________________
૧૪૨ કાર્ડ-૨ – ગાથા-૧૧
સન્મતિપ્રકરણ નથી સર્વથા અજ્ઞાની અને અદર્શની જ છે. આવો જ અર્થ થશે. આ દોષ પણ તમને આવશે. કારણ કે દર્શનાવરણીયનો ક્ષય થયેલો હોવા છતાં જો પ્રથમસમયમાં સામાન્યને ન જાણે તો જ્ઞાનાવરણીયનો ક્ષય હોવા છતાં વિશેષને પણ ન જ જાણે તેવી જ રીતે શેષસમયોમાં પણ કંઈ ન જ જાણે અને કંઈ જ ન દેખે તેથી સર્વથા અજ્ઞાની અને અદર્શની જ ઠરશે.
તથા વળી ક્રમવાદ હોય કે ભલે સહવાદ હોય પણ બન્નેની માન્યતામાં ઉપયોગનો ભેદ સ્વીકારેલો હોવાથી તેઓએ આટલું તો માનવું જ પડે છે કે કેવલજ્ઞાનનો વિષય માત્ર વિશેષ જ છે. અને કેવલ દર્શનનો વિષય માત્ર સામાન્ય જ છે. એકનો પણ સર્વ વિષય નથી આમ માનવાથી જેમ મતિજ્ઞાન ઇન્દ્રિયાર્થ વિષય માત્રને જ જાણે, શ્રુતજ્ઞાન જેમ શાસ્ત્રીયભાવોને જ માત્ર જાણે, અવધિજ્ઞાન રૂપી દ્રવ્યવિષયક જ માત્ર હોય, અને મન:પર્યવજ્ઞાન જેમ માનસિકભાવોને જ માત્ર જાણે અર્થાત્ અમુક અમુક નિયતવિષયગ્રાહી હોવાથી પરિમિત ગ્રાહી છે. આ ચાર જ્ઞાનો જેમ સર્વ વિષયને જાણનારાં બનતાં નથી. તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ પોતપોતાના નિયતવિષયને જ જાણનારા હોવાથી સર્વવિષયમાંથી અમુક અમુક અંશના જ ગ્રાહક બનશે. અને તે બન્ને વાદીઓએ આવું માન્યું છે. એટલે જ્ઞાનોપયોગ . હોય કે દર્શનોપયોગ હોય, પણ તે બન્નેમાંનો કોઈ પણ એક ઉપયોગ સર્વગ્રાહક ન થવાથી “સર્વજ્ઞ-સર્વદશી” પણું તેઓના મતે ભગવાનમાં ઘટશે નહીં. આ દોષ પણ આવશે.
આ રીતે પ્રથમ સમયે જો માત્ર સાકાર જ જાણે તો નિરાવરણતા સમાન હોવાથી સર્વસમયોમાં સાકાર માત્રને જ જાણનારા બનશે. અથવા પ્રથમ સમયે દર્શનાવરણીયનો ક્ષય હોવા છતાં સામાન્યને નથી જાણતા તો તેની જેમ જ ત્યાં જ્ઞાનાવરણીયનો ક્ષય હોવા છતાં વિશેષને પણ ન જાણે આવો અર્થ પણ થશે. તેથી કંઈ ન જાણે આવું માનવું પડશે. અથવા એક અંશને જાણે અને બીજા અંશને ન જાણે તેથી અલ્પજ્ઞ અને અલ્પદર્દીપણું થશે પરંતુ સર્વજ્ઞ અને સર્વદર્શીપણું ઘટશે નહીં. આવા ઘણા દોષો આ બન્નેને આવશે. તેથી સર્વને જાણે અને સર્વને દેખે આવો અર્થ કરવો જોઈએ. / ૧૦.
परिशुद्धं सायारं, अवियत्तं दंसणं अणायारं ।। ण य खीणावरणिज्जे, जुज्जइ सुवियत्तमवियत्तं ॥ ११ ॥ परिशुद्धं साकारं, अव्यक्तं दर्शनमनाकारम् । न च क्षीणावरणीये, युज्यते सुव्यक्तमव्यक्तम् ॥ ११ ॥
ગાથાર્થ - સાકાર એવો જે બોધ છે તે પરિશુદ્ધ છે એટલે કે વ્યક્તબોધ-સ્પષ્ટબોધ છે અને અનાકાર એવો જે દર્શનાત્મકબોધ છે તે અવ્યક્તબોધ છે પરંતુ ક્ષીણ આવરણવાળા કેવલી પરમાત્મામાં અમુક બોધ સુવ્યક્ત હોય, અને અમુક બોધ અવ્યક્ત હોય આવો ભેદ ઘટી શકતો નથી. // ૧૧ ||.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org