________________
૧૪૫
સન્મતિપ્રકરણ
કાર્ડ-૨ – ગાથા-૧૩ ગાથાર્થ - અજ્ઞાતવસ્તુને જોતા, અને અદૃષ્ટવસ્તુને જાણતા એવા કેવલી ભગવાન શું જાણે છે? તથા શું જુએ છે અર્થાત્ કંઈ જ જાણતા નથી. કંઈ જ જોતા નથી. તથા તે સર્વજ્ઞ (અને સર્વદર્શી) છે એ વાત પણ કેમ સંભવે ? ૧૩
વિવેચન - ક્રમવાદમાં સમયભેદ છે. અને સહવાદમાં ભલે સમયભેદ નથી. પણ શાનદર્શનનો ભેદ તો અવશ્ય છે જ. એક જ સમયમાં બન્ને ઉપયોગી સાથે છે. આ રીતે બન્ને મતમાં કાલમર્યાદા ભિન્ન ભિન્ન છે. એક આચાર્ય સમયાન્તરે માને છે અને બીજા આચાર્ય એક સમયમાં માને છે. પરંતુ જ્ઞાનોપયોગ એકલા વિશેષને જાણે છે અને દર્શનોપયોગ એકલા સામાન્ય દેખે છે. આવો વિષયભેદ તો તે બન્ને મતમાં છે જ. જ્ઞાનનો વિષય માત્ર વિશેષ અને દર્શનનો વિષય માત્ર સામાન્ય. આમ બન્નેએ માનેલું છે. તેથી બન્ને મતમાં આવું માનવું પ્રાપ્ત થાય છે કે કેવલી પરમાત્મા જે અંશને (ભાગને) દેખે છે તે અંશ તેઓ વડે અજ્ઞાત છે. અને જે અંશને આ ભગવાન જાણે છે તે ભાગ આ ભગવાન વડે અદૃષ્ટ છે તેથી ભગવાન અજ્ઞાત અંશને જોનારા થયા. અને અદૃષ્ટ અંશને જાણનારા થયા. આ પ્રમાણે શેષ સમયોમાં પણ સમજવું. પોતાની ઈચ્છા હોય કે ન હોય તો પણ અજ્ઞાત અંશનું દેખાપણું અને અદૃષ્ટ અંશનું જ્ઞાતાપણું આ બન્ને માન્યતા કેવલી પરમાત્મામાં માનવાની આવીને ઉભી જ રહે છે.
હવે ખરેખર વાસ્તવિક જો આમ જ બનતું હોય તો અજ્ઞાતને જોનારા ભગવાને શું જોયું? અર્થાત્ કંઈ જ નથી જોયું, એમ જ સમજવું કારણ કે વસ્તુને જાણ્યા વિના, ઓળખ્યા વિના, પરિચય કર્યા વિના જે જોયું તે સામાન્ય વ્યવહારમાં પણ ન જોયા બરાબર છે કારણ કે કંઈ જ ઉપકાર કરનારું બનતું નથી. માટે ન જોયું જ ગણાય. તેવી જ રીતે અદૃષ્ટને જાણનારા ભગવાને શું જાણ્યું? અર્થાત્ કંઈ જ નથી જાણ્યું. એમ જ સમજવું જોઈએ. કારણ કે સર્વથા સાક્ષાત્ ન જોયેલી વસ્તુનું જાણપણું છઘ0ના જેવું અલ્પ માત્રાવાળું હોવાથી કંઈ જ વિશેષ ઉપકાર કરનારૂં થતું નથી માટે ન જાણ્યું જ ગણાય. આ રીતે અજ્ઞાતને જોનારા અને અદેખને જાણનારા ભગવાન શું જાણે છે અને શું જુએ છે ? એટલે કે કંઈ જ જાણતા નથી અને કંઈ જ જોતા નથી.
ટીકા અજ્ઞાત્તિ પથઈ ર નાના: વિં નાનાતિ વિંવા પશ્યતિ? વિઝિતિ भावः । कथं वा तस्य सर्वज्ञता भवेत् ?
તથા જ્યારે અજ્ઞાતને દેખે છે ત્યારે તે અંશ અજ્ઞાત હોવાથી સર્વજ્ઞ નથી. અને જ્યારે અષ્ટને જાણે છે ત્યારે તે અંશ અદૃષ્ટ હોવાથી સર્વદશ નથી. આવા વીતરાગ કેવલી પરમાત્મામાં (તેરમા-ચૌદમાં ગુણસ્થાનકે અને સિદ્ધ આત્મામાં) સર્વજ્ઞતા અને સર્વદર્શિતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org