SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૪ ૧૨૯ ગાથાર્થ - કેવલ સૂત્રપાઠનું જ અવલંબન લેનારા અને તે સૂત્રપાઠ પ્રમાણે અર્થ કરવામાં થતી તીર્થંકર પરમાત્માની આશાતનાથી નહી ડરનારા કેટલાક આચાર્યો એમ કહે છે કે જિનેશ્વર પ્રભુ (કેવલી પ્રભુ) જ્યારે જાણે છે ત્યારે જોતા નથી. (અને જ્યારે જુએ છે ત્યારે જાણતા નથી.). / ૪ || વિવેચન - ગ્રન્થકારશ્રી પોતાના વિચારો સાથે અસમ્મત એવા અન્ય આચાર્યોની વાત સાથે ચર્ચા કરવા માટે “ મuત' આ પદથી પ્રથમ અન્ય આચાર્યોનું કથન અહીંથી શરૂ કરે છે. તે કાલે અને તે સમયે કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગની બાબતમાં ત્રણ પ્રકારના મતો પ્રવર્તતા હતા એમ આ બધી ગાથાઓ અને તેની ચર્ચા જોતાં લાગે છે. (૧) એક મત એવો હતો કે પ્રથમ સમયે જ્ઞાનોપયોગ, બીજા સમયે દર્શનોપયોગ, ત્રીજા સમયે જ્ઞાનોપયોગ, ચોથા સમયે દર્શનોપયોગ, આ માન્યતાને ક્રમોપયોગવાદ કહેવાય છે. આ માન્યતામાં મુખ્ય આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી હતા. વિશેષાવશ્યક ભાષ્ય તથા વિશેષણવતી આદિ ગ્રન્થોમાં પોતાની આ માન્યતા તેઓએ કહેલી છે. આ માન્યતા માનવામાં તેઓને સૂત્રપાઠનું (આગમપાઠનું) આલંબન પ્રધાન કારણ છે પ્રજ્ઞાપના આદિ આગમમાં આવો સાક્ષી પાઠ છે. તે પાઠ હોવા છતાં ક્રમોપયોગવાદ ન માનવો, અથવા આ પાઠનો આડો અવળો અર્થ કરવો, તેમાં તીર્થંકર પરમાત્માની આશાતના થાય આવો ભય તેઓને છે તેથી ઉપરની માન્યતા તેઓ ધરાવે છે. ગ્રન્થકારશ્રી સિદ્ધસેન દિવકારસૂરિજીએ મૂલ ગાથાના ઉત્તરાર્ધમાં સૂત્રનું જ અવલંબન લેનારા, અને તીર્થંકર પ્રભુની આશાતનાથી ભયભીત આવા પ્રકારનો જે શબ્દપ્રયોગ કર્યો છે તે આ પ્રથમ માન્યતાવાળા ઉપર કર્યો છે. (૨) બીજો મત એવો છે કે કેવલી ભગવંતોમાં પ્રથમ સમયથી જ સર્વ સમયમાં દર્શનોપયોગ પણ હોય છે અને તેની સાથે જ જ્ઞાનોપયોગ પણ હોય છે. બન્ને કર્મોનો ક્ષય થયેલ હોવાથી અનાવરણતાના કારણે બન્ને ગુણો તે જીવમાં સાથે જ પ્રગટ થાય છે. અને સાથે જ વર્તે છે. આવી માન્યતા ધરાવનારાઓમાં પ્રધાનપણે પૂજય મલવાદસૂરિજી આદિ મહાત્મા પુરૂષો છે. તેઓને આવી માન્યતા માનવામાં કારણભૂત દલીલ આ પ્રમાણે છે કે બારમા ગુણઠાણાના ચરમસમયે બન્ને કર્મોનો જો એકી સાથે ક્ષય થાય છે. તો તે બન્ને કર્મોથી આવૃત થયેલા બન્ને ગુણો પણ નિરાવરણતાના કારણે સાથે જ પ્રગટ થવા જોઈએ અને હવે એક પણ આવરણ હાલ નથી તથા ભવિષ્યમાં ક્યારેય આવવાનું પણ નથી. તેથી સદા કાળ સર્વ સમયમાં બન્ને ગુણ પ્રગટપણે સાથે જ વર્તે છે. આ માન્યતાવાળાને “સહવાદી” અથવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy