SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાચ્છ-૧ – ગાથા-પ૩ ૧૧૩ ઉત્તરાર્ધમાં તો ગ્રન્થકારશ્રીએ ઘણું જ કડવું પણ સર્વથા નગ્નસત્ય કહી દીધું છે. જૈનેતર દર્શનો તો મિથ્યાત્વના ઉદયથી વાસિત હોવાથી અને તેવા પ્રકારના મિથ્યાત્વી ગુરુઓનો યોગ હોવાથી તથા તેવા પ્રકારનાં મિથ્યાશાસ્ત્રોનો અભ્યાસ હોવાથી આ સ્યાદ્વાદવાળી વાણી ન સમજી શકે અથવા સમજે તો પણ અહંભાવાદિના કારણે ન માને તે સમજી શકાય છે. પરંતુ જૈનદર્શનના નામને ધારણ કરનારા નવા નવા નીકળેલા અનેક પંથોમાં પોતપોતાની દૃષ્ટિ જે બાજુ ઢળી હોય છે તે જ વાતને એકાન્ત સત્ય માની જોરશોરથી જે પ્રરૂપણા અને પ્રચાર કરાય છે તે કેટલા અંશે સત્ય છે અને કેટલા અંશે મિથ્યા છે તે સાચા આત્માર્થી જીવને મહાત્મા પુરુષોનાં ઉપરોક્ત વાક્યોમાંથી જરૂર સમજાશે. | મુનિ થનાર શ્વેતવસ્ત્રધારી જ હોય અથવા અચેલક જ હોય આ પણ એકાન્તવાદ જ છે. પ્રભુ મહાવીરસ્વામીથી ભદ્રબાહુ સ્વામી સુધી જિનકલ્પ અને સ્થવિરકલ્પ એમ બે પ્રકારના કલ્પ (મુનિઓના આચાર) હતા. એક ઉપકરણ વિનાનો અને તેથી અચેલક એવો જિનકલ્પ હતો. અને જે આત્માનું તેટલું સામર્થ્ય ન હતું તે જીવો ઉપકરણવાળો એટલે સચેલક કલ્પ આદરતા. આને અર્થ એ થયો કે સવસ હોય કે નિર્વસ્ત્ર હોય પણ જે મોહને જિતે તે મોક્ષે જાય. વળી વસ્ત્ર એ પરદ્રવ્ય હોવાથી તે રાખે તે મુનિ પરિગ્રહી અને ન રાખે તે અપરિગ્રહી આ વ્યાખ્યા પણ એકાન્તવાદના સંસ્કારમાંથી જ ઉત્પન્ન થયેલી છે. જો પદ્રવ્ય હોવાથી તેને પરિગ્રહ કહીએ તો પુસ્તક, મોરપિંછી, કમંડળ, ઓઘો, મુહપત્તિ અને આહારાદિ પણ પરદ્રવ્ય હોવાથી તે રાખનાર પણ સપરિગ્રહી કહેવાશે. અને આ વસ્તુઓને સેવનાર મુનિ પણ અમુનિ જ કહેવાશે. હવે જો એવો બચાવ કરીએ કે સ્વાધ્યાય માટે પુસ્તક જરૂરી છે, જયણા પાળવા માટે મોરપિંછી અને ઓધો (રજોહરણ), શરીરશુદ્ધિ માટે કમંડળ, વાઉકાયની રક્ષા માટે મુહપત્તિ અને શરીર ટકાવવા માટે આહાર જરૂરી છે. આ બધાં પરદ્રવ્યો છે. પરંતુ તે તે કાર્ય કરવા માટે અનિવાર્ય છે. તેથી તે રાખવા છતાં મુનિ મમતા વિનાના (મૂછ અને આસક્તિ વિનાના) છે માટે અપરિગ્રહી જ છે. તો બહારથી બિભત્સ લાગતી ઈન્દ્રિયને ઢાંકવા તથા અનાવૃત ઈન્દ્રિય દ્વારા થતા વિકારોને રોકવા નિર્મમત્વભાવે વસ્ત્ર રાખે તો તે સચેલક મુનિ પણ અપરિગ્રહી બની શકે છે. તે વસ્તુઓ રાખનારા મુનિને પણ નિર્મમત્વ ભાવ હોવાથી અપરિગ્રહી કેમ ન કહેવાય ? તત્ત્વાર્થસૂત્રાદિ શાસ્ત્રોમાં “મૂછ પરિપ્રદ:” મૂછને પરિગ્રહ કહ્યો છે. વસ્તુનો સંબંધ તે પરિગ્રહ કહ્યો જ નથી. જો વસ્તુના સંબંધને પરિગ્રહ કહીએ તો ઉપરોક્ત વસ્તુઓ શ્વેતાંબર-દિગંબર મુનિ રાખે જ છે. છતાં પોતાને અપરિગ્રહી માને છે. સમજે છે અને સમજાવે છે. તેથી આવા એકાન્તવાદના આગ્રહને છોડીને સમજવું જોઈએ કે સાધકદશાના પ્રારંભકાળમાં સવસ્ત્રાવસ્થા એટલે સચેલક અવસ્થા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy