________________
સન્મતિપ્રકરણ
કાઠ-૧ – ગાથા-૪૫-૪૬
૯૫
સંસ્કૃત છાયા (નાત-બ્રુ-રૂપ-નક્ષ-સંજ્ઞા-સ્વસ્થતોfથતી | बालादिभावदृष्टविगतस्य, यथा तस्य सम्बन्धः ॥ ४५ ।। ताभ्यामतीतानागतदोषगुणदुर्गञ्छनाभ्युपगमाभ्याम् । તથા વચનોક્ષ-સુરવ્ર શ્વપ્રાર્થના મવતિ નવી ! ૪૬ ૫)
ગાથાર્થ - જાતિ, કુલ, રૂપ, લક્ષણ, સંજ્ઞા અને સંબંધ વિશેષથી અભેદભાવને પામેલા, તથા બાલ્યાદિ અવસ્થારૂપ ભાવોથી જોવાયો છે (ઉત્પાદ અને) વ્યય જેમાં એવા ભેદભાવવાળા તે પુરૂષનો જે રીતે સંબંધ ઘટે છે, તે રીતે સંબંધ સ્વીકારીએ તો જ, તથા અતીતકાલીન દોષોની દુર્ગછા અને અનાગતકાલીન ગુણોની પ્રાપ્તિ માનીએ તો જ જીવમાં બંધ અને મોક્ષ, તથા સુખ અને દુઃખની પ્રાર્થના યુક્તિયુક્તપણે ઘટે છે. / ૪૫-૪૬ |
વિવેચન - “પુરુષ” એ ભેદભેદાત્મક તત્ત્વ છે. આ જ વાત ૪૫ મી ગાથામાં શારીરિક બાહ્યભાવો દ્વારા અને ૪૬મી ગાથામાં આન્તરિક માનસિક કારણો દ્વારા સમજાવવામાં આવી છે.
જે પુરૂષ, પુરૂષજાતિ પણે જન્મે છે તે મરણ સુધી પુરૂષપણે જ રહે છે. સ્ત્રી જાતિ પણે જન્મે છે તે મરણ સુધી સ્ત્રી જાતિ પણે જ રહે છે. આમ જાતિથી જન્મથી મરણ સુધી તેનો તે જ રહેતો હોવાથી અભેદ છે. એવી જ રીતે બ્રાહ્મણકુળમાં જન્મેલો પુરૂષ મરણ સુધી બ્રાહ્મણ જ રહે છે, ક્ષત્રિયકુલમાં જન્મેલો પુરૂષ ક્ષત્રિય જ, વૈશ્યકુળમાં જન્મેલો વૈશ્ય જ અને શુદ્ર કુલમાં જન્મેલો શુદ્ર જ રહે છે. જે પુરૂષથી વિવણિત પુરૂષ જમ્યો હોય છે તે મરણપર્યન્ત તેના જ પુત્ર રહે છે. આમ કુલ આશ્રયી પણ જન્મથી મરણ સુધી તેનો તે જ રહેતો હોવાથી અભેદ છે.
એવી જ રીતે રૂપને આશ્રયી પણ શ્વેતવર્ણવાળો શ્વેત જ રહે છે. કૃષ્ણવર્ણવાળો કૃષ્ણ જ રહે છે. નીલવર્ણવાળો નીલ જ રહે છે. શરીરમાં તલ-ખુંધ-ગાલ ઉપર લાલ ચાઠું ઇત્યાદિ જે લક્ષણોવાળો જે પુરૂષ જન્મે છે. તે જ લક્ષણોવાળો તે પુરૂષ મરણપર્યન્ત રહે છે. “ચૈત્રમૈત્ર-દેવદત્ત-યજ્ઞદત્ત” ઇત્યાદિ જે સંજ્ઞા જન્મકાલે કરવામાં આવે છે. તે જ સંજ્ઞા મરણપર્યન્ત રહે છે. અને તે જન્મ પામેલ પુરૂષ, જેનો પુત્ર, જેનો ભાઈ, જેનો પૌત્ર તથા જેનો ભાણેજભત્રીજો આદિ સંબંધોવાળો હોય છે તે જ સંબંધોવાળો મરણપર્યન્ત રહે છે. આ રીતે જાતિકુલ-રૂપ-લક્ષણ-સંજ્ઞા અને સંબંધ આવા ધર્મોથી તે પુરૂષ જન્મથી મરણ પર્યન્ત તેનો તે જ હોવાથી અભેદભાવવાળો છે. આ અભેદની સિદ્ધિ માટેની યુક્તિ કહી. હવે ભેદ સમજાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org