________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૧ - ગાથા-૫૧-૫૨
૧૦૭ પણ તેવું જ બનવાથી બાહ્ય પણ કહેવાય છે જેમ વિષથી મિશ્રિત દૂધ એ દૂધ હોવા છતાં પણ વિષ કહેવાય છે. અગ્નિથી મિશ્રિત લોહ લોહ હોવા છતાં પણ દાહક બને છે. તેમ શરીરથી મિશ્રિત જીવ પણ (શરીરની ચેષ્ટાઓ દ્વારા બાહ્ય ઇન્દ્રિયોથી જણાતો હોવાથી) બાહ્ય ઇન્દ્રિયોનો વિષય છે. તે માટે બાહ્ય પણ કહેવાય છે.
આ રીતે વિચારતાં બાહ્ય ઇન્દ્રિય ગોચર પુગલોને બાહ્ય અને બાહ્ય ઇન્દ્રિયોથી અગોચર યુગલોને અભ્યન્તર કહેવાય છે તેથી પુદ્ગલદ્રવ્ય પણ બાહ્ય-અભ્યન્તર બન્ને છે. કોઈ પણ એક પુદ્ગલ દ્રવ્ય પણ એક કાલે બાહ્ય અને અન્યકાલે તે જ દ્રવ્ય અત્યંતર એમ પણ બની શકે છે. પાણીમાં ઓગળી ગયેલું મીઠું અથવા ઓગળી ગયેલી સાકર હવે પછી ચક્ષુગોચર ન હોવાથી અત્યંતર પણ કહેવાય છે. તેથી પુદ્ગલ દ્રવ્ય સદા બાહ્ય જ છે આવો એકાન્તવાદ ઉચિત નથી. તેવી જ રીતે જીવદ્રવ્ય બાહ્ય ઇન્દ્રિયોથી અગોચર છે એટલે અત્યંતર જરૂર છે. પરંતુ શરીરમાં ભળ્યો છતાં શરીરની ચેષ્ટાઓ વડે ચક્ષુ આદિ ઇન્દ્રિયો દ્વારા ગોચર હોવાથી બાહ્ય પણ જરૂર છે. માટે જીવ દ્રવ્યને એકલો અભ્યત્તર માનવો તે એકાન્તવાદ છે. જે ઉચિત નથી. તેથી જ જૈનશાસ્ત્રોમાં આ દ્રવ્ય એકાને બાહ્ય જ છે અને આ દ્રવ્ય એકાતે અભ્યત્તર જ છે આવું વિધાન કરેલ નથી. પણ મનોગ્રાહ્ય તે અત્યંતર અને શેન્દ્રિયગ્રાહ્ય તે બાહ્ય આવું વિધાન કરેલ છે. આ કારણે પરસ્પર મીલનને લીધે બન્ને દ્રવ્યો બન્ને પ્રકારનાં થાય છે. આવા અનેકાન્તવાદ જ વિજયવંત બને છે. મેં પ૦ ||
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ કર્મનો કર્તા અને ભોક્તા કોણ છે ? આ બાબતમાં તે બન્ને નયો શું કહે છે ?
दव्वट्ठियस्स आया, बंधइ कम्मं फलं च वेएइ । बीयस्स भावमत्तं ण कुणइ ण य कोइ वेएइ ॥ ५१ ।। दव्वट्ठियस्स जो चेव कुणइ सो चेव वेएइ णियमा । अण्णो करेइ अण्णो परिभुंजइ पज्जवणयस्स ।। ५२ ॥
સંસ્કૃત છાયા (द्रव्यार्थिकस्य आत्मा, बध्नाति कर्म फलं च वेदयति । द्वितीयस्य भावमात्रं न करोति, न च कश्चिद् वेदयति ।। ५१ ॥) (द्रव्यार्थिकस्य यश्चैव करोति, स चैव वेदयति नियमात् । ૩: રોઃ પરિમન પર્થવનયી ૨૨ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org