________________
૯૮
કાષ્ઠ-૧ – ગાથા-૪૭-૪૮
સન્મતિપ્રકરણ પણ અધર્મદ્રવ્ય બનશે નહીં એમ સર્વ દ્રવ્ય માટે સમજવું. તે માટે અભેદ છે. છતાં સહાય લેનારા જીવ-પુગલના સંયોગ-વિયોગને આશ્રયી પ્રતિસમયે બદલાવાપણું પણ છે. એટલે ભેદ પણ છે. તફાવત એટલો છે કે જીવ અને પુદ્ગલનો જ્યારે જ્યારે અવસ્થાભેદ થાય છે ત્યારે ત્યારે તે વ્યવહારી જીવો વડે ગમ્ય એવું પરિવર્તન પામે છે. તે તે ભાવે તે તે જીવપુદ્ગલ પરિણામ પામી જાય છે. તેથી વ્યવહારથી પરિણામી છે અને ધર્મ-અધર્મ તથા આકાશ દ્રવ્યમાં સહાય લેનારા એવા પરદ્રવ્યના સંયોગ-વિયોગને લીધે થતાં પરિવર્તનો વ્યવહારી જીવોને અગમ્ય છે. કારણ કે તે તે ધમ-અધર્મ-આકાશદ્રવ્ય, તે તે ભાવે પરિણામ પામી જતાં નથી. તે રૂપ થઈ જતાં નથી. તેથી વ્યવહારનયથી અપરિણામી છે અને નિશ્ચયનયથી તો સર્વે પણ દ્રવ્યો પરિણામી છે. એટલે કે જીવ અને પુગલ આ બન્ને દ્રવ્યો
વ્યવહારનયથી તથા નિશ્ચયનયથી એમ બન્ને નયોથી પરિણામી છે. અને ધર્મ અધર્મ, આકાશ નિશ્ચયનય માત્રથી જ પરિણામી છે વ્યવહારનયથી અપરિણામી છે.
આ રીતે જગદ્વર્તી તમામ દ્રવ્યો પૂર્વાપર અવસ્થાપણે ભેદવાળાં પણ છે અને બન્ને અવસ્થામાં મૂલભૂત દ્રવ્ય તેનું તે જ હોવાથી અમેદવાળાં પણ છે. આત્માર્થી જીવોએ આમ સમજવું અને બીજાને આમ સમજાવવું જોઈએ. પૂર્વાપર ક્રમશઃ આવતી ભિન્ન ભિન્ન અવસ્થાઓને આશ્રયી જેમ જીવદ્રવ્ય ભિન્નભિન્ન છે. તેવી જ રીતે પુગલાદિ શેષ દ્રવ્યો પણ નિજ નિજ જાતીય પર્યાયોને આશ્રયી ભિન્નભિન્ન છે. એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. સર્વત્ર અનેકાન્તવાદ જ વિજયવંત છે. તે ૪૫-૪૬ /
હવે આગળ આવનારી બે ગાથામાં એ વિષય સમજાવે છે કે જીવ અને પુદ્ગલ (શરીર) પણ ભિન્નભિન્ન છે, એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી.
अण्णोण्णाणुगयाणं, "इमं व तं व' त्ति विभयणमजुत्तं । जह दुद्ध-पाणियाणं, जावंत विसेसपज्जाया ॥ ४७ ॥ रूआइ पज्जवा जे देहे, जीवदवियम्मि सुद्धम्मि । ते अण्णोण्णाणुगया, पण्णवणिज्जा भवत्थम्मि ॥ ४८ ॥
સંસ્કૃત છાયા (अन्योन्यानुगतयोः, “इदं वा तद् वा" इति विभजनमयुक्तम् । यथा दुग्धपानीययोः, यावन्तो विशेषपर्यायाः ॥ ४७ ।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org