SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કિાર્ડ-૨ – ગાથા-૩ ૧૨૭ સમયાન્તરે પરાવૃત્તિ પામે છે. તેથી સમયભેદ છે આવી વાત ઉપરોક્તગ્રન્થોમાં છે. જૈનદર્શનના અભ્યાસી મહાત્માઓમાં આ વાત જાણીતી છે. પરંતુ ગ્રંથકાર પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.સાહેબ આ બાબતમાં કંઈક જુદા વિચાર ધરાવે છે. તેથી આ ગાથામાં તેઓ પોતાના વિચારોને રજુ કરે છે. આ વિચારો અને પૂર્વસૂરિકૃત વિચારોની સમાલોચના ચોથી ગાથાથી ૩૧ ગાથા સુધીમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કથી પોતે જ કહે છે. જે ઘણી રસપ્રદ અને જાણવા જેવી છે. ઘણું જ શાન ચિત્ત રાખીને સ્વસ્થપણે આ ચર્ચા જાણવા જેવી છે. તથા આ ચર્ચા આજ સુધીના અભ્યાસ કરાયેલા ગ્રંથોમાં ક્યાંય આવી નથી. તેથી અપૂર્વ અને અભૂત છે. ગ્રન્થકારશ્રીનું કહેવું છે કે – મનઃ પર્યવજ્ઞાન સુધીનાં ચાર જ્ઞાનોમાં એટલે કે મતિશ્રુત જ્ઞાનવાળા જીવોમાં, મતિ-શ્રુત-અવધિજ્ઞાનવાળા જીવોમાં, મતિ-શ્રુત-મન:પર્યવજ્ઞાનવાળા જીવોમાં તથા ચારે જ્ઞાનવાળા જીવોમાં જ્ઞાનની અંદર અને દર્શનની અંદર તફાવત છે. વિશેષતા છે. પરસ્પર ભેદ છે. પ્રથમ દર્શનોપયોગ અને પછી જ્ઞાનોપયોગ થાય છે તથા બન્ને ઉપયોગ અંતર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત પરાવર્તન પામે છે. કારણ કે આ બે-ત્રણ-ચાર જ્ઞાનવાળા જીવો છદ્મસ્થ છે. સાવરણ છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયવાળા છે. તથા સામાન્ય જાણ્યા પછી તેનું ચિંતન-મનન કરતાં-કરતાં ઉહાપોહ કરવાથી વિશેષધર્મોનો બોધ કરવાવાળા છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહમાં અસ્પષ્ટ બોધ થયા પછી જ ઈહામાં ચિંતનમનન ચાલે છે. ત્યારબાદ તે ચિંતન મનનના સહારે અપાયમાં વિશેષ ધર્મોનો બોધ થાય છે અને ધારણાના કાલે તે જ વિશેષધર્મોનો બોધ દૃઢ-દઢતર-દઢતમ થાય છે. માટે છઘ0 જીવોમાં મન:પર્યવજ્ઞાન સુધીનાં ચાર જ્ઞાનોમાં અંતર્મુહૂર્તે અન્તર્મુહૂર્ત દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ ભિન્ન ભિન્ન હોય છે આ વાત બરાબર છે. ટીકામાં કહ્યું છે કે - મન:પર્યવજ્ઞાનમન્ત: પર્યવસાન થસ્થ વિનેગસ્થ તથો: ज्ञानस्य च दर्शनस्य च विश्लेषः पृथग्भावः मत्यादिषु चतुर्षु ज्ञानदर्शनोपयोगौ क्रमेण भवत इति यावत् । પરંતુ કેવલી પરમાત્માને સમયાન્તરે ઉપયોગ પરાવર્તન પામે છે. આ વાત બરાબર નથી. કેવલી પરમાત્મા નિરાવરણ હોવાથી દર્શન દ્વારા સર્વને (સામાન્ય અને વિશેષ બન્ને • ધર્મોને) દેખે છે. અને જ્ઞાન દ્વારા પણ સર્વને (સામાન્ય અને વિશેષ એમ બન્ને ધર્મોને) જાણે છે. તેથી જ તેઓને સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય છે. પરંતુ અલ્પજ્ઞ અને અલ્પદશ કે વિશેષજ્ઞ અને સામાન્યદર્શી આવું કહેવાતું નથી. વળી તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયે જ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થઈ ચુકેલો હોવાથી જેમ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. તેમ દર્શનાવરણીય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy