SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૨ - ગાથા-૬ ૧૩૩ બારમા ગુણસ્થાનકના ચરમસમયે જેવું કેવલજ્ઞાનાવરણીય કર્મ ક્ષય પામે છે. અને તેનાથી તેરમે ગુણઠાણે કેવલજ્ઞાન જો પ્રગટ થાય છે. તો તેવી જ રીતે ત્યાં જ કેવલદર્શનાવરણીય કર્મ પણ ક્ષય પામ્યું જ છે. તો તે જ આત્માને ત્યાં જ કેવલદર્શન પણ થવું જ ઘટે છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ કેવલજ્ઞાનાવરણીયકર્મનો ક્ષય છે અને તે કારણ ત્યાં વિદ્યમાન છે. તેથી તે કાર્ય ત્યાં થાય છે. તો પછી તેવી જ રીતે કેવલદર્શનની પ્રાપ્તિનું કારણ પણ કેવલદર્શનાવરણીયકર્મનો ક્ષય જ છે અને તે કારણ પણ ત્યાં વિદ્યમાન જ છે. તેથી તે કાર્ય પણ ત્યાં થવું જ જોઈએ. શા માટે કેવલજ્ઞાનની પ્રાપ્તિના સમયે કેવલદર્શન ન થાય ? અને સમયાન્તરે થાય ? પ્રતિબંધકતત્ત્વ તો કોઈ છે જ નહીં, તો શા માટે સમયભેદ માનવો ? ટીકામાં કહ્યું છે કે - વતજ્ઞાનાવરળક્ષયે યથોત્પન્ન વિશેષાવવોધસ્વભાવ જ્ઞાનં, તથા तदैव दर्शनावरणे क्षये सति सामान्यपरिच्छेदस्वभावं दर्शनमपि उत्पद्यताम्, न हि अविकल कारणे सति कार्यानुत्पत्तिर्युक्ता । આ સંસારમાં સૂર્ય પ્રકાશ અને તાપ (ગરમી) આપવાનું કાર્ય સાથે જ કરે છે. પણ જો તેના ઉપર વાદળોની ગીચતાનું ગાઢ આવરણ આવી જાય છે તો તે સૂર્ય નથી પ્રકાશ આપતો કે નથી તાપ આપતો, પરંતુ જ્યારે તેના ઉપરનું વાદળોની ગીચતાનું આવરણ દૂર થઈ જાય છે. તો તે સૂર્ય પ્રકાશ આપે અને તાપ ન આપે કે તાપ આપે અને પ્રકાશ ન આપે આવું બનતું નથી પણ એકી સાથે બન્ને આપે જ છે. તેવી રીતે આત્માની આ ચેતનાશક્તિ વસ્તુતત્ત્વ જાણવા અને જોવામાં સૂર્યસમાન છે. આવરણ જ્યાં સુધી હતું ત્યાં સુધી સર્વ વસ્તુને જાણવાનું કે જોવાનું એમ એકે કાર્ય ચેતનાશક્તિ કરતી ન હતી. પરંતુ જ્યારે આવરણ ખસી જ ગયું છે. તો પછી જાણવાનું કામ કરે અને જોવાનું કામ ન કરે અથવા જોવાનું કામ કરે અને જાણવાનું કામ ન કરે આવું કેમ બને ? એટલે કે બન્ને આવરણોનો એકી સાથે ક્ષય થતો હોવાથી બન્ને ગુણો કેવલજ્ઞાનની પ્રાપ્તિના પ્રથમ સમયથી સાથે જ હોવા જોઈએ. સમયાન્તરે થાય આ વાત બરાબર નથી. ન સાક્ષીભૂત સૂત્રપાઠના આલંબનનું મજબૂત કારણ ક્રમવાદી પાસે છે. અને આવરણીયકર્મોના ક્ષયની સહવર્તિતાનું મજબૂત કારણ સહવાદી પાસે છે. બન્ને વાદીઓ પાસે ઘણાં મજબૂત કારણો છે. તેથી આ ચર્ચા આગળ વધે છે. ॥ ૫ ॥ સહવાદીની ઉપરોક્ત દલીલની સાથે સહવાદી બીજી દલીલ પણ જણાવે છે. भण्णइ, खीणावरणे जह मइणाणं जिणे न संभवइ । तह खीणावरणिजे विसेसओ दंसणं नत्थि ॥ ६ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy