ણવ વધારે પ્રસિદ્ધ થયું છે. આ ટીકા સંસ્કૃત ભાષામાં છે. અનેક પ્રકારના દર્શનવાદીઓના મતોનું અને જુદા જુદા વિષયોનું ખંડન-મંડન વિસ્તારથી તર્કપૂર્વક કરવામાં આવ્યું છે. ટીકાકારશ્રીના ગુરુજી શ્રી પ્રદ્યુમ્નસૂરિજી હતા. દશમા સૈકાના ઉત્તરાર્ધમાં અને અગ્યારમા સૈકાના પૂર્વાર્ધમાં આ મહાત્મા પુરુષ થયા છે. તેમનો ચંદ્ર નામનો ગચ્છ હતો. પ્રશસ્તિમાં કહ્યું છે કે -
प्रद्युम्नसूरेः शिष्येण, तत्त्वबोधविधायिनी । તર્ચવામચન, સર્વિવૃતિઃ તા | સન્મતિની પ્રશસ્તિ शिष्योऽस्याभयदेवसूरिरभवज्जाडयान्धकारं हरन् । गोभिर्भास्करवत्परां विरचयन् भव्याप्तवर्गं मुदम् ॥ ग्रन्थो वादमहार्णवोऽस्य विदितः प्रौढप्रमेयोर्मिभृत् । दत्तेऽर्थं जिनशासनप्रवहणे सांयात्रिकाणां ध्रुवम् ॥१॥
પ્રભાવક ચરિત્રની પ્રશસ્તિમાંથી यस्याभुद् गुरुरागमे गुणनिधिः श्रीसर्वदेवाह्वयः । सूरीशोऽभयदेवसूरिरभवत् ख्यातप्रमाणेऽपि च ॥ तस्येयं सुगुरुद्वयादधिगता अल्यात्मविद्यागुणा । પ્રત્યાધ્યાય વિર મુવિ પ્રસરતુ શ્રીશાન્તિસૂઃ વૃતિ: II (ઉત્તરાધ્યયનની પ્રશસ્તિમાંથી)
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની ટીકા લખનાર શ્રી શાન્તિસૂરિજી મહારાજશ્રી તે ટીકાની પ્રશસ્તિમાં પ્રમાણની બાબતમાં અભયદેવસૂરિજીના નામની પ્રસિદ્ધિ ગાય છે. આ પ્રશસ્તિ વિ.સં. ૧૦૯૬ પહેલાં રચાયેલી છે. કારણ કે પૂજ્ય શ્રી શાન્તિસૂરિજીનો ૧૦૯૬ માં સ્વર્ગવાસ થયેલ છે. આ શ્લોક ઉત્તરાધ્યયનની ટીકાની પ્રશસ્તિમાંથી લીધો છે.
श्रीचन्द्रगच्छगगने प्रसरितमुनिमण्डलप्रभाविभवः । उदगान्नवीनमहिमा श्रीमदभयदेवसूरिरविः ॥ तार्किकागस्त्यविस्तारि सत्प्रज्ञाचुलुकैश्चिरम् । वर्धते पीयमानोऽपि येषां वादमहार्णवः ॥१॥ આ શ્લોક પ્રવચનસારોદ્ધારની વૃત્તિ કરનારા તથા તત્ત્વાર્થ સૂત્રની ટીકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org