________________
૧૧૬
કાડ-૧ - ગાથા-પ૪
સન્મતિપ્રકરણ શું બધે જ બે નયની જ દેશના હોય? ક્યારેય એક નયની દેશના ન હોઈ શકે ? જો એક નયની દેશના આપે તો તે શું મિથ્યાત્વી જ હોય ? તે વિષય ઉપર સમજાવે છે
पुरिसज्जायं तु पडुच्च, जाणओ पण्णवेज अण्णयरं । परिकम्मणानिमित्तं, दाएही सो विसेसं पि ।। ५४ ॥ (पुरुषजातं तु प्रतीत्य, ज्ञायकः प्रज्ञापयेदन्यतरत् । પરિર્મનિમિત્ત, સ્થિતિ સો વિશેષમgિ | ૨૪ )
ગાથાર્થ – જ્ઞાની મહાત્મા (એવા વક્તા) શ્રોતાવર્ગના પુરૂષસમૂહને આશ્રયી તે શ્રોતા વર્ગમાં બીજા નયના સંસ્કારના નિમિત્તે કોઈ એકનયની દેશના પણ પ્રરૂપે છે. પરંતુ તે જ્ઞાની મહાત્મા (અવસરે) બીજા વિશેષનયની વાત પણ શ્રોતાવર્ગને અવશ્ય આપે જ છે. તે પ૪ ||
વિવેચન - તીર્થંકર પરમાત્માની આજ્ઞાને સમજનારા વક્તાએ હૈયામાં સાપેક્ષદૃષ્ટિ રાખીને અનેકાન્તબોધક જ વચનો ઉચ્ચારવાં જોઈએ. આ આત્મા કથંચિત્ નિત્ય છે. આમ જ બોલવું જોઈએ અથવા આ આત્મા કથંચિત્ અનિત્ય છે. આમ જ બોલવું જોઈએ. વિચારો અને વચનો અનેકાન્તમય જ હોવાં જોઈએ. આ રાજમાર્ગ છે. છતાં પણ સામે બેઠેલા શ્રોતાવર્ગ રૂપે જે પુરૂષસમૂહ છે. તેને આશ્રયીને ઘણી વાર ઉપકારક એવા કોઈ પણ એક નયથી આશ્રિત દેશના પણ તે જ્ઞાની મહાત્મા આપી શકે છે. તેમાં કંઈ દોષ નથી. આવા પ્રકારની એકનયાશ્રિત દેશના આપવાની પાછળ એક જ કારણ છે અને તે કારણ એ છે કે શ્રોતાવર્ગ જો કોઈ એક નયમાં જ બદ્ધાગ્રહી બનેલા છે એમ જ્યારે તે જ્ઞાની મહાત્માને જણાય છે ત્યારે તે મહાત્મા પુરૂષ તે શ્રોતાવર્ગને, તેણે માનેલા એક નયના વિચારોથી ભિન્નનયને માન્ય એવી વાતના સંસ્કારો તેનામાં ઉતારવાના નિમિત્તે ઈતર એવા એકનયની દેશના પણ સાપેક્ષભાવે આપે છે અને તે રીતે તે દેશના તે શ્રોતાવર્ગને ઉપકારક પણ બને છે. પરંતુ આ વક્તા એવા કુશળ હોય છે કે શ્રોતાવર્ગવાળો પુરૂષસમૂહ એકનયનો બદ્ધાગ્રહી હોવાથી તેને ઉભયનયની સાપેક્ષતા વાળો બનાવવા માટે પ્રતિપક્ષી એવા બીજા એકનયની જ ભલે દેશના આપતા હોય તો પણ તેમના હૈયામાં બન્ને નયોની વાત સાપેક્ષ હોવાથી તેમની દેશનાના કોઈ પણ વાક્યોચ્ચારણમાં પ્રધાનપણે કહેવાતા ઈતર એકનયમાં પણ બીજા નયની વાતનો ઉચ્છેદ આવવા દેતા નથી. એટલું જ નહીં પણ શ્રોતાવર્ગને પ્રતિપક્ષી એવો એક નય સમજાવ્યા પછી તે જ વક્તા તે જ શ્રોતાવર્ગને સાપેક્ષપણે વિશેષ એવો બીજો નય કે જે નય તે શ્રોતાવ પ્રથમ માનેલો હતો તેને પણ સાપેક્ષભાવે અવશ્ય આપે જ છે.
જેમ કે શ્રોતાવર્ગવાળો પુરૂષસમૂહ જો બૌદ્ધદર્શનનો અનુયાયી છે અને એકલા પર્યાયાર્થિકનયનો જ આગ્રહી છે એમ વક્તા એવા જ્ઞાની મહાત્મા જ્યારે જાણે છે. ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org