________________
૧૫૬ કાર્ડ-૨ – ગાથા-૧૮
સન્મતિપ્રકરણ કે આ કેવલી નથી. આવા પ્રકારના કેવલી પરમાત્માની તુલ્ય સભાને સંતોષ આપનારા શ્રુતાદિ જ્ઞાનવાળાને પણ ઉપચારથી કેવલી કહેવાય છે. તે શ્રુતકેવલી, અવધિકેવલી અને મન:પર્યવકેવલી એવા છઘ0 મહાત્મા પુરૂષો “ઔપચારિક કેવલી કહેવાય છે. તેઓને આશ્રયી આ સર્વે શાસ્ત્રપાઠો છે. આમ કુશળ અનુભવી એવા શાસ્ત્રજ્ઞ પુરૂષોએ અર્થ કરવો જોઈએ.
પ્રશ્ન - પ્રજ્ઞાપનાસૂત્ર અને ભગવતીજી સૂત્ર આદિમાં લખેલા ઉપરોક્ત સૂત્રપાઠીમાં યથાર્થકેવલી ન લેતાં ઔપચારિકકેવલી લેવા. એવો આશય તે તે સૂત્રકારોના હૃદયમાં હશે, તેની ખાત્રી શું? તેમાં પ્રમાણ શું? અહીં ઔપચારિક કેવલી લેવાના છે. પણ યથાર્થ કેવલી લેવાના નથી. એવું તમે કોના આધારે કહો છો ?
ઉત્તર - જો કેવલીપદનો યથાર્થકેવલી અર્થ કરીએ તો મૂલસૂત્રોના પાઠોની સંગતિ થતી નથી. પૂર્વાપર ઘણો વિરોધ આવે છે. વળી ૪ થી ૧૭ સુધીની ગાથાઓમાં કહેલા અનેક દોષો આવે છે. તે જ ખાત્રી કરાવે છે અને પ્રમાણ જણાવે છે કે તે તે સૂત્રકારોના હૈયામાં આ જ આશય છે વળી તે તે સૂત્રકારો પણ તીર્થંકરપ્રભુની આશાતનાના ભીરૂ હતા. ઉસૂત્રતાનું પાપ ન લાગે તેના ભયવાળા હતા. તેથી તે મહાપુરુષો દ્વારા નયસાપેક્ષ લખાયેલાં વચનોમાં અનુભવીએ આવા નય લગાડવા જોઈએ. નદીના કાંઠાને પણ પવિત્રતા અને શીતળતા હોવાથી જેમ નદી કહેવાય છે. ગાયના પૂતળાને પણ ગાયસરખી આકૃતિ હોવાથી જેમ ગાય કહેવાય છે. તેમાં કેટલાક છઘ0 મહાત્માઓ પણ સભાને કેવલીની તુલ્ય સંતોષ આપનારા હોવાથી કેવલી કહેવાય છે. કુમારપાલ મહારાજાના પ્રતિબોધક શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીને કલિકાલ સર્વજ્ઞ કહેવાતા જ હતા, આમ આગળ કલિકાલ શબ્દ લગાડીને જેમ સર્વજ્ઞતા ઉપચારાય છે. તેમ આગળ શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાન આવાં વિશેષણો લગાડીને પાઠમાં લખેલા “કેવલી' શબ્દને “વિશિષ્ટ” કરી શકાય છે. જો આવાં વિશેષણો લગાડીને કેવલી' શબ્દને વિશિષ્ટ ન કરો અને અવિશિષ્ટ રાખો તો પરદર્શનના વક્તવ્ય તુલ્ય વિરોધી જ ભાસે, પરંતુ આ રીતે આગળ વિશેષણ જોડીને “વિશિષ્ટ” કરાય તો કોઈ પણ જાતનો વિરોધ આવે નહી અને સર્વ વિરોધો શમી જાય - તેથી જ અનુભવી પુરૂષોએ સર્વ ઠેકાણે નયો લગાડીને સૂત્રોના મૂલપાઠોનો એવો અર્થ કરવો જોઈએ કે બીજા મૂલસૂત્રપાઠોની સાથે ક્યાંય વિરોધ ન આવે. પણ વધારે ને વધારે સંગતિ થાય.
ઉપરની ચર્ચાથી આ વાત નક્કી સિદ્ધ થાય છે કે પ્રસ્થ એવા શ્રુતકેવલી, અવધિકેવલી અને મન:પર્યવકેવલીને આશ્રયી આ સઘળા ઉપયોગમેદસૂચક પાઠો છે અને તેઓ સાવરણ હોવાથી અને પ્રસ્થ હોવાથી તેઓમાં ક્રમશર જ ઉપયોગ પ્રવર્તે છે.
પ્રશ્ન - જે ચૌદપૂર્વી હોય, પરિપૂર્ણ દ્વાદશાંગીના જાણકાર હોય, ઉત્કૃષ્ટ શ્રુતધર હોય તેઓને શું શ્રુતજ્ઞાનાવરણનો ઉદય હોય ? જેટલું શ્રુતજ્ઞાન હતું તેટલું સઘળુ ય શ્રુત જ્ઞાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org