________________
(૧૬) જાય. ગોવાળીઆઓ સૂરિજીના ઉપદેશથી પ્રતિબોધ પામ્યા. તેમની સ્મૃતિ માટે ગોવાળીયાઓએ ત્યાં જ “તાલરાસક” નામનું ગામ વસાવ્યું. સૂરિજીએ ત્યાં સુંદર જિનાલય બનાવરાવીને ઋષભદેવપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી વિહાર કરીને સૂરિજી ભરૂચ નગરમાં આવ્યા. ત્યાં ધનંજય નામનો રાજા હતો તે જૈન હતો. સૂરિજી પાસેથી વધારે વધારે ધર્મપરિણામી થયો. તેથી તે રાજા સૂરિજી ઉપર ઘણા જ પૂજ્યભાવવાળો થયો.
એક વખત તેના ઉપર બીજા દુશ્મન રાજાએ ચઢાઈ કરી. દુશ્મનોથી તે ઘેરાઈ ગયો અને ગભરાયો, સૂરિજીના શરણે આવ્યો. સૂરિજીએ સર્ષપવિદ્યાથી મોટું સૈન્ય રચ્યું તેની સહાયથી આ રાજા દુશ્મનોને હરાવી શક્યો. આ રીતે આ સૂરિજી સેનાને સિદ્ધ કરી શકતા હતા. તેથી તેઓનું “સિદ્ધહેન" એ નામ સાર્થક થયું. ધનંજય રાજાએ આ સૂરિજી પાસે દીક્ષા લીધી.
ત્યારબાદ સૂરિજી દક્ષિણાપથ તરફ વિચર્યા. પ્રતિષ્ઠાનપૂરમાં પધાર્યા. યોગ્ય શિષ્યને પોતાના સ્થાને બેસાડી અનશન આદરી સ્વર્ગે સિધાવ્યા. તે નગરથી કોઈ ચારણ વિશાલાનગરીમાં આવ્યો ત્યાં રહેલાં સૂરિજીનાં સંસારી બહેન “સિદ્ધશ્રીજી” નામનાં સાધ્વીજી મહારાજશ્રીને તે મળ્યો. તેણે સંસ્કૃતમાં અર્ધા શ્લોક ગાયો ભાવાર્થ સમજીને બાકીનો અર્ધો શ્લોક સાધ્વીજી મહારાજશ્રીએ પૂર્યો.
स्फुरन्ति वादिखद्योताः, साम्प्रतं दक्षिणापथे । नूनमस्तंगतो वादी, सिद्धसेनो दिवाकरः ॥१७५ ॥
ત્યારબાદ સાધ્વીજી મહારાજશ્રી પણ આરાધના કરવાપૂર્વક કાલક્રમે સ્વર્ગવાસી થયાં. આ પ્રમાણે પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ અને ચતુર્વિશતિપ્રબંધ ગ્રન્થોના આધારે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીના જીવન વિષેની કેટલીક વાત કહી. શ્રી દિવાકરજીની સાહિત્યરચના
શ્રી સિદ્ધસેનસૂરિજીનાં બનાવેલાં ન્યાયાવતાર, કાત્રિશદ્ધાત્રિશિકા, સન્મતિપ્રકરણ અને કલ્યાણમંદિર સ્તોત્ર હાલ મળે છે. બીજુ સાહિત્ય હાલ કંઈ ઉપલબ્ધ હોય, એવું અમારા જાણવામાં નથી. બત્રીસ બત્રીસિકા પણ સંપૂર્ણ ઉપલબ્ધ નથી. ૨૧ બત્રીસિકા ઉપલબ્ધ છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રકાષ્ઠ વિદ્વાન હતા. સંસ્કૃત ભાષા જ વધારે પ્રિય હતી. તેથી લગભગ બધું જ સાહિત્ય સંસ્કૃતમાં જ બનાવ્યું છે. ફક્ત એક આ સન્મતિ પ્રકરણ જ પ્રાકૃત ભાષામાં બનાવ્યું છે. તે પણ શુદ્ધ પ્રાકૃત ભાષા જ માત્ર. શૌરસેની કે પૈશાચી ભાષાનો બીલકુલ ઉપયોગ કર્યો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org