SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ કાણ્ડ-૨ – ગાથા-૧૬-૧૭ સન્મતિપ્રકરણ અવધિજ્ઞાનથી ઘણા-દ્વીપ-સમુદ્ર સુધી જોવાની લબ્ધિ હોવા છતાં પરમાત્મા મહાવીર પ્રભુના જન્મને જાણવામાં તેનો ઉપયોગ મુક્યો હોય છે. ત્યારે ક્ષત્રિયકુંડ નગર આદિ જ જણાય છે. ૧૫૨ સારાંશ કે જે જ્ઞાનો અને જે દર્શનો અલ્પવિષયવાળાં છે, ક્ષયોપશમની સાથે આવરણીય-કર્મના ઉદયવાળાં છે. એક વિષયના ઉપયોગમાંથી બીજા વિષયના ઉપયોગમાં જવાના કારણે અંતવાળાં છે. અને કાળાન્તરે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી ક્ષય પણ પામનારાં છે. તેવાં આ ચાર જ્ઞાનો અને ત્રણ દર્શનો છે. તેથી તેમાં લબ્ધિને આશ્રયી ચઉનાણી આવો વિભાગ ઘટે છે તથા વારાફરતી જુદા જુદા વિષયને જાણે એમ ક્રમવર્તિતા પણ ઘટે છે પરંતુ સર્વજ્ઞ-સર્વદર્શી એવા કેવલી પરમાત્મામાં આવા પ્રકારનું મતિજ્ઞાનશ્રુતજ્ઞાનનું ઉદાહરણ ઘટાવવું ઉચિત નથી. કારણ કે ચારજ્ઞાન અને ત્રણ દર્શનોની જેમ અસર્વાર્થગ્રાહીતા, સાવરણતા, ક્ષયોપશમ ભાવવાળાપણું, વારાફરતી જુદા જુદા વિષયમાં ઉપયોગનું બદલાવાપણું કે તે ઉપયોગનો નાશ થઈ જવા પણું આ કંઈ જ કેવલી પરમાત્મામાં ઘટતું નથી. કારણ કે આ કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્ષાયિકભાવથી પ્રગટ થયેલાં છે. તેથી તે બન્ને સકલ છે. એટલે જાણવા-જોવા પણે પરિપૂર્ણ વિષયને સ્પર્શનારાં છે. તથા અનાવરણ છે. સંપૂર્ણ પણે આવરણ ચાલ્યું જ ગયું છે. અર્થાત્ ક્ષાયિકભાવ છે તથા અનંત છે. વારાફરતી જુદા જુદા વિષયમાં ઉપયોગ બદલાવાથી અંતવાળાં બને તેવાં નથી. હવે કદાપિ જ્ઞાનાવરણીયકર્મ બંધમાં કે ઉદયમાં આવવાનું જ નથી તેથી આ જ્ઞાન-દર્શન નાશ પામનારાં પણ નથી અર્થાત્ અક્ષય છે. અર્થાત્ આ કેવલજ્ઞાન અને કેવલદર્શન સકલ, અનાવરણ અક્ષય અને અનંત છે. મતિ આદિ છાઘસ્થિક શાનો અને દર્શનો પરિમિતવિષયવાળાં, સાવરણ, ક્ષાયોપશમિક-ભાવવાળાં અને ઉપયોગની પરાવૃત્તિએ અંતવાળાં, તથા જ્ઞાનાવરણીયના ઉદયે ક્ષય પામનારાં (ચાલ્યાં જનારાં) છે. તેથી તેમાં ક્રમવર્તીપણું પણ ઘટે, અસર્વાર્થવિષયતા પણ ઘટે, પરંતુ તેનું ઉદાહરણ આ કેવલીમાં ન જ લગાડાય. આ કેવલી ભગવાન પરિમિતવિષયને જાણનારા નથી. પણ સર્વજ્ઞ અને સર્વદર્શી છે. તેથી જ જ્ઞાનથી વિશેષ માત્રને જ જાણે છે. અને દર્શનથી સામાન્યમાત્રને જ દેખે છે આવો વ્યવહાર કેવલીમાં સંભવતો જ નથી. તથા સર્વથા નિરાવરણ છે. કેવલજ્ઞાનથી જેમ વિશેષને જાણે છે તેમ તે જ કેવલજ્ઞાનથી સામાન્યને પણ કેમ ન જાણે ? કેવલદર્શનથી જેમ સામાન્યને જુએ છે તેમ તે જ કેવલદર્શનથી વિશેષને પણ કેમ ન જુએ ? અર્થાત્ બન્નેથી બન્નેને જાણે અને બન્નેને જુએ છે આ જ પરમાર્થ છે. અને બરાબર છે. સમાનપણે અનંતવિષયવાળાં છે અને અક્ષત (ક્યારેય નહી ચાલ્યાં જનારાં) છે. તેથી છદ્મસ્થનું આવું ઉદાહરણ કેવલીમાં ઘટાડવાની ભૂલ તે આચાર્યોએ ન કરવી જોઈએ. આ ગ્રન્થના કર્તા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી છે. હંમેશાં જે કોઈ ગ્રન્થકર્તા હોય છે તે બીજાની માન્યતાઓનો પરાભવ કરીને પોતાની માન્યતાને જ વધારે તર્કસિદ્ધ અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy