SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કાણ્ડ-૧ – ગાથા-૪૯ સન્મતિપ્રકરણ જીવ અને દેહ એકાકાર હોવાથી ક્ષેત્રકૃત વિભાગ તેમાં શક્ય નથી. તો પણ એક ચેતન છે. બીજુ દ્રવ્ય જડ છે. એક અવિનાશી છે બીજુ વિનાશી છે. એક દ્રવ્ય ભવાન્તરયાયી છે. બીજું દ્રવ્ય આ ભવ પુરતું જ છે. એક દ્રવ્ય અસંખ્યપ્રદેશ છે. બીજુ દ્રવ્ય અનંતપ્રદેશી છે. આમ, બન્ને દ્રવ્યોનાં લક્ષણો અને ધર્મો ભિન્ન ભિન્ન હોવાથી તાત્ત્વિક દૃષ્ટિએ ભિન્ન તો છે જ, છતાં દૂધ-પાણીની જેમ અને લોહ-અગ્નિની જેમ અરસપરસ એકમેક હોવાથી ભવસ્થ એવા સંસારી જીવના બધા જ પર્યાયો જીવકૃત હોવા છતાં કર્મોદયની તથા કર્મોદયજન્ય શરીરની અપેક્ષાવાળા હોવાથી ઉભયકૃત કહેવાય છે. તેવી જ રીતે દેહકૃત પર્યાયો પણ જીવાધીન હોવાથી એટલે કે જીવના ઔદયિક ભાવને આધીન હોવાથી તે પણ ઉભયકત કહેવાય છે. આ રીતે જીવના અને દેહના સઘળા પર્યાયો અવિભક્તપણે ઓતપ્રોત રૂપે રહેલા એવા જીવ-પુદગલ એમ બન્નેના ઉભયદ્રવ્યકત જાણવા. તેથી પુરૂષમાં સિદ્ધ કરાયેલો ભેદભેદ આત્મામાં અને શેષ સર્વદ્રવ્યોમાં પણ ઉભયાત્મકતા (ભેદભેદતા) સિદ્ધ કરે જ છે. એટલે કે દૃષ્ટાન્ન અને દાન્તિક બરાબર સાનુકુળ જ છે. / ૪૭-૪૮ જીવ અને પુગલદ્રવ્યના અન્યોન્યપણાને લીધે શાસ્ત્રસિદ્ધ કેટલાક જાણવા યોગ્ય વ્યવહારો - एवं "एगे आया एगे दण्डे य होइ किरिया य" । करणविसेसेण य, तिविहजोगसिद्धी वि अविरुद्धा ॥ ४९ ॥ (ર્વ વિ માત્મા, , ઇશ, મવતિ ક્રિયા ચ | રવિ ૨, ત્રિવિયોગસિદ્ધિપિ વિરુદ્ધ છે ૪૨ ) ગાથાર્થ - આ પ્રમાણે એક આત્મા છે. એક દંડ છે અને એક ક્રિયા છે તથા ત્રિવિધ કરણવિશેષના કારણે ત્રિવિધ યોગની સિદ્ધિ પણ અવિરૂદ્ધ છે. અર્થાત્ સંભવી શકે છે. જે ૪૯ || વિવેચન - સંસારી જીવ અને શરીરાત્મક પુદ્ગલદ્રવ્ય લોહાગ્નિની જેમ પરસ્પર એકમેક થયેલાં છે. તેથી જ “આ અને તે” એવો ભેદ પાડી શકાતો નથી. તેથી રૂપાદિ શરીરના જે પર્યાયો દેખાય છે તે ભવસ્થ જીવના પણ કહેવાય છે. અને શુદ્ધ જીવદ્રવ્યના જ્ઞાનાદિ જે પર્યાયો જણાય છે તે શરીરના પણ કહેવાય છે. આવી જે વાત ગાથા ૪૭-૪૮માં કહી તે વાતને મજબૂત કરતાં શ્રી ઠાણાંગસૂત્રનો પાઠ આપીને પૂજય ગ્રંથકારશ્રી સમજાવે છે કે - “આત્મા એક છે, દંડ એક છે, ક્રિયા એક છે” આવો જે શ્રી ઠાણાંગસૂત્રમાં સૂત્રપાઠ છે તથા આત્મા અનંત છે. દંડ ત્રણ છે ક્રિયા અનેક છે. ઇત્યાદિ વ્યવહારો પણ જે થાય છે. તે આત્મા અને શરીરના અન્યોન્યપણાને લીધે જ સંભવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy