SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) સાંભળો, સાવધ થાઓ, જીવનરૂપ નાનકડાં કોમળ ફૂલવાળી આ માનવભવની કાયાના જીવનાંશ રૂપ ફૂલોને તું રાજસત્કાર અને તેનાથી પ્રાપ્ત થતા માનસન્માનથી ન તોડ, યમ નિયમ સંયમ આદિ રૂપ મનના આરામોને (બગીચાઓને) ભોગવિલાસ દ્વારા ન ભાંગ. ન મોડ, મનના સગુણોરૂપી પુષ્પો વડે નિરંજનદેવની પૂજા કર. તું સંસારરૂપી વનમાંથી નીકળીને રાજસત્કારાત્મક બીજા વનમાં કેમ ભટકે છે ? ગુરુજીએ ભુલેલાને માર્ગે લાવવા આવા પ્રકારના અનેક અર્થો આ શ્લોકના કહ્યા. ગુરુજીએ કરેલા આ અર્થો સાંભળીને સિદ્ધસેનજી પીગળી ગયા. મનમાં વિચાર્યું કે મારા ગુરુ વિના આવા અર્થો કોણ જાણે ? જરૂર મને પ્રતિબોધવા ગુપ્ત વેશે મારા ગુરુજી જ આવ્યા હોય એમ લાગે છે. પાલખીમાંથી ઉતર્યા. ગુરુજીને બરાબર ઓળખ્યા. પગે પડ્યા. ક્ષમા માગી. મોહ અને અજ્ઞાનવશ મેં આપની અવજ્ઞા કરી મને ક્ષમા આપો ક્ષમા આપો. ગુરુજીએ કહ્યું કે વધારે સત્ત્વવાળા જાણી મેં તમને સંપૂર્ણ જૈનસિદ્ધાન્ત ભણાવ્યો. પણ મંદ જઠરાગ્નિવાળાને જેમ વિશિષ્ટ રસવાળું ભોજન પચે નહીં તેમ તમને જૈનસિદ્ધાન્ત પચ્યો નહીં તો બીજાની વાત તો કરવી જ શું ? માટે આવા સ્વચ્છંદમાર્ગથી પાછા ફરી સન્માર્ગે પાછા આવો. સાધુતાને ન છાજે તેવો રાજસત્કાર અને માનમાત્રા છોડી દો. મારા આપેલા શાસ્ત્રોને પચાવો. ચિત્રકુટના સ્તંભમાંથી પ્રાપ્ત થયેલ પુસ્તક શાસન દેવીએ લઈ લીધું. તે યોગ્ય જ કર્યું હતું. કારણ કે તેને પચાવનારા યોગ્ય ત્યાગીઓ આ કાળે નથી જ. શ્રી સિદ્ધસેનજી પોતાની ભૂલ સમજી ગયા. પ્રાયશ્ચિત માંગ્યું. ગુરુજીએ યોગ્ય પ્રાયશ્ચિત આપ્યું. શિષ્યનો ઉપકાર કરી અન્યત્ર વિહાર કરી ગુરુજી સ્વર્ગે સિધાવ્યા. શ્રી સિદ્ધસેનસૂરિજી રાજસત્કાર અને માનમાત્રા ત્યજી નિર્મળ સંયમ પાળતા ભૂમિ ઉપર વિચરવા લાગ્યા. શ્રી સિદ્ધસેનસૂરિજી સંસ્કૃત ભાષાના શોખીન અને તેમાં પાવરધા હતા. પ્રાકૃતભાષા પ્રત્યે તેટલો આદરભાવ ન હતો. તેથી પ્રાકૃતમાં રચાયેલા જૈનવામયને સંસ્કૃત ભાષામાં ઉતારવાનો મનમાં વિચાર કર્યો. તેઓએ આ વિચાર સંઘ સમક્ષ કહ્યો. સંઘના આગેવાન લોકો વિચારમાં પડ્યા. વિચાર કરીને શ્રી સિદ્ધસેનસૂરિજીને કહ્યું કે “તમારા જેવા આચાર્યોને પ્રાકૃતભાષા પ્રત્યે અરોચકતા હોય તો અમારા જેવાની વાત તો કરવી જ શું ? ચૌદપૂર્વો સામાન્ય માણસો માટે અગમ્ય હતાં. એટલે તો આચારાંગાદિ શેષ અંગો ગણધરભગવંતોએ પ્રાકૃત ભાષામાં રચ્યાં. બાલ, સ્ત્રી, મૂઢ અને મંદબુદ્ધિવાળાના અનુગ્રહ માટે આ આગમો પ્રાકૃતમાં રચ્યાં છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy