________________
કાણ્ડ-૨ - ગાથા-૧૩
સન્મતિપ્રકરણ
જેમ ક્રમવાદની માન્યતામાં આ દોષ આવે છે. તે જ દોષ સહવાદની માન્યતામાં પણ આવે જ છે. કારણ કે સહવાદમાં ભલે એકસમયમાં બન્ને બોધ સાથે હોય તો પણ જ્ઞાનની અને દર્શનની પોત-પોતાની વિષયમર્યાદા ભિન્ન ભિન્ન માનેલી હોવાથી વિશેષ અને સામાન્યરૂપે બે ભાગમાં વહેંચાયેલી છે તેથી જે ભાગ (વિશેષભાગ) જ્ઞાનથી જ્ઞાત થાય છે તે ભાગ દૃષ્ટ થતો નથી. અને જે ભાગ કેવલદર્શનથી દૃષ્ટ થાય છે તે ભાગ જ્ઞાત થતો નથી એટલે સહવાદમાં પણ અદૃષ્ટને જાણનારા અને અજ્ઞાતને જોનારા કેવલી ભગવાન છે આવો અર્થ તો થશે જ.
૧૪૪
=
આ રીતે બન્ને વાદોની માન્યતાને અનુસારે કેવલી ભગવાન અદૃષ્ટને જાણનારા અને અજ્ઞાતને જ જોનારા ઠરશે. તેથી નિરાવરણ એવા આ કેવલી ભગવાન સર્વે પણ દ્રવ્યોના ત્રણેકાલના સર્વે સામાન્ય ભાવો અને સર્વે વિશેષ ભાવો એમ સર્વભાવોના જોનારા અને સર્વ ભાવોના જાણનારા છે આ શાસ્ત્રવચન ઘટતું નથી. આમ થવાથી કેવલી ભગવાન સદાકાલ અદૃષ્ટભાષી અને અજ્ઞાતભાષી જ બનવાના. જે વસ્તુને ભગવાને પ્રથમ સમયના ઉપયોગકાલે જોઈ નથી અને બીજા સમયના ઉપયોગકાલે જાણી નથી એવા ભગવાન થયા. અને કેવલીભગવાન જેવું સૌથી મોટું બીરુદ તેઓ ધરાવે છે. તે ભગવાન તે વસ્તુને જગતના જીવોને સમજાવવા માટે વવવિયો = વચનવિકલ્પ વાણી ફરમાવવાનો વ્યવહાર જે કરે છે. તે કેમ કરે ? અર્થાત્ આવો વચનવ્યવહાર સંભવતો જ નથી. સામાન્ય યોગી મહાત્માઓ પણ ન જાણેલું અને ન જોયેલું “ખોટું બોલાઈ જશે” એવા ભયથી બોલતા નથી, કોઈને સમજાવતા નથી તો આવા પ્રકારના મહાબિરુદવાળા (અર્થાત્ સર્વોપરિ થયેલા અને નિરાવરણ થયેલા મહાત્મા પુરૂષ) ન દેખેલુ અને ન જાણેલુ કેમ બોલે ? અર્થાત્ ન જ બોલે. તેથી તેમનામાં વાણી પ્રકાશવાનો વ્યવહાર સંભવરા જ નહીં. આ વિષયનો વિચાર ક્રમવાદ અને સહવાદ માનનારા આચાર્યોએ કરવો જોઈતો હતો. કારણ કે બન્નેના મતમાં આ દોષ તો આવે જ છે કે જ્ઞાનના વિષયને એટલે વિશેષને જાણે છે પણ દેખતા નથી. અને દર્શનના વિષયને એટલે સામાન્યને દેખે છે પણ જાણતા નથી.
ટીકા - અદૃષ્ટમેવ જ્ઞાતં ખાત્યન્યસ્તિીિજ્ઞાનવત્, અજ્ઞાતમેવ ચ દૃષ્ટમજાત વર્ણનવત્
।। ૨ ।।
अण्णायं पासंतो, अद्दिनं च अरहा वियाणंतो ।
વિં નાળજ્ઞ, વિં પાસફ, જ્જ સવ્વષ્ણુ ત્તિ વા હોડ્।। ૧૨ ।।
अज्ञातं पश्यन्, अदृष्टञ्चार्हन् विजानन् ।
િનાનાતિ, િપયંતિ, થં સર્વજ્ઞ કૃતિ વા મત ।। oરૂ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org