________________
(૧૮)
દેશના પણ શ્રોતાઓને ઉપકારક થાય તે રીતે અનેકાન્તાત્મક હોય છે. છેલ્લી ૧૦| ૧૫ ગાથાઓમાં હાર્દિકભાવના સાથે ઉપદેશાત્મક શૈલીથી ઘણી માર્મિક ભિન્ન ભિન્ન ટકોર પણ કરી છે. શાસન ઉપર ભક્તિભાવ હોય તેટલા માત્રથી શાસ્રોનું જ્ઞાન આવી જતું નથી અને જ્ઞાન આવે તેટલા માત્રથી પ્રરૂપણા કરવાનો અધિકાર મળી જતો નથી.
પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ તો પોતાના રચેલા અનેક ગ્રંથોમાં સન્મતિપ્રકરણની ડગલેને પગલે સાક્ષી આપી છે. રાસમાં તો લગભગ બધા જ સ્થાને આ ગ્રંથની સાક્ષી આપી છે. બીજા પણ પૂ. હરિભદ્રસૂરિજી આદિ અનેક શાસ્ત્રકારોએ આ ગ્રંથની ઠેકાણે ઠેકાણે સાક્ષી આપી છે એટલે પ્રત્યેક શાસ્ત્રકારોના હૈયામાં આ ગ્રંથ વિષે તથા આ ગ્રંથકર્તા વિષે ઊંડી અને ઉત્તમ સુંદર છાપ પડેલી છે. તેથી આ મહાપ્રભાવક ગ્રંથ છે.
નામ અને ભાષાશૈલી
“સમ્મતિ પ્રકરણ, સમ્મતિ તર્ક, સન્મતિ પ્રકરણ અને સન્મતિ તર્ક ઈત્યાદિ ભિન્ન ભિન્ન નામો જોવા મળે છે. સમ્ ઉપસર્ગપૂર્વક મન્ ધાતુથી વિત્ત પ્રત્યય લગાડતાં સમ્મતિ નામ પણ બને છે અને સત્ શબ્દપૂર્વક મન્ ધાતુનું આ જ રૂપ કરવાથી સન્મતિ શબ્દ પણ બને છે. સમ્યક્ એવી મતિ અથવા સાચી એવી તિ આપનાર જે ગ્રંથ તે સમ્મતિ અથવા સન્મતિ કહેવાય છે. બીજો અર્થ વધારે બોધપ્રદ અને શ્રેષ્ઠ લાગે છે. તેથી સન્મતિ શબ્દ વધારે પ્રસિદ્ધ અને સાર્થક દેખાય છે. અથવા સન્મતિ શબ્દ સંસ્કૃત અને તેનું જ પ્રાકૃતમાં સમ્મજ્ઞ અથવા સમ્મતિ થયું હોય એમ પણ લાગે છે. કોઈ નિશ્ચિત એકાદ વિષયના વર્ણનવાળાને પ્રકરણ કહેવાય છે. જેમકે દંડકપ્રકરણ, સિંદુરપ્રકરણ તેમ અહીં અનેકાન્ત દૃષ્ટિનું વિશેષતઃ વર્ણન છે. તેથી તેમાં પ્રકરણ શબ્દ જોડેલો લાગે છે. તથા આ ગ્રંથમાં અકાચયુક્તિઓ પૂર્વકની તર્કશૈલી રજુ કરાઈ છે તેથી તર્કશબ્દ પણ જોડવામાં આવ્યો હોય એમ લાગે છે. ભાષાશૈલી એકદમ શુદ્ધ પ્રાકૃતભાષા છે પણ સમયસારાદિની જેમ શૌરસેની કે પૈશાચિકી ભાષાનો ઉપયોગ નથી. ગાથા બોલતાં જ અર્ધો અર્થ તો સ્ફુરાયમાન થઈ જ જાય છે.
ટીકા તથા ટીકાકારશ્રી
આ ગ્રંથ ઉપર નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજીની બનાવેલી મોટી ટીકા છે. લગભગ ૨૫૦૦૦ પચીસ હજાર શ્લોકપ્રમાણ આ ટીકા છે. તેમાં ઘણા જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org