________________
૧૩૮ કાર્ડ-૨ – ગાથા-૯
સન્મતિપ્રકરણ કેવલદર્શનમાંથી પ્રથમ ઉત્પાદ કોનો થાય? બે તપેલી ઉપરનાં બન્ને ઢાંકણ એકી સાથે જો લઈ લેવામાં આવે તો કહો કઈ તપેલી પહેલી ઉઘડેલી થાય ? પ્રગટ થતા એવા ઉઘાડને રોકનારૂં કોઈ પ્રતિબંધક તત્ત્વ તો છે જ નહીં. આમ બન્ને માટે “પ્રતિબંધકાભાવ” સમાન હોવાથી પ્રથમ ઉત્પાદકોનો માનશો? કોઈ એકના ઉત્પાદ માનવા માટેનું ઉત્તેજકતત્ત્વ હોય તો તો એકનો ઉત્પાદ થવા દે અને બીજાનો રોકે પરંતુ એમ નથી. કારણ કે ત્યાં કોઈ ઉત્તેજક તત્ત્વ પણ નથી. અને પ્રતિબંધક તત્ત્વ પણ નથી. તેથી ઉત્તેજકાભાવ વિશિષ્ટ પ્રતિબંધકાભાવ હોવાથી બન્નેનો ઉત્પાદ સંભવી શકે છે. કહો કે જ્ઞાન-દર્શનમાંથી તેમાં પ્રથમ ઉત્પાદ કોનો કહેશો?
પ્રથમ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય અને પછી જ સમયાન્તરે કેવલદર્શન ઉત્પન્ન થાય આવો ઉત્તર આપવા માટે ક્રમવાદી પાસે કોઈ જ પ્રબળ કારણ નથી. છતાં આગ્રહમાત્રથી જો પોતાની વાતને વળગી જ રહે તો તેમની જ સામે કોઈ પ્રતિપક્ષી જો એમ કહે કે ના-ના પહેલું તો કેવળદર્શન જ થાય પછી જ સમયાન્તરે કેવલજ્ઞાન થાય આવું કહેતા પોતાના પ્રતિપક્ષીને તે અટકાવી શકશે નહીં. કારણ કે પોતાની વાતની સિદ્ધિ માટે પોતાની જ પાસે તેની સામે પ્રતિકાર કરે તેવી પ્રબળ યુક્તિ કોઈ નથી. કે જેથી પ્રતિપક્ષીનો તે પ્રતિકાર કેમ કરી શકે ?
સર્વે લબ્ધિઓ સાકારોપયોગે જ થાય” આવી યુક્તિ કદાચ ક્રમવાદી આપે તો તે પણ યુક્તિ બરાબર નથી. કારણ કે કેવલજ્ઞાન એ જો લબ્ધિ વિશેષ છે તો કેવલદર્શન પણ એક લબ્ધિવિશેષ જ છે. તથા લબ્ધિવિશેષની પ્રાપ્તિકાલે વિશિષ્ટ સાવધાનદશા જરૂરી છે એમ જો કહો તો અસાવધાન અવસ્થાવાળાને સાવધાનતાની જરૂર રહે છે. આ તો કેવલી હોવાથી સદા સાવધાન જ છે કારણ કે ઉજાગરદશાવાળા જ છે. તેથી લબ્ધિની પ્રાપ્તિ સમયે સાકારોપયોગ જ હોય છે. આ વિધાન છઘ0ને આશ્રયી જ છે. કેવલીને આશ્રયીને નથી. કારણ કે છદ્મસ્થ જ સાવધાન અને અસાવધાન એમ બન્ને હોઈ શકે છે તેથી લબ્ધિની પ્રાપ્તિકાલે તેવા જીવને સાવધાનતાની જરૂરિયાત છે. કેવલીને આવા ભાવો સ્પર્શતા જ નથી કે લબ્ધિપ્રાપ્તિના કાલે સાકારોપયોગવંત કહેવા પડે. માટે કહો કે શું કારણ કે એકનો ઉત્પાદ થાય અને બીજાનો ઉત્પાદ ન થાય ? અને જેનો ઉત્પાદ થાય એમ કહો તો તેનો જ ઉત્પાદ થાય અને અન્યનો ન થાય, આનું કારણ શું ?
અમેદવાદી સિદ્ધાન્તકાર શ્રી સિદ્ધસેનજીના ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર ક્રમવાદી પાસે તો નથી જ. અને સહવાદીને આ પ્રશ્નનો ઉત્તર આપવાનો રહેતો જ નથી. કારણ કે તે કોઈ એકનો પ્રથમ ઉત્પાદ થાય એવું માનતા જ નથી. તે તો બન્નેનો સાથે જ ઉત્પાદ માને છે. તેથી આ પ્રશ્ન ક્રમવાદીને મુંઝવનાર છે અને સહવાદીને હર્ષઘેલો કરનાર છે. કારણ કે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org