________________
સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૪૪
૯૩ સાંખ્યાદિ દર્શનો એકલું નિત્ય જ અને બૌદ્ધાદિ દર્શનો એકલું અનિત્ય જ કહે છે તેવું આ જગત નથી. તેવી જ રીતે એકલું સમાન કે એકલું વિશેષ પણ નથી. એકલું સત્ કે એકલું અસત્ પણ નથી. || ૪૩ ||
“પુરૂષ” નામનું દ્રવ્ય વાસ્તવિક કેવું છે? તેના કથન દ્વારા જીવના વાસ્તવિક સ્વરૂપનો તથા તેને અનુસાર સર્વે પણ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય -
ण य होइ जोव्वणत्थो बालो, अण्णो वि लज्जइ ण तेण । ण वि य अणागयवयगुणपसाहणं जुज्जइ विभत्ते ।। ४४ ॥ (न च भवति यौवनस्थो बालः, अन्योऽपि लज्जति न तेन । ના િવાના તવો મુJાપ્રસાધનં યુતે વિમો / ૪૪ )
ગાથાર્થ - યુવાનીમાં વર્તતો પુરૂષ હવે કંઈ બાળક નથી. (અર્થાત્ કથંચિ ભિન્ન છે) છતાં “Uો વિ ” એકાન્ત ભિન્ન પણ નથી. નઝરૂ તેT = તેથી જ લજ્જા પામે છે. વિમત્તે = જો એકાન્ત ભિન્ન જ છે એમ માનીએ તો બાલ્યભાવના ચરિત્રવડે લજ્જા તથા ભાવિના વય (અવસ્થા-ઉમર) માટે કરાતું ગુણોનું પ્રસાધન જ વિ ચ = ઘટી શકે નહીં. તથા એકાને અભિન્ન માનીએ તો પણ ભાવિના ગુણોનું પ્રસાધન અને બાલ્ય ચરિત્ર વડે લજ્જા ઘટે નહીં. તે ૪૪ ||
વિવેચન - આ ગાથામાં પુરૂષ નામના આ ઉદાહરણમાં ભેદ તથા અભેદ સમજાવવામાં આવ્યો છે. તથા તેની યુક્તિ પણ આપવામાં આવી છે.
ચ દ નોધ્યસ્થી વાનો = યુવાનીમાં આવેલો પુરૂષ હવે કંઈ તે બાળક નથી. આ વાત અનુભવસિદ્ધ અને પ્રત્યક્ષ છે. તેથી તેની યુક્તિ મૂળગાથામાં કહી નથી. બાળક જેમ ધૂળીયા હોય છે. ધૂળમાં રમવાની પ્રીતિવાળા હોય છે. મળ-મૂત્ર આદિ કરવામાં અવિવેકવાળા હોય છે. કાલીઘેલી ભાષા બોલે છે. લોકો તેને ખોળામાં લઈને રમાડે છે. વાત્સલ્યભાવથી ચુંબન આદિ પણ કરે છે. આ બધા જ ભાવો યુવાવસ્થામાં સંભવતા નથી. તેથી યુવાનીમાં આવેલો પુરૂષ હવે કંઈ બાળક નથી. પણ બાલ્યાવસ્થાથી ભિન્ન છે. તેથી જ બાલ્યાવસ્થાનું આચરણ આચરતો નથી. આ પંક્તિ બાલત્વ અને યૌવનત્વનો ભેદ સૂચવે છે.
તથા “વિન, તે નઝરૂ'' = યુવાનીમાં આવેલો આ પુરૂષ બાલ્યાવસ્થાથી સર્વથા અન્ય પણ નથી. એકાન્ત ભિન્ન પણ નથી. કારણ કે પહેલાં જે બાળક હતો તે જ પુરૂષ હવે યુવાન બન્યો છે. અર્થાત્ અભિન્ન છે. તેથી જ બાલ્યાવસ્થાના ભૂલભરેલા આચરણની સ્મૃતિ થવાથી શરમાય છે. જો એકાન્ત ભિન્ન જ હોત તો શા માટે શરમાત?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org