________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૧૮
૧૫૭ તેઓએ પ્રાપ્ત કરી લીધું છે. હવે કંઈ પણ શ્રુતજ્ઞાન બાકી જ રહ્યું નથી. તેથી તો તેઓ ઉત્કૃષ્ટ મૃતધર કહેવાય છે. તેવા ઉત્કૃષ્ટ કૃતધરને શ્રુતજ્ઞાનાવરણીયનો ઉદય કેમ હોય ? તે કર્મો ઉદયમાં આવીને કયા શ્રતને ઢાંક્યું? એવી જ રીતે અલોકમાં પણ લોક જેવડા અસંખ્યાતા ખંડોમાં જો રૂપી દ્રવ્ય હોત તો જોઈ શકત એટલું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન કહ્યું છે. જેટલું કહ્યું છે તેટલું જેને થઈ ચુક્યું છે. તેવા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનવાળાને (પરમાવધિવાળાને) શું અવધિજ્ઞાનાવરણનો ઉદય હોય ? તેનાથી આવાર્ય અવધિજ્ઞાન શું? કંઈ બાકી તો છે જ નહીં, આવી જ રીતે વિપુલમતિ મન:પર્યવજ્ઞાનવાળાને, જેટલી મન:પર્યવજ્ઞાનની મર્યાદા શાસ્ત્રમાં કહી છે તેટલું સઘળું ય મન:પર્યવજ્ઞાન જેને થઈ ચુક્યું છે તેને શું મન:પર્યવજ્ઞાનાવરણનો ઉદય હોય? કંઈ બાકી તો છે જ નહી. પછી તો મન:પર્યવજ્ઞાનાવરણનો ઉદય શેને ઢાંકે? સારાંશ કે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનવાળાને, ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનવાળાને અને ઉત્કૃષ્ટ મન:પર્યવજ્ઞાનવાળાને તે તે કર્મોનો ઉદય કેમ ઘટાવવો? આવાર્ય ગુણો તો કોઈ બાકી રહ્યા જ નથી. તે તે ગુણો તો પુરેપુરા ખુલી જ ગયા છે.
ઉત્તર - આવા મહાત્મા પુરૂષોને પણ પાંચ જ્ઞાનાવરણીયનો ઉદય નિયમ હોય જ છે. આવાર્ય એવું શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સંપૂર્ણપણે પુરેપુરૂ ખુલ્યું જ નથી. જે કંઈ ખુલવાને શક્ય હતું, તેટલું જ ખુલ્યું છે. આ ચારે જ્ઞાનો સંપૂર્ણપણે ક્યારેય પણ ખુલતાં જ નથી. તેથી જ આ ચાર જ્ઞાન લાયોપથમિકભાવનાં જ શાસ્ત્રમાં કહ્યાં છે. સાયિકભાવનાં નહીં, છ વસ્થપણામાં સંપૂર્ણપણે ક્ષય ક્યારેય થતો જ નથી. અને જ્યારે બારમા ગુણઠાણાના ચરમ સમયે ક્ષય થાય છે ત્યારે નિયમાં કેવલજ્ઞાન જ થઈ જાય છે આ ચારજ્ઞાનો રહેતા જ નથી.
ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીને પણ અનાવૃત શ્રત કરતાં આવૃત શ્રુત અનંતગુણ બાકી હોય છે. ત્યાં શ્રુતજ્ઞાનાવરણનો ઉદય કામ કરે છે. જે જે અભિલાપ્યભાવો છે તેને જાણવા તે શ્રુતજ્ઞાન કહેવાય છે પરંતુ અભિલાપ્યભાવોનો અનંતમો ભાગ પરમાત્મા બોલે છે. કારણ કે તેઓ બધા જ ભાવને જાણે છે પણ તેઓનું આયુષ્ય પરિમિત છે અને વાચા ક્રમવર્તી છે તથા વળી જે બોલે છે તેનો અનંતમો ભાગ ગણધરો ઝીલે છે. જે ઝીલે છે તેનો પણ અનંતમો ભાગ સૂત્રનિબદ્ધ કરે છે. તેથી ચૌદપૂર્વના સૂત્રપાઠવાળા મહાત્માઓ સૂત્રપાઠથી સમાનબોધવાળા હોય છે. પરંતુ અર્થબોધથી તેઓમાં પણ તરતમતા અર્થાત્ ષસ્થાનપતિત હોય છે. આ રીતે ચૌદપૂર્વધરનું પણ શ્રુતજ્ઞાન, સર્વ-અભિલાપ્યભાવોના શ્રુતજ્ઞાનની અપેક્ષાએ અનંતમો ભાગ જ ખુલ્લું થયું છે અને તેટલું જ (એટલે તે અનંતમો ભાગ જ) અનાવૃત (પ્રગટ) થયેલું છે. શેષશ્રુત તો આવૃત જ છે. આવી જ રીતે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં પણ જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org