________________
(૧૫)
હે રાજન ! તમારા યશરૂપી રાજહંસને પીવા માટે આ સાત સમૂદ્રો કચોળાં જેવા છે અને તેને રહેવા માટેનું ત્રણ જગત એ જાણે પાંજરૂં છે. આવા પ્રકારના ભાવવાહી ચાર શ્લોકો શ્રી સિદ્ધસેનસૂરિજીએ કહ્યા. રાજા પોતાની પ્રશંસા સાંભળી ઘણો ખુશ થયો. રાજાએ કહ્યું કે જે સભામાં તમે છો તે સભા પણ ધન્યધન્ય છે. તેથી તમે અહીં જ રહો. આ રીતે શ્રીસિદ્ધસેનસૂરિજી અને રાજા વચ્ચે ગાઢ મૈત્રી થઈ. એક વખત શ્રી સિદ્ધસેનજી રાજાની સાથે કુંડગેશ્વર નામના મહાદેવના મંદિરમાં ગયા. પરંતુ અંદર જતાંની સાથે જ સૂરિજી પાછા ફર્યા. રાજાએ કહ્યું કે તમે અમારા દેવનું અપમાન કર્યું. અમારા દેવને પ્રણામ કેમ ન કર્યા ? સૂરિજીએ કહ્યું કે હે રાજન્ ! આ દેવ મારા પ્રણામને સહન કરી શકશે નહીં. રાજાએ કુતુહલવશ કહ્યું કે ચાલો, તમે નમસ્કાર કરો, શું થાય છે તે હું જોઉં. જે કંઈ થાય તેની જવાબદારી મારી. જે કંઈ આકસ્મિક ઉત્પાત આવે તેની જવાબદારી (જોખમદારી) રાજા ઉપર મુકીને શ્રી સિદ્ધસેનસૂરિજી શિવલીંગ સામે બેસીને સ્તુતિ કરવા લાગ્યા.
ત્યારબાદ અનેક પ્રકારની સ્તુતિ કરતાં કરતાં કલ્યાણમંદિરની રચના કરી. તે સ્તોત્રની ૧૧મી ગાથા બોલતાં જ ધરણેન્દ્રદેવ પ્રત્યક્ષ થયા. તેમના પ્રભાવથી શિવલિંગમાંથી પ્રથમ ધૂમાડો નીકળ્યો, આગ પ્રગટી, શિવલિંગ ફાટ્યું અને છેવટે અંદરથી અવન્તિપાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા પ્રગટ થઈ. આ પ્રસંગથી રાજા પ્રતિબોધ પામ્યો. ઘણા મહોત્સવ સાથે રાજાએ સૂરિજીનો નગરપ્રવેશ કરાવ્યો. સૂરિજીએ ધર્મોપદશે આપી જૈનધર્મની ઘણી જ પ્રભાવના કરી તેથી શ્રી સંઘે પ્રસન્ન થઈને સૂરિજીનાં શેષ પાંચ વર્ષો માફ કર્યાં અને અજ્ઞાતવાસમાંથી શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીના સ્વરૂપે બહાર પ્રગટ થયા. પછી રાજાને પરિપૂર્ણ જૈનધર્મી બનાવી ગુજરાત તરફ વિહાર કર્યો.
ગુજરાત તરફ આવતાં રસ્તામાં ઘણા ગોવાળીઆઓ મળ્યા. તેઓએ ધર્મ સમજવાની ઈચ્છા વ્યક્ત કરી. દિવાકરજીએ ગોવાળીઆઓ સમજે તેવી ભાષામાં તાલપૂર્વક ગાતાં ગાતાં પ્રાકૃતભાષામાં નીચે મુજબ એક રાસડો બનાવ્યો.
न वि मारिआइ, न वि चोरिअइ, परदारह संगु निवारिअ । थोवाह वि थोवं दाअइ, वसणि दुगु दुगु जाइयइ ॥१६१ ॥
કોઈને મારવા નહીં, પારકી વસ્તુની ચોરી કરવી નહીં. પરસ્ત્રીનો સંગ કરવો નહીં થોડામાંથી પણ થોડું દાન કરવું. જેથી દુ:ખ બમણી બમણી ગતિએ ચાલ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org