________________
૧૩૧
સન્મતિપ્રકરણ
કાડ-૨ – ગાથા-૪ "केवली णं भंते, इमं रयणप्पभं पूढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिलैंतेहिं वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहिं जं समयं जाणति, तं समयं पासइ ? जं समयं पासइ तं समयं ગાડું ?'
गोयमा, नो तिणढे समढे ।
"से केणट्टेणं भंते ! एवं वुच्चति-केवली णं इमं रयणप्पभं पूढविं आगारेहिं जं समयं जाणति, नो तं समयं पासति, जं समयं पासति, नो तं समयं जाणति ?"
गोयमा, सागारे से णाणे भवति, अणागारे से दंसणे भवति, से तेणढेणं जाव णो तं समयं जाणति, एवं जाव अहे सत्तमं । एवं सोहम्मकप्पं जाव अच्चुयं गेविजविमाणा अणुत्तरविमाणा इसीपब्भारं पूढविं परमाणुपोग्गलं दुपएसियं खंधं जाव अणंतपएसियं खंधं ।'
સૂત્રપાઠનો અર્થ - હે ભગવાન ! કેવલી ભગવાન આ રત્નપ્રભા નામની પ્રથમ નારકીને આકાર, હેતુ, ઉપમા, ઉદાહરણ, વર્ણ, સંસ્થાન, પ્રમાણ અને પ્રત્યવતાર (આવા પ્રકારનાં બીજાં અનેક પેટા દ્વારા) વડે જે સમયે જાણે છે તે સમયે શું જુએ છે ? અને જે સમયે જુએ છે તે સમયે શું જાણે છે ?
હે ગૌતમ ! તે આ અર્થ સમર્થ (સાચો અર્થ) નથી.
હે ભગવાન ! કયા પ્રયોજનથી આપ એમ કહો છો કે કેવલી ભગવાન આ રત્નપ્રભા પૃથ્વીને આકાર આદિ (તારા) વડે જે સમયે જાણે છે તે સમયે જોતા નથી. અને જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી. (આ વિધાનનું કારણ સમજાવો).
હે ગૌતમ ! જે સાકારોપયોગ છે તે જ્ઞાન કહેવાય છે અને જે નિરાકારોપયોગ છે તે દર્શન કહેવાય છે. (આમ સાકાર નિરાકાર અવસ્થા ભિન્ન ભિન્ન હોવાથી) તે અર્થથી એમ કહેવાય છે કે જે સમયે જાણે છે તે સમયે જોતા નથી અને જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી. ત્યાં સુધીના પાઠનો અર્થ જાણવો.
આ પ્રમાણે યાવત્ સાતમી નારક પૃથ્વી, એમ સૌધર્મકલ્પથી યાવત્ અશ્રુત દેવલોક, રૈવેયક વિમાન, અનુત્તર વિમાન, ઈષધ્ધાશ્મારા પૃથ્વી સુધી, તથા પરમાણુ અને દ્વિપ્રાદેશિક સ્કંધથી માંડીને અનંતપ્રાદેશિક સ્કંધ સુધી જાણે પણ ના દેખે, તથા દેખે પણ ન જાણે આમ સમજી લેવું.
૧. આ પાઠ પન્નવણા સૂત્ર ૩૦, પશ્યતા દ્વાર સૂત્ર ૧૮ ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ભાગ-૩ પાના નં. ૨૭૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org