________________
૧૧૨ કાષ્ઠ-૧ - ગાથા-પ૩
સન્મતિપ્રકરણ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બન્ને નયો પોતપોતાની મર્યાદાને સ્વીકારીને (લક્ષ્મણ રેખાને અનુસારે) જો ચાલે, એક નય સાપેક્ષભાવે વસ્તુનું નિત્યસ્વરૂપ સમજાવે અને બીજો નય સાપેક્ષભાવે વસ્તુમાં જ રહેલું અનિત્ય સ્વરૂપ સમજાવે તો આમ સાપેક્ષભાવે વસ્તુના સ્વરૂપને પ્રતિપાદન કરતા એવા આ બન્ને નયો વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને જણાવનારા બનવાથી યથાર્થ છે. સુનય છે. સમ્યગૃષ્ટિ છે.
આવા પ્રકારની પ્રસુ = આ બન્ને નયોને સંયુગમાકુ = સાથે રાખીને (સંયુક્ત કરીને), સાપેક્ષ દૃષ્ટિ રાખીને કરાતું ને = જે જે વયજ્ઞ = વાક્યોનું ઉચ્ચારણ અને વિયL = માનસિક વિકલ્પો ટોન્તિ = થાય છે. સ = તે તે સમયપUUવિUTT = પોતાના શાસનની અર્થાત્ જૈનશાસનની પ્રરૂપણા છે. વીતરાગ પરમાત્માની વાણી છે. કેવળ એકલા નિયત્વ અને કેવલ એકલા અનિત્યત્વની બાબતમાં જ સાપેક્ષતા રાખવાની છે એવું નથી પણ સર્વત્ર ઉભયવાદ છે. જેમ કે આત્મતત્ત્વ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તેમ અપેક્ષાવિશેષે શરીરધારી હોવાથી મૂર્ત પણ છે અને મૂલભૂત પદાર્થ રૂપે અમૂર્ત પણ છે. શરીરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. બીજા જીવોની સાથે સત્તાગત સ્વરૂપની અપેક્ષાએ સમાન પણ છે અને આવિર્ભત ગુણોની અપેક્ષાએ વિશેષ પણ છે. જેટલો જેટલો ક્ષયોપશમ ભાવ છે (ગુણોની પ્રગટતા છે) તેટલો તેટલો શુદ્ધ પણ છે. અને જેટલો જેટલો ઔદયિકભાવ છે તેટલો તેટલો અશુદ્ધ પણ છે. કેવલજ્ઞાનથી આખા સૈકાલિક વિશ્વનો જ્ઞાતા હોવાથી જ્ઞાનની અપેક્ષાએ વ્યાપક પણ છે (અથવા કેવલી સમુદ્ધાત કાલે આત્મપ્રદેશોથી પણ વ્યાપક છે.) તથા શરીરમાત્ર વ્યાપી હોવાથી અવ્યાપક પણ છે. અસંખ્ય પ્રદેશોના પિંડાત્મક એવું અખંડદ્રવ્ય છે તેથી એક પણ છે અને અસંખ્યપ્રદેશાત્મક અથવા અનેકગુણાત્મક છે તેથી અનેક પણ છે. આવા પ્રકારનાં સમજાવાતાં વાક્યો અથવા મનમાં ઊઠતા વિકલ્પો (વિચારો) તે સઘળાં વાક્યો અને વિચારો વસ્તુના પૂર્ણ સ્વરૂપને અને યથાર્થ સ્વરૂપને સમજાવનારાં હોવાથી જિનેશ્વરપ્રભુની વાણી છે. તેઓની દેશના છે. શ્રી વીતરાગ પરમાત્મા વડે પ્રકાશિત કરાયેલી વાણી છે. આ જ જૈનશાસન છે.
ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે આવા પ્રકારની સ્યાદ્વાદયુક્ત વાણી, અનેકાન્તવાદથી ભરેલી વાણી એ જ વીતરાગવાણી છે. તેનાથી મUT = અન્ય એવી એકાન્તવાદસૂચક જે કોઈ અન્ય દર્શનની વાણી હોય અથવા નામથી ભલે જૈનદર્શનની આ વાણી છે એમ તેના પ્રરૂપકો બોલતા હોય પણ તે એકાન્તનિશ્ચય તરફ ઢળેલી તથા એકાન્તવ્યવહાર તરફ ઢળેલી વાણી હોય તો તે સઘળી વાણી અને વિચારો તીર્થંકર પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ હોવાથી આશાતના જ છે. આમ જાણવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org