________________
૧૦૮
કાર્ડ-૧ – ગાથા-૫૧-૫૨
સન્મતિપ્રકરણ ગાથાર્થ - દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ જે આત્મા છે તે કર્મ બાંધે છે અને તે કર્મનું ફળ ભોગવે છે. પરંતુ બીજા નયની (પર્યાયાર્થિક નયની) દૃષ્ટિએ પર્યાય માત્ર જ છે. તેથી કોઈ કશું કરતું નથી અને કોઈ કશું વેદતું નથી. / ૫૧ //
દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ જે કરે છે તે જ આત્મા નિયમ કર્મ ભોગવે છે. અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ અન્ય કરે છે અને અન્ય ભોગવે છે. | પર તે
વિવેચન - સાંખ્ય, નૈયાયિક, અને વૈશેષિક આદિ કેટલાંક દર્શનો આત્માને એકલો નિત્ય જ માને છે. આ કેવલ એકલા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે. અને બૌદ્ધ આદિ કોઈ કોઈ દર્શનો આત્માને કેવળ એકલો ક્ષણિક - અનિત્ય માને છે. આ કેવલ પર્યાયાર્થિકનયની દૃષ્ટિ કહેવાય છે. એક નય સ્થિર તત્ત્વ માનનાર છે બીજો નય અસ્થિર તત્ત્વ માનનાર છે. વાસ્તવિક રીતે વિચારીએ તો ગાથા ૩૨ થી ૫૦ માં સમજાવ્યું તેમ આત્મતત્ત્વ દ્રવ્યપણે સ્થિર (ધ્રુવ-નિત્ય) પણ છે. અને અવસ્થા ભેદથી (પર્યાયપણે) અસ્થિર (ઉત્પાદ-વ્યયવાળું) પણ છે. પરંતુ ઉપરોક્ત દર્શનકારોની દૃષ્ટિ મિથ્યાવાસનાના કારણે કોઈ પણ એકનય તરફ અતિશય ઢળેલી છે. જેથી બીજાનયની વાત તેને સ્વીકાર્ય બનતી નથી. તે દર્શનકારો મિથ્યાત્વમોહના ઉદયના કારણે એક નયની વાતમાં અંજાયેલા છે. ફસાયેલા છે.
હવે જે પ્રથમ દ્રવ્યાર્થિકનય છે તે સ્થિર તત્ત્વ માનતો હોવાથી અનાદિ-અનંત એવો નિત્ય આત્મા છે એમ કહી શકે છે. તેથી તેની દેશનામાં આત્મા જેવું સ્થિર કોઈ એક તત્ત્વ છે. કે જે કર્મ કરે છે અને કર્મ ભોગવે છે એવું કહેવાનો, તથા જે કરે છે તે જ કાલાન્તરે ભોગવે છે આવું કહેવાનો અવકાશ છે. જેમ કે ૨૫ વર્ષની ઉંમરવાળા કોઈ એક પુરૂષે ખુન અથવા ચોરી કરી, પ્રારંભનાં કેટલાંક વર્ષો સુધી આ ગુન્હો ન પકડાયો, પરંતુ કાલ જતાં તે પુરૂષની ૫૦ વર્ષની ઉંમર થતાં તે ગુન્હો કોઈ મુદાથી પકડાયો. ત્યારે ખુન અથવા ચોરીની સજા ફાંસી-કારાવાસ આદિ તેને થાય છે. કારણ કે જેણે ખુન અથવા ચોરી કરી હતી તે જ આ પુરૂષ છે. તેથી તે શિક્ષા સ્વરૂપ ફલનો ભોક્તા બને છે. આ રીતે સ્થિર તત્ત્વ માનવાના કારણે એક જ આત્મામાં કર્તત્વ અને ભોસ્તૃત્વ હોય છે. દ્રવ્યાર્થિકનય આમ માને છે અને કહે છે. જો કે તેની આ માન્યતામાં ક્ષતિ તો આવે જ છે. કારણ કે એક નયની જ દૃષ્ટિ હોવાથી અને પયાર્યાર્થિક નયની અવગણના કરતો હોવાથી (પર્યાયની વાત ન માનતો હોવાથી) આત્માને કુટસ્થનિત્ય માનનાર થયો. તેથી તેમાં એકલું સ્થિરતત્ત્વ-ધ્રુવ આત્મા જ માન્યો પણ આમ એકાન્ત નિત્યતા માનવાથી અવસ્થાભેદ કેમ ઘટે ? અર્થાત્ પૂર્વકાલમાં કર્તુત્વ અને ઉત્તરકાલમાં ભોક્નત્વ એમ બે અવસ્થા કેમ ઘટે ? કારણ કે અવસ્થાભેદ માનવા જતાં એકાન્ત નિયતા ન રહે. પૂર્વકાલમાં તે ખુન અથવા ચોરી કરે છે. તેથી કતૃત્વાવસ્થા છે અને ઉત્તરકાલમાં ફાંસી અથવા કારાવાસ રૂપ શિક્ષા ભોગવે છે તે ભોવ્રુવાવસ્થા છે. હવે એકાત નિત્ય આત્મામાં આવો અવસ્થાભેદ કેમ ઘટે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org