________________
સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૧૫
૧૪૯ શક્તિનો સામાન્ય ધર્મ જાણવામાં થાય છે સારાંશ કે લબ્ધિથી ચારજ્ઞાનીની જેમ કેવલજ્ઞાન અને કેવલદર્શન સાથે હોય છે પણ ઉપયોગથી ક્રમવાદીની અપેક્ષાએ સમયભેદ અને વિષય ભેદ પ્રમાણે તથા સહવાદીની અપેક્ષાએ માત્ર વિષયભેદ પ્રમાણે આ જ્ઞાન અને દર્શન પ્રવર્તે છે.
આ કારણે મતિ આદિ કોઈ પણ એક જ્ઞાનના ઉપયોગવાળો જીવ લબ્ધિથી ચારે જ્ઞાનના વિષયને જાણવાની એકી સાથે શક્તિ ધરાવે છે. તેથી આવા પ્રકારની લબ્ધિની અપેક્ષાએ ચતુર્ગાની પણ કહેવાય છે. તેમ કેવલજ્ઞાની પરમાત્મા જ્ઞાનદર્શનમાંથી કોઈ પણ એકશક્તિનો વપરાશ કરતા હોવા છતાં પણ લબ્ધિથી સર્વને જાણવાની અને સર્વને જોવાની શક્તિ ધરાવે છે તેથી સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય છે. પણ અલ્પજ્ઞ કે અલ્પદશી કહેવાતા નથી. આ રીતે લબ્ધિને આશ્રયી કેવલજ્ઞાની ભગવાનમાં સાદિ-અનંતપણું, સદાકાલ જ્ઞાતાદૃષ્ટાપણું, જ્ઞાતભાષીપણું અને દૃષ્ટભાષીપણું, સદાકાલ સાકાર-નિરાકારને લબ્ધિથી જાણવાજોવાવાળાપણું આમ બધું જ ઘટી શકે છે ઉપરોક્ત તમારો કહેલ એક પણ દોષ અમને આવતો નથી. કેવલી ભગવાન લબ્ધિથી બન્ને શક્તિવાળા અને ઉપયોગથી એક શક્તિના વપરાશવાળા હોય છે. આવો બચાવ ક્રમવાદી અને સહવાદી કરે છે.
આ બચાવનું નિરસન કરતાં સિદ્ધાન્તકાર શ્રીસિદ્ધસેનજી મહારાજશ્રી કહે છે કે - મUાર પંચUTUી = છદ્મસ્થની માફક કેવલીમાં લબ્ધિ અને ઉપયોગ (અર્થાત્ શક્તિથી અને વપરાશથી) આવા બે ભેદ સંભવતા જ નથી. છદ્મસ્થ આત્મા, સાવરણ છે, ક્ષયોપશમભાવવાળો જીવ છે, સાથે ઘાતકર્મનો ઔદયિકભાવ પણ છે. તથા મતિ-શ્રુતજ્ઞાન તો મન અને બાધેન્દ્રિય સાપેક્ષ પણ છે. તેથી તેમાં ચાર જ્ઞાન લબ્ધિથી અને એક જ્ઞાન ઉપયોગથી આમ સંભવે. પરંતુ કેવલી પરમાત્મા તો નિરાવરણ છે. ક્ષાયિકમાવવાળા છે. તથા ઘાતી કર્મોના ઉદય અને સત્તા વિનાના છે. તથા બાહ્ય ઈન્દ્રિય અને મન નિરપેક્ષ જ્ઞાનવાળા છે. તેથી તેમાં આવો લબ્ધિ અને ઉપયોગનો જુદો જુદો વ્યવહાર ઘટાવવો તે યોગ્ય નથી. તથા કેવલી ભગવાન સદા ઉપયોગાત્મક જ હોય છે. તેઓને ઉપયોગ મુકવાનો હોતો જ નથી. અન્યથા = જો આમ નહી માનો અને કેવલીમાં પણ લબ્ધિ અને ઉપયોગનો વ્યવહાર ઘટાવશો તો જ્ઞાનાવરણીયકર્મની પાંચ પ્રકૃતિનો ભગવાનને ક્ષય થયેલ છે. પાંચે જ્ઞાન ઉપરનાં પાંચે આવરણો ચાલ્યાં ગયાં હોવાથી લબ્ધિથી પંચજ્ઞાની અને ઉપયોગથી કેવલજ્ઞાની એમ કહેવરાવું જોઈએ. કારણ કે લબ્ધિથી તેઓની પાસે પાંચ જ્ઞાનો પણ છે. ભલે વપરાશથી ઉપયોગમાં એક જ કેવલજ્ઞાન કામ આવતું હોય તો પણ લબ્ધિથી પંચજ્ઞાની કહેવરાવવા જોઈએ. છપ્રસ્થમાં ચારજ્ઞાની ગૌતમસ્વામી મહારાજા પધાર્યા આવું જેમ બોલાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org