SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કાર્ડ-૧ - ગાથા-૫૦ સન્મતિપ્રકરણ અત્યંતર છે તેમ બાહ્ય પણ છે. તેવી જ રીતે પુદ્ગલ જેમ બાહ્ય છે તેમ આત્માની સાથે અનુપ્રવેશવાળું હોવાથી આન્તરિક પણ છે. આવો અર્થ થશે અને આવો અર્થ થવાથી જીવ આન્તરિક જ અને પુગલ બાહ્ય જ, આ વ્યવસ્થા રહેતી નથી. આવા પ્રકારનો પ્રશ્ન ઉપરની બે ગાથાના અર્થમાંથી થવો સંભવિત છે. તેનો ઉત્તર આ ગાળામાં સમજાવ્યો છે. જીવ એ આન્તરિક પદાર્થ જ છે અને પુગલ એ બાહ્ય પદાર્થ જ છે, આવો એકાત વિભાગ જૈનશાસ્ત્રોમાં કરવામાં આવ્યો નથી. પરંતુ નોકું િTUT પદુર્ગ = મનના વિષયપણાને આશ્રયી બાહ્યથી અત્યંતરની વિશેષતા છે. એટલે કે જે જે દ્રવ્ય મનનો જ માત્ર વિષય હોય, માનસપ્રત્યક્ષનો જ વિષય હોય, અર્થાત્ બાહ્ય એવી ચક્ષુરાદિ શેષ પાંચ ઇન્દ્રિયોનો વિષય ન હોય તે દ્રવ્યને આન્તરિક દ્રવ્ય જાણવું. તેના ઉપરથી એ પણ ફલિત થયું કે જે જે દ્રવ્ય ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયોનો વિષય હોય છે, અર્થાત્ બાહ્ય ઇન્દ્રિયને ગોચર હોય છે તે તે દ્રવ્ય બાહ્ય દ્રવ્ય કહેવાય છે માત્ર મનોવિષયકને અત્યંતર અને બાધેન્દ્રિયના વિષયકને બાહ્ય કહેવાય છે. આવી વ્યાખ્યા જૈનશાસ્ત્રોમાં કહેલી છે. આ વ્યાખ્યાના આધારે જીવ કે પુગલ કોઈ પણ દ્રવ્ય જ્યારે મનોગ્રાહ્ય બને છે ત્યારે તે અભ્યત્તર કહેવાય છે અને બાલ્વેન્દ્રિયગ્રાહ્ય બને છે ત્યારે તે જ દ્રવ્ય બાહ્ય પણ બને છે. આ વ્યાખ્યા પ્રમાણે પુદ્ગલ દ્રવ્ય (બાહ્ય દ્રવ્ય તરીકે તો પ્રસિદ્ધ છે જ પણ) અભ્યત્તર દ્રવ્ય હોઈ શકે છે. અને જીવદ્રવ્ય (અભ્યતર દ્રવ્ય તરીકે તો પ્રસિદ્ધ છે જ છતાં) બાહ્ય દ્રવ્ય પણ હોઈ શકે છે. તે આ પ્રમાણે - પુદ્ગલદ્રવ્યમાં ઔદારિક-વૈક્રિય-આહારક આદિ આઠ વર્ગણાઓ (પુદ્ગલના પ્રકારો) છે. પ્રથમની ચાર વર્ગણાઓ સ્થૂલ અને અલ્પ પરમાણુઓથી નિષ્પન્ન હોવાથી બાદર પરિણામી છે. તેથી તે બાધેન્દ્રિયથી ગ્રાહ્ય છે. આથી બાહ્ય છે. પરંતુ ભાષા-શ્વાસ-મન અને કાર્પણ આ પાછલી ચાર વર્ગણા સૂક્ષમ અને બહુપરમાણુઓથી નિષ્પન્ન છે. તે માટે સૂર્મપરિણામી છે. આ સૂક્ષ્મપરિણામી વર્ગણાઓ પણ પુદ્ગલ હોવાથી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળી તો છે જ. તો પણ બાધેન્દ્રિયનો વિષય ન હોવાથી આગમગમ્ય અને અનુમાનગણ્ય હોવાથી મનનો જ માત્ર વિષય બનવાથી પુગલ હોવા છતાં પણ તે અભ્યત્તર કહેવાય છે. એવી જ રીતે જીવદ્રવ્ય વર્ણાદિ ગુણોથી રહિત હોવાથી અમૂર્તિ છે. બાલ્યન્દ્રિયગોચર નથી. માત્ર મનથી જ ગોચર છે. માત્ર મનનો જ વિષય છે. એટલે અભ્યત્તર દ્રવ્ય જ હોવું જોઈએ. છતાં ૪૮-૪૯ મી ગાથામાં સમજાવ્યા પ્રમાણે જીવદ્રવ્યનો શારીરિક પુગલોની સાથે પરસ્પર અનુપ્રવેશ હોવાથી અને શરીર બાલ્વેન્દ્રિય ગોચર હોવાથી તેમાં રહેલું જીવદ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy