SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૯ ૧૩૯ અમેદવાદીની ઉપરોક્ત વાત સાંભળીને મનમાં ફુલાશે કે સારું થયું કે અમેદવાદીએ ક્રમવાદીને મુંઝવણમાં મુક્યા. મારો વિજય થવામાં આ વાત પુષ્ટિ કરનારી બનશે. અમે બન્ને (સહવાદી અને અભેદવાદી) સાથે મળીને ક્રમવાદીનો પુરેપુરો પરાભવ કરીશું. આવો તે હર્ષઘેલો થાય છે. તેટલામાં જ હવે આ અભેદવાદી આચાર્યશ્રી એકલા સહવાદીની સામે બીજો પ્રશ્ન કરે છે કે - સમં ૩પ્પા, દ્રિકુઈ ત્નિ ૩વો = હે સહવાદી ! તારી માન્યતામાં ક્રમવાદીના જેવી મુશ્કેલી તને નથી. પરંતુ તેથી તું અહંભાવમાં ન આવતો, તારી માન્યતા પણ દોષથી ભરેલી જ છે. જો બન્નેનો ઉત્પાદ સાથે માનશો તો શાસ્ત્રોમાં દર્શન અને જ્ઞાનના ઉપયોગો એકી સાથે કહ્યા નથી. એકી સાથે બે ઉપયોગો ન જ હોય એમ કહ્યું છે. એટલે તને પણ આ સૂત્રપાઠના ઉલ્લંઘનનો દોષ તો લાગશે જ. માટે તારે ગર્વિષ્ટ થવા જેવું નથી. ચાલ આ પ્રશ્નનો ઉત્તર આપ. આ પ્રમાણે અમેદવાદી સિદ્ધાન્તકાર દિવાકરસૂરિજી આ ગાથામાં બે પ્રશ્નો પૂછવા વડે બન્ને વાદીઓનો પરાભવ કરે છે. ટીકામાં કહ્યું છે કે - સામાચવિશેષ પરિચ્છેવિરVIITને સમાને વચ્ચે પ્રથમતરमुत्पादो भवेत् ? अन्यतरस्योत्पादे तदितरस्याप्युत्पादः स्यात्, न चेदन्यतरस्यापि न स्यादविशेषात्, इत्युभयोरप्यभावप्रसक्तिः । अक्रमोपयोगवादिनः कथमिति चेत्-समम् = एककालम् उत्पादस्तयोर्भवेत् सत्यक्रमकारणे कार्यस्याप्यक्रमस्य भावादित्यक्रमौ उपयोगौ । अत्रैकोपयोगवाद्याह - हंदि “दुवे णत्थि उवओगा" इति द्वावप्युपयोगौ नैकदेति ज्ञायताम् सामान्यविशेषपरिच्छेदात्मकत्वात् केवलस्येति । સિદ્ધાન્તકાર અભેદવાદીનું કથન એવું છે કે નથી ક્રમશર ઉપયોગવાદ કે નથી એકસમયમાં ઉપયોગભેદ. પરંતુ કેવલી અવસ્થામાં એક જ ચેતનાશક્તિ નિરાવરણ થવાથી સર્વને જાણે છે અને સર્વને દેખે છે. આમ જાણવાની અને જોવાની ક્રિયાની દ્વિવિધતાના કારણે એક જ શક્તિનાં બે નામો છે જેમ એક જ માણસ ભણાવતો પણ હોય અને અવસરે પરીક્ષા પણ લેતો હોય તો એક જ માણસમાં ક્રિયાની વિવિધતાને લીધે અધ્યાપક અને પરીક્ષક એમ બન્ને કહેવાય છે. તેમ અહીં પણ આત્માની એક જ ચેતનાશક્તિ સામાન્યવિશેષ એમ ઉભયને અર્થાત્ સર્વને વિષય કરે છે. ફક્ત જાણવા-જોવાની ક્રિયા બે પ્રકારની હોવાથી એક જ શક્તિનાં બે નામ છે. દર્શન અને જ્ઞાન જેવો ભેદ કેવલી ભગવાનમાં હોતો જ નથી. અભેદ જ હોય છે. પહેલાં સામાન્ય ઉપયોગ અને પછી વિશેષ ઉપયોગ, કે પહેલાં વિશેષ ઉપયોગ અને પછી સામાન્ય ઉપયોગ, કે ભિન્ન ભિન્ન એવા બે ઉપયોગોનું એક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy