SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કાણ્ડ-૧ - ગાથા-૪૫-૪૬ સન્મતિપ્રકરણ જન્મથી મરણ સુધીમાં પ્રથમ નાની ઉંમર સુધી તે પુરૂષને બાલક કહેવાય છે. કંઈક વધારે ઉંમર થતાં કુમાર કહેવાય છે તેથી વધારે ઉંમર થતાં યુવાન કહેવાય છે. અને ઘણી વધારે ઉંમર થતાં વૃદ્ધ કહેવાય છે. આ બાલ્ય-કુમાર-યૌવન અને વૃદ્ધત્વ અવસ્થાઓ જન્મથી મરણપર્યન્ત એકને એક કોઈની રહી નથી, રહેતી નથી અને રહેશે નહીં, અવશ્ય બદલાય જ છે. પરિવર્તન થાય જ છે. તેથી જ કુમારાવસ્થામાં બાલ્યાવસ્થાના, યૌવનાવસ્થામાં કુમારાવસ્થાના અને વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થાના ભાવો થતા નથી. તેથી એકનો એક આ પુરૂષ બાલ્યાદિ ભાવોને આશ્રયી ઉત્પાદ-વ્યયવાળો, પરિવર્તનશીલ, અર્થાત્ બદલાતો પણ જરૂર દેખાય છે. આ ભેદની સિદ્ધિ માટેની યુક્તિ કહી છે. ૯૬ અહીં ‘‘સંબંધ” શબ્દ બે અર્થમાં વપરાયેલ છે. જાતિ-કુલ-રૂપ-લક્ષણ અને સંજ્ઞા વડે કરાયેલ જે સંબંધ, તે સંબંધને આશ્રયી અભેદ છે. અથવા જાતિ-કુલ-રૂપ-લક્ષણ સંજ્ઞા અને સંબંધ (જન્મજનકભાવરૂપ), આમ છ પ્રકારે અભેદ છે. ટીકામાં કહ્યું છે કે - જ્ઞાતિઃ પુરુષત્વતિષ્ઠા, તં પ્રતિનિયતપુરુષત્વત્વમ્, વં चक्षुर्ग्राह्यत्वलक्षणम्, लक्षणं तिलकादि सुखादिसूचकम्, संज्ञा प्रतिनियतशब्दाभिधेयत्वम्, एभिर्य: सम्बन्धस्तदात्मपरिणाम्:, ततस्तमाश्रित्य अधिगतस्य ज्ञानस्य तदात्मकत्वेनाभिन्नावभासविषयस्य यद्वा सम्बन्धः = जन्यजनकभाव:, एभिरधिगतस्य तत्स्वभावस्यैकात्मकस्येति થાવત્ । જાત્યાદિ છ પ્રકારના ભાવો વડે અભેદ અને બાલ્યાદિ ચાર પ્રકારના ભાવો વડે જે ભેદ સમજાવવામાં આવ્યો છે તે શરીર સાથે સંબંધવાળા ભાવો હોવાથી બાહ્ય ભાવો કહેવાય છે. તે બાહ્યભાવોને આશ્રયી પુરૂષમાં ભેદાભેદ જણાવ્યો. આ વ્યવહારથી ભેદાભેદ સમજાવ્યો. હવે આન્તરિક માનસિક ભાવો વડે તે જ પુરૂષમાં ભેદાભેદ સમજાવવામાં આવે છે. અતીતકાલમાં સેવેલી ભુલોની (દોષોની) દુર્ગંછા અને અનાગતકાલમાં પ્રાપ્ય એવા ગુણોની અભિલાષા વડે પણ તે પુરૂષમાં ભેદાભેદ સિદ્ધ થાય છે. યુવાવસ્થામાં આવેલો તે પુરૂષ ત્રણ અવસ્થામાં અભેદ (એકનો એક) હોય તો જ અતીતદોષોની દુર્ગંછા, અને અનાગત સુખોની (ગુણોની) ઘેલછા તેને થાય, જો પુરૂષ સર્વથા બદલાઈ જ જવાનો હોય, તો ઉપરના ભાવો ઘટે નહીં. તેથી અભેદ છે એમ જણાય છે. છતાં અતીતકાલમાં હોંશે હોંશે દોષો સેવે છે. યુવાવસ્થામાં તે જ દોષોની દુર્ગંછા કરે છે યુવાવસ્થામાં હોંશે હોંશે ભોગો સેવે છે. વૃદ્ધાવસ્થામાં તે જ ભોગોનો પશ્ચાત્તાપ કરે છે. યુવાવસ્થામાં ધનોપાર્જન આદિ ભાવિસુખના ઉપાયો કરે છે. સુખ ઈચ્છે છે અને વૃદ્ધાવસ્થામાં ઉપેયને સેવે છે સુખને અનુભવે છે. આ રીતે ત્રણે અવસ્થામાં ભિન્ન પણ છે. આ દોષોની દુર્ગંછા અને ગુણોની For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy