________________
૧૨૪ કાર્ડ-૨ – ગાથા-૨
સન્મતિપ્રકરણ છે આવો ભાવ જે જણાય છે તે પારિણામિકભાવ છે. આ પ્રમાણે પાંચે ભાવોથી જીવનું જે ભિન્ન ભિન્ન સ્વરૂપ સંભવી શકે છે તે પણ તે શેય એવા આત્મામાં છે એવું દર્શનોપયોગકાલે જ્ઞાતા એવા તે આત્માને આત્માનું વિશેષ સ્વરૂપ પણ ગૌણપણે જણાય છે એટલા અંશે તે જ્ઞાતા આત્મા પર્યાયાર્થિકનયવાળો પણ હોય છે. તફાવત માત્ર એટલો જ છે કે સામાન્યસ્વરૂપ પ્રધાનપણે ભાસિત થાય છે. જ્યારે વિશેષ સ્વરૂપ ગૌણપણે ભાસિત થાય છે. આમ એક દર્શનોપયોગમાં પણ બન્ને ભાવો જણાય છે. તો જ તે નય (સુનય) કહેવાય છે ફક્ત દર્શનોપયોગવાળાને સામાન્યધર્મનું પ્રયોજન હોવાથી તે જ ધર્મો પ્રધાનતાએ જણાય છે વિશેષભાવોનું પ્રયોજન ન હોવાથી ભાસમાન હોવા છતાં અભાસમાન જેવા ગણાય છે. આ વાત આપણે એક ઉદાહરણથી સમજીએ.
આપણી પાસે સોનાનું કડુ-કુંડલ-હાર-વીંટી વિગેરે વિવિધ અલંકારો મળીને ૫૦ તોલાના અલંકારો છે. કોઈ પ્રયોજનથી તે વેચવા છે તેથી તેના વેપારીને ત્યાં (ચોક્સીની દુકાને) ગયા, હવે તે અલંકારોને જોનારો અને વેચાતા લેનારો તે ચોક્સી આ બધા જુદા જુદા અલંકારો છે. એમ જુએ પણ છે અને જાણે પણ છે. આ ગરાગે પચીસ-પચાસ હજાર રૂપીયા આવો સુંદર ઘાટ બનાવવામાં ખર્યા છે એમ પણ જાણે છે છતાં તેને ઘાટનું ડિઝાઈનનું કે અલંકારોની વિવિધતાનું પ્રયોજન ન હોવાથી તે વિશેષભાવો તરફ તેની દૃષ્ટિ હોતી નથી. કસોટી ઉપર આ અલંકારોને ઘસીને તેમાં સોનું કેટલું છે ? આટલું જ તે દેખે છે તેના જ પૈસા આપે છે. આ કાલે આ વેપારી તે અલંકારોમાં રહેલી વિવિધતા રૂપ વિશેષધર્મોને નથી દેખતો એમ નહીં. દેખે છે. પરંતુ તે વિશેષ ધર્મોનું તને પ્રયોજન નથી તેથી દેખતો હોવા છતાં તેને તે ભાવો અભાસમાન જેવા જણાય છે (ગૌણ છે) અને તે સઘળા પણ અલંકારોમાં “સુવર્ણદ્રવ્ય માત્ર જ કેટલું છે ?” તે જુએ છે અને જેટલું છે અને જેવું છે તે જ ભાસમાન થાય છે. તેનું જ મૂલ્ય આપે છે. આ દર્શનોપયોગ છે એટલે કે દ્રવ્યાર્થિકનય છે સુવર્ણ દ્રવ્ય માત્રને દેખનારી આ દૃષ્ટિ છે.
Tળે ૩ વિવરીયં = જ્ઞાનોપયોગ કાલે તેનાથી વિપરીત છે. જ્ઞાનોપયોગ પ્રધાનપણે વિશેષધર્મોને જોનારો બને છે અને ગૌણપણે સામાન્યધર્મોને જોનારો બને છે. અર્થાત્ તેને વિશેષધર્મો ભાસમાન થાય છે. સામાન્યધર્મો અભાસમાન જેવા રહે છે. તેથી પ્રથમ પર્યાયાર્થિક નયવાળો બનીને ગૌણપણે દ્રવ્યાર્થિકનયવાળો બને છે જેમકે ઉપર કહેલા ૫૦ તોલાના અલંકારો આપણે વેચવા ગયા અને ચોક્સી લેનારો હતો ત્યારે તેની દૃષ્ટિ તેમાં સોના દ્રવ્ય પુરતી જ હતી. તેથી સોનાની કિંમત જેટલા જ પૈસા આપીને તેણે આપણી પાસેથી દાગીના લીધા. પરંતુ તે જ અલંકારો આપણા જ પાડોશી વિગેરેને ઘણા જ ગમી ગયેલા હતા. આપણે તે ચોક્સીને ત્યાં વેચ્યા છે એમ સાંભળીને બરાબર જાણીને ત્યાં જ આ દાગીના વેચાતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org