SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કાષ્ઠ-૨ – ગાથા-૧૪ સન્મતિપ્રકરણ ઘટશે નહીં, પરંતુ અલ્પજ્ઞતા અને અલ્પદર્શિતા એટલે કે ફ્રિજ્ઞતા અને શિક્ઝિર્લૅર્શિતા જ ઘટશે. ત્યાં પણ શાસ્ત્રનો વિરોધ આવશે. ક્રમવાદ માનો કે સહવાદ માનો, તો પણ એક ઉપયોગમાં એક જ વિષય માનેલો હોવાથી બીજો વિષય છુટી જવાથી ઉપરના સઘળા દોષો તેઓને આવે જ છે. જ્ઞાનોપયોગકાલે સામાન્યધર્મોની અદર્શિતા અને સામાન્યોપયોગકાલે વિશેષધર્મોની અજ્ઞાતદશા થવાની આપત્તિ બન્નેને સમાનપણે દોષ રૂપે આવશે. મે ૧૩ II केवलणाणमणंतं जहेव तह दंसणं पि पण्णत्तं । सागारग्गहणाहि य णियमपरित्तं अणायारं ॥ १४ ॥ केवलज्ञानमनन्तं, यथैव तथा दर्शनमपि प्रज्ञप्तम् । साकारग्रहणाच्च नियमपरीतमनाकारम् ॥ १४ ॥ ગાથાર્થ - (વિષયને આશ્રયી) જૈનશાસ્ત્રોમાં જેમ કેવલજ્ઞાન અનંત કહ્યું છે. તેમ દર્શન પણ (તેની સમાન જ) અનંત પ્રરૂપેલું છે. પરંતુ ઉપયોગભેદ માનવાથી) સાકારગ્રહણથી અનાકારગ્રહણ નિયમાં પરિમિત વિષયવાળું જ (અલ્પવિષયવાળું જ) બનવાનું. / ૧૪ || વિવેચન - કાલને આશ્રયી કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બન્નેને સાદિ-અનંત શાસ્ત્રમાં કહ્યાં છે. ત્યાં ક્રમવાદ માનવાથી સમયાન્તરે સમયાન્તરે બન્ને ઉપયોગ થવાથી બન્ને સાદિ-સાજો થઈ જાય છે. તેથી સાદિ-અનંતનો પાઠ ક્રમવાદવાળા પક્ષમાં ઘટતો નથી. તેથી ક્રમવાદમાં તો આ દોષ આવે જ છે. પરંતુ સહવાદમાં આ દોષ આવતો નથી કારણ કે તે સહવાદી સર્વસમયોમાં કેવલજ્ઞાનની સાથે કેવલદર્શન પણ માને છે તેથી કાલને આશ્રયી સાદિ-અનંતનો પાઠ સહવાદમાં સંગત થઈ શકે છે. સાદિ-અનંતનો સૂત્રપાઠ ન ઘટવાનો દોષ સહવાદીને આવતો નથી. તેથી સહવાદી પોતે જ ક્રમવાદીને આ દોષ આપીને ગાથા ૭મીમાં પૂર્વકાલમાં પરાભવ કરતા હતા. પરંતુ જેમ કાલને આશ્રયી સાદિ-અનંત છે. તેમ વિષયને આશ્રયી પણ જૈનશાસ્ત્રોમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બન્ને અનંત (અનંતવિષયવાળાં) કહ્યાં છે અને તે પણ પરસ્પર સમાન એવા અનંત વિષયવાળાં કહ્યાં છે. એટલે કે કેવલજ્ઞાનનો જેટલો અનંતો વિષય છે તેટલો જ અનંતો વિષય કેવલદર્શનનો પણ છે. તે આ ઉપયોગ ભેદ માનવાથી ઘટતું નથી. કારણ કે ઉપયોગભેદ માનવામાં કેવલજ્ઞાનનો વિષય માત્ર વિશેષ ધર્મો જ થાય છે. અને કેવલદર્શનનો વિષય માત્ર સામાન્યધર્મો જ થાય છે. તેથી કેવલજ્ઞાનનો વિષય સાકાર ધર્મો જ માત્ર થાય છે. વિશેષધર્મો જ માત્ર થાય છે અને કેવલદર્શનનો વિષય નિરાકાર ધર્મો જ માત્ર રહે છે. સામાન્ય ધર્મો જ માત્ર રહે છે. બન્નેની વિષય મર્યાદા ભિન્ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy