SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨. કાડ-૧ – ગાથા-૪૩ સન્મતિપ્રકરણ અવસ્થામાં દ્રવ્ય એક જ ન રહેતું હોય અને બૌદ્ધદર્શનાદિ કહે છે તેમ પર્યાયની સાથે દ્રવ્ય પણ જો ક્ષણિક જ હોય અને તેથી સર્વ પદાર્થો દ્રવ્ય અને પર્યાય એમ ઉભય રૂપે ન હોય અને માત્ર સર્વથા ક્ષણિક જ હોય, તથા તે કારણે પર્યાયની જેમ મૂલભૂત દ્રવ્ય પણ ચાલ્યું જ જતું હોય આવું જ માનીએ તો આ યુવાન પુરૂષને લજ્જા-ગ્લાનિ અને દુઃખ કેમ થાય? જો પુરૂષમાં દ્રવ્યનો અન્વય ન માનીએ તો તે પુરૂષે પોતે તો દોષસેવન કર્યું જ નથી તો લજ્જા પામવાની શી જરૂર ? એવી જ રીતે આ યુવાન પુરૂષ ભાવિમાં જ રહેવાનો ન જ હોય, અને અવસ્થાના પરિવર્તનની જેમ અવસ્થાવાન પુરૂષ વ્યક્તિનો પણ બદલો જ થઈ જતો હોય તો તે યુવાન પુરૂષ ભાવિ સુખ મેળવવા માટે ગુણોના લાભને શા માટે ઈચ્છે? જો ભાવિમાં પોતે રહેવાનો જ નથી, અન્ય જ પુરૂષ આવવાનો છે તો “જો હું અત્યારે ગુણો મેળવીશ તો ભાવિમાં સુખી થઈશ” આવી ઈચ્છા પણ કેમ કરે ? કારણ કે પોતે તો ક્ષણિક હોવાથી બીજા જ ક્ષણે ચાલ્યો જવાનો છે. પરંતુ આવું બનતું નથી તેથી બાલ્યાવસ્થાના દોષસ્મરણથી થતી લજ્જા આદિથી અને ભાવિ અવસ્થામાં સુખપ્રાપ્તિ માટે કરાતા ગુણપ્રાપ્તિના પ્રયત્નોથી ત્રણે અવસ્થામાં તે પુરૂષ વ્યક્તિરૂપ મૂળભૂત દ્રવ્ય ધ્રુવ (નિત્ય) પણ અવશ્ય છે જ. આ રીતે કેવળ એકલા આજુસૂત્રનયની દૃષ્ટિવાળો મનુષ્ય જે કાલે જે દ્રવ્ય જેવા પર્યાયને પામ્યું હોય છે તે દ્રવ્યને તેવું જ છે એમ દેખે છે. અને તેથી દ્રવ્ય પ્રતિસમયે ઉત્પાદવ્યય વાળું જ દેખાય છે. ધ્રુવતત્ત્વ તેને દેખાતું નથી. તથા પ્રતિસમયે ભિન્નતા જ જણાય છે. અને પૂર્વાપર અનુસંધાનવાળા તત્ત્વનો અપલાપ કરે છે. તેથી તે એકનયની દેશના અધૂરી છે. અપૂર્ણ છે. પર્યાયાર્થિકનયની આ દૃષ્ટિ ભેદપ્રધાન હોવાથી ઉપર સમજાવેલા બાલ્યયૌવન-વૃદ્ધત્વ ભાવોને ભિન્ન ભિન્ન માને છે. આવા પ્રકારની કેવલ એકલા પર્યાયાર્થિક નયની દેશના મિથ્યા છે. તેવી જ રીતે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ અભેદપ્રધાન હોવાથી ઉપર જણાવેલી ત્રણે અવસ્થામાં સૈકાલિક એક ધ્રુવમય આત્મા જ છે, આમ માને છે. તે નય પણ ખોટો છે. કારણ કે તેમ માનવાથી દ્રવ્યમાં પ્રતિસમયે થતા પરિવર્તનનો અપલોપ થઈ જાય છે. આમ આ બન્ને નયો પોત પોતાની અપેક્ષાએ સાચી વાત કરતા હોવા છતાં, અને પોતાના પ્રદેશમાં સમર્થ હોવા છતાં જ્યારે બન્ને નો એકાન્ત ભિન્ન ભિન્ન હોય છે. અર્થાત્ પરસ્પર નિરપેક્ષ હોય છે. ત્યારે અપૂર્ણમાં પૂર્ણતા માનતા હોવાથી તે બન્ને નયો મિથ્યા ઠરે છે. અને તેઓએ એકાત્તતા પૂર્વક રજુ કરેલી દેશના જૈનપ્રરૂપણામાં સ્થાન પામતી નથી. એટલે જિનેશ્વર પ્રભુની દેશના કહેવાતી નથી. તે મિથ્યાદેશના કહેવાય છે આમ જાણવું. આ રીતે જગતના સચેતન-અચેતન સર્વે પણ પદાર્થો પર્યાય રૂપે બદલાતા (ઉત્પત્તિવ્યયવાળા) પણ છે. અને દ્રવ્ય રૂપે સ્થિર (ધ્રુવ) પણ છે. તેથી સર્વ જગત નિત્યાનિત્ય છે. દ્રવ્ય-પર્યાયમય છે. ત્રિપદીયુક્ત છે. સ-અસત્, સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક છે. પરંતુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy