SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૨ – ગાથા-૧૦ આવું જો તમે (ક્રમવાદી અને સહવાદી) બન્ને માનો જ છો તો તેનાથી જ કેવલી ભગવાન કેવલજ્ઞાનની ઉત્પત્તિના પ્રથમ સમયે જ સર્વવસ્તુને સાકારપણે (વિશેષોપયોગપણે) એક સમયમાં જાણી લે છે. અને નિરાકારપણે જોઈ પણ લે છે. આવો અર્થ થશે. તો બીજા-ત્રીજાચોથા-પાંચમા આદિ શેષ સમયોમાં પણ એ જ સર્વવસ્તુને આ ભગવાન સાકારપણે જાણનારા પણ રહે છે. અને નિરાકારપણે જોનારા પણ રહે છે. આમ જ માનવું યોગ્ય છે. કારણ કે સાકારપણે સર્વવસ્તુને જાણવામાં પ્રતિબંધકતત્ત્વ જ્ઞાનાવરણીય કર્મ અને નિરાકારપણે જોવામાં દર્શનાવરણીય કર્મ જે પહેલાં હતું તે હવે આડુ આવવાનું જ નથી. કારણ કે તે છે જ નહીં અને ભાવિમાં આવવાનું પણ નથી જ. તેથી જો પ્રથમ સમયે સાકારોપયોગપણે સર્વવસ્તુને જાણી લે છે અને જોઈ લે છે. તો સર્વસમયોમાં પણ તેમ જ જાણે, એટલે કે સર્વસમયોમાં બન્ને આવરણોનો ક્ષય સમાન હોવાથી સર્વસમયમાં સર્વવસ્તુને સાકારપણે (વિશેષાત્મકપણે) જાણે છે. અને તે જ સર્વવસ્તુને નિરાકારપણે (સામાન્યાત્મકપણે) દેખે છે. આવો જ અર્થ થશે. પણ સમયાન્તરે જાણે અને સમયાન્તરે દેખે એવો અર્થ પણ નહીં સંભવે તથા એક સમયમાં પણ માત્ર વિશેષને જ જાણે અને સામાન્યને જ દેખે એવો અર્થ પણ નહીં ઘટે. કહેવાનો આશય એવો છે કે કેવલજ્ઞાનની ઉત્પત્તિના પ્રથમ સમયે જ બન્ને આવરણોનો ક્ષય સમાન જ છે. તેથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી જેમ સર્વજ્ઞયવસ્તુઓને સાકારપણે જાણે છે તેમ દર્શનાવરણીયકર્મનો પણ ક્ષય હોવાથી સર્વજ્ઞયવસ્તુઓને સામાન્યપણે દેખે જ છે. અને ત્યારબાદના સર્વસમયોમાં પણ તેમ જ જાણે દેખે છે. તેથી ક્રમવાદ કે સહવાદ સંભવતો જ નથી. વ = અથવા પ્રથમ સમયમાં જ દર્શનાવરણીયકર્મનો પણ ક્ષય થયેલો હોવા છતાં તમે વિશેષોપયોગ જ માનેલો હોવાથી સર્વવસ્તુઓનો સામાન્યપણે બોધ થતો નથી એમ તમે માનો છો. તેથી તેની જેમ જ પ્રથમસમયમાં જ જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષય થયેલો હોવા છતાં એ જ સર્વવસ્તુઓનો વિશેષપણે પણ બોધ ન થાય. આવું બનવાની પણ આપત્તિ આવશે. કારણ કે દર્શનાવરણીયનો ક્ષય હોવા છતાં જો સામાન્ય બોધ થતો નથી તો જ્ઞાનાવરણીયનો ક્ષય હોવા છતાં વિશેષનો બોધ પણ કેમ થાય? ન્યાય તો બન્ને માટે સમાન જ પ્રવર્તે. તેથી સામાન્યબોધ જેમ ન થાય તેમ વિશેષ બોધ પણ નહી થાય તેથી આ ભગવાન “સળં યા " = સર્વને ન જાણનારા અને સર્વને ન જોનારા બનશે. બીજા આદિ સમયોમાં પણ બન્ને કર્મોનો ક્ષય હોવા છતાં જો એક વિષયને ન જાણે તો બીજા વિષયને પણ ન જ જાણે. તેથી કોઈ પણ સમયોમાં આ ભગવાન કંઈ પણ જાણતા નથી અને જોતા ૧૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy