________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૯
૧૩૭ એક હોય અને બીજું ન હોય તે ઘટે નહીં. વળી બીજી વાત એ છે કે આમ માનવાથી બન્ને ઉપયોગો છેલ્લે સાદિ-સાત્ત જ ઠરવાના. જ્યારે શાસ્ત્રોમાં સાદિ-અનંત કહ્યા છે. એટલે સૂત્રપાઠનો વિરોધ પણ ઉભો જ રહેવાનો, તથા સૂત્રમાં સાદિ-અનંત કહ્યાં હોય અને આપણે ક્રમવાદ આગળ કરીને સાદિ-સાન્ત માનીએ તો તીર્થંકર પ્રભુની આશાતનાનો ભય પણ ઉભો જ રહે છે તેથી જો આ સઘળા દોષમાંથી બચવું જ હોય તો વિના વિલંબે ક્રમવાદ ત્યજીને અમારો કહેલો સહવાદ સ્વીકારી લેવો જોઈએ. બારમા ગુણઠાણાના ચરમસમયે જેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થયો છે. તેમ દર્શનાવરણીય કર્મનો પણ ક્ષય થયેલો જ છે. તેથી તેરમા ગુણઠાણાના પ્રથમસમયે જેમ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. તેમ તેની સાથે જ કેવલદર્શન પણ પ્રગટ થાય જ છે. તેથી સહવાદ જ બરાબર ઉચિત છે. આ પ્રમાણે ક્રમવાદી અને સહવાદીનો વાદવિવાદ ચાલે છે ત્યારે ત્રીજા નંબરે રહેલા અમેદવાદી એવા સિદ્ધાન્તકાર પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મૌન રાખીને દૂર બેઠા બેઠા સાંભળે છે. હવે પછીની ગાથામાં તેઓ મુખ ખોલે છે અને ક્રમવાદી તથા સહવાદી એમ બન્નેને કહે છે. બન્નેની વાતને દોષિત સિદ્ધ કરે છે. બન્નેની સામે ત્રીજા વાદી હવે આવે છે.
ટીકામાં કહ્યું છે કે - મીત્યારે સત વનને 7 તા જ્ઞાન સંભવસ્તથી केवलज्ञाने न दर्शनस्य, तस्मात् सनिधने केवलज्ञानदर्शने ॥ ८ ।।
સિદ્ધાન્તકારની બન્ને વાદીઓ પ્રત્યે દલીલ - दंसणणाणावरणक्खए समाणम्मि कस्स पुव्वअरं । होज समं उप्पाओ, हंदि दुए णत्थि उवओगा ।। ९ ॥ दर्शनज्ञानावरणक्षये, समाने कस्य पूर्वतरम् । भवेत् सममुत्पादो, हन्दि द्वौ न स्त उपयोगी ॥ ९ ॥
ગાથાર્થ - કેવલદર્શનાવરણ અને કેવલજ્ઞાનાવરણ આ બન્નેનો ક્ષય એકી સાથે સમાન હોતે છતે કહો પહેલો ઉત્પાદ કોનો થશે ? જો બન્નેનો સાથે ઉત્પાદ કહેશો તો એક સમયમાં બે ઉપયોગો હોતા નથી. | ૯ ||
વિવેચન - ક્રમવાદી અને સહવાદી એમ બન્નેની સામે અત્યાર સુધી મૌન રાખીને તેઓના વાદને બરાબર સાંભળનારા એવા અમેદવાદી દિવાકરજી પોતે જ હવે મુખ ખોલીને બોલી ઉઠે છે કે હે ભાઈઓ ! જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મ એમ બન્ને કર્મોનો (સર્વ ઘાતકર્મોનોક્ષય બારમા ગુણઠાણાના ચરમ સમયે એકી સાથે જ થાય છે. તો હું તમને બન્નેને પ્રશ્ન કરું છું કે કહો બન્ને આવરણોનો ક્ષય થતાંની સાથે જ કેવલજ્ઞાન અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org