________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૪૭-૪૮
૧૦૧ જાતનો સહયોગ નથી, આવું નથી. આ રીતે વિચારતાં બાલ્યાદિ અવસ્થાઓ, વર્ણાદિ વિકારો, અને સ્મરણાદિ જ્ઞાનપર્યાયો આ બધા જ ભાવો લોહાગ્નિની જેમ અને દૂધ-પાણીની જેમ અન્યોન્ય અનુગત થયેલા શરીરધારી ભવસ્થ જીવના છે. અર્થાત્ બન્ને દ્રવ્યોના સાથે મળીને થયેલા પર્યાયો છે.
જો વાસ્તવિક વિચાર કરીએ તો સ્થિષિ ભવસ્થ જીવમાં રૂવાડું પનવા ને તે = રૂપાદિ જે જે દેહગત પર્યાયો દેખાય છે તથા સુદ્ધમ્પિ નીવ-
વિHિ = શુદ્ધ જીવદ્રવ્યના (ચેતનના) જે જે પર્યાયો છે તે બધા જ પર્યાયો અપuruUITયા = અરસપરસ મળેલાં બન્ને દ્રવ્ય હોવાથી કર્મોદયથી થનારા પર્યાયો પુગલદ્રવ્ય તથા તદુદયજન્ય શરીરદ્રવ્ય અને જીવદ્રવ્ય એમ બન્ને દ્રવ્યના પUUવિપ્નિા કહેવા જોઈએ. કારણ કે પૂર્વબદ્ધ કર્મોદયના અનુસારે ચેતનદ્રવ્યમાં તેવા તેવા પર્યાયો પ્રગટે છે. કેવલ એકલા જડને કર્યો હોતાં જ નથી ચેતનને જ હોય છે. તથા ચેતનને પણ કર્મોદય હોય છે તો જ આવા પર્યાયો થાય છે. તેથી કર્મોદય અને કર્મોદયજન્યશરીર તથા જીવ આમ બન્ને દ્રવ્યના સંયોગજન્ય આ પર્યાયો હોવાથી એક એક દ્રવ્યના જ છે એમ ન માનતાં ઉભય દ્રવ્યના છે, આમ માનવું જોઈએ. તેથી જીવગત જે પર્યાયો ભાસે છે તે દેહના પણ છે અને દેહગત જે પર્યાયો ભાસે છે તે જીવના પણ છે. આ કારણથી દેહમાં દેખાતા બાલ્ય-યૌવન-વૃદ્ધ અવસ્થાભેદ તથા વર્ણાદિ જન્ય ભેદ દેહની માફક જીવના પણ આ ભેદ માનવા જોઈએ. અને અતીતસ્મરણ, દોષોની દુર્ગછા તથા સુખોની લિસા ઇત્યાદિ ભાવો જીવના ધર્મો છે આવું જ જણાય છે તે દેહના પણ છે. આમ વિચારતાં “પુરૂષ”નું આ ઉદાહરણ “જીવ અને દેહ” આમ ઉભયદ્રવ્યનો બનેલો શરીરધારી જીવ નામનો જે પદાર્થ છે તે એક જ પદાર્થ છે, તેમાં જ ભેદભેદ સમજાવ્યો છે. તેથી તેને અનુસાર આત્મદ્રવ્યમાં કે શેષદ્રવ્યોમાં પણ ભેદભેદ સમજી શકાય છે. આ બાબતમાં કોઈ પણ જાતનું દૃષ્ટાન્ન અને દાર્દાન્તિકનું વૈષમ્ય નથી. પણ બરાબર સામ્ય છે.
- તથા વળી નીવંત વિસTMાયા = જેટલા દૂધના વિશેષ પર્યાયો છે. તે સઘળા પાણીદ્રવ્યના પણ છે અને જેટલા પાણીદ્રવ્યના વિશેષપર્યાયો છે તેટલા સઘળા દૂધદ્રવ્યના પણ છે. અન્યોન્યમીલન હોવાથી. તેવી જ રીતે દેહના જેટલા વિશેષપર્યાયો છે તેટલા સઘળા તે જીવદ્રવ્યના પણ છે. અને જેટલા જીવદ્રવ્યના વિશેષપર્યાયો છે તેટલા દેહના પણ છે. કારણ કે આ બન્ને દ્રવ્યો અન્યોન્ય અનુગત થયેલાં છે, તેથી આ રીતે ઉભયદ્રવ્યજન્ય આ પર્યાયો જાણવા.
ટીકામાં કહ્યું છે કે - યથા સુધપાનીયયો, પરસ્પરપ્રદેશાનુપ્રવિઠ્ઠયોઃ અવિપરિમાણોऽयमविभागो जीवकर्मप्रदेशयोः ? इत्याह-यावन्तो विशेषपर्यायास्तावान् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org