SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૧ - ગાથા-પ૪ ૧૧૭ તે જ્ઞાની વક્તા તે શ્રોતાવર્ગની સામે પોતાની કુશળતાપૂર્વક એકલા દ્રવ્યાર્થિકનયની જ પ્રરૂપણા કરે છે. (ફક્ત એટલું ધ્યાન રાખે છે કે એકલા દ્રવ્યાર્થિકનયની પ્રરૂપણા કરવા છતાં પણ ક્યાંય પર્યાયાર્થિકનયનો ઉચ્છેદ ન થઈ જાય). દ્રવ્યાર્થિક નયની પ્રરૂપણા કરતાં કરતાં જ્યારે શ્રોતાવર્ગને આ નયની વાત રૂચે છે નિત્યવાદ પણ માન્ય કરે છે. આવું જ્યારે તે જ્ઞાની મહાત્માને જણાય છે. ત્યારે તે શ્રોતાવર્ગ પાછો એકલા નિત્યવાદના કદાગ્રહી ન બની જાય તેટલા માટે તે જ જ્ઞાની વક્તા, તે જ શ્રોતા વર્ગની સામે વિશેષ (એવો પર્યાયાર્થિક) નય પણ સમજાવે જ છે. જેથી શ્રોતાવર્ગ ઉભયનયવાદી બને. સાપેક્ષવૃષ્ટિ પૂર્વક બન્ને નયો શ્રોતાવર્ગ સ્વીકારે તેવી તેઓ ભવ્ય દેશના આપે છે. એવી જ રીતે શ્રોતાવર્ગ રૂપે સામે બેઠેલો પુરૂષસમૂહ જો સાંખ્ય-નૈયાયિક કે વૈશેષિક મતનો અનુયાયી હોય અને તેથી એકલા દ્રવ્યાર્થિકનયનો જ આગ્રહી છે એમ વક્તા એવા જ્ઞાની મહાત્મા જ્યારે જાણે છે. ત્યારે તેનામાં ઉભયનયના સંસ્કારોની પરિકર્મણા કરવાના નિમિત્તે તેની સામે એકલા પર્યાયાર્થિકનયની જ દેશના આપે છે. (ફક્ત એટલું ધ્યાન રાખે છે કે એકલા પર્યાયાર્થિકનયની દેશના આપતાં આપતાં ક્યાંય દ્રવ્યાર્થિકનયનો ઉચ્છેદ ન થઈ જાય. પર્યાયાર્થિકનયની દેશના કરતાં કરતાં જ્યારે શ્રોતાવર્ગને હવે આ પર્યાયાર્થિકનયની વાત રૂચે છે અનિત્ય વાદ પણ માન્ય કરે છે. આવું જ્યારે તે જ્ઞાની મહાત્માને જણાય છે ત્યારે તે શ્રોતાવર્ગ પાછા એકલા પર્યાયાર્થિકનયના (એટલે અનિત્યવાદના) આગ્રહી ન બની જાય તેટલા માટે તે જ જ્ઞાની મહાત્મા તે જ શ્રોતાવર્ગની સામે વિશેષનય (એટલે કે દ્રવ્યાર્થિક નય અર્થાત્ નિત્યવાદ) પણ સમજાવે જ છે. આપે જ છે જેથી નિત્યવાદી એવો આ શ્રોતાવર્ગ ઉભયનયવાદી બને. ટીકામાં કહ્યું છે કે - પુરુષનાd પ્રતિપદ્રવ્યપર્યાય તરસ્વરૂપ શ્રોતા વ પ્રતીત્ય आश्रित्य ज्ञकः = स्याद्वादविद् प्रज्ञापयेत् आचक्षीत अन्यतरं द्रव्यं पर्यायं वा = अभ्युपेतपर्यायाय द्रव्यमेव, अङ्गीकृतद्रव्याय च पर्यायमेव कथयेत् । किमित्येकमेव कथयेत् ? परिकर्मनिमित्तं = बुद्धिसंस्कारार्थम् । परिकर्मितमतये दर्शयिष्यत्यसौ स्याद्वादाभिज्ञः विशेषमपि द्रव्यपर्याययोः परस्पराविनिर्भागरूपमेकांशविषयविज्ञानस्यान्यथा विपर्ययरूपताप्रसक्तिः स्यात् । तदितराभावे तद्विषयस्याप्यभावात् । અનેકાન્તવાદને જાણનારા જ્ઞાની વક્તા બન્ને નયોને સાપેક્ષપણે જાણતા પણ હોય છે અને જોડતા પણ હોય છે. છતાં શ્રોતાવર્ગ ભિન્ન ભિન્ન સંસ્કારવાળા હોઈ શકે છે. કોઈ શ્રોતાવર્ગ નિત્યવાદને (દ્રવ્યવાદને) જ માનતા હોય છે અને કોઈ શ્રોતાવર્ગ અનિત્યવાદને જ (એટલે કે પર્યાયવાદને જ) માનતા હોય છે. તેથી જ્યારે શ્રોતાવર્ગ દ્રવ્યવાદને જ માનનારા છે આવું વક્તાના ખ્યાલમાં આવે છે ત્યારે તે શ્રોતાવર્ગની સામે તેઓ દ્વારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy